4 પ્રાઈવેટ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 3 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપી રહી છે, જાણો કઈ બેંકમાં રોકાણ કરવું વધુ લાભદાયક

આરબીઆઈની પેટાકંપની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) રૂ. 5 લાખ ની ફિક્સ્ડ ડિપોઝિટ પર એટલે કે FD પર રોકાણ કરેલી રકમ પર ગેરંટી આપે છે.

4 પ્રાઈવેટ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 3 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપી રહી છે, જાણો કઈ બેંકમાં રોકાણ કરવું વધુ લાભદાયક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 6:47 AM

ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposit) રોકાણ વરિષ્ઠ નાગરિકો(Senior Citizens) માટે સૌથી મોટો સહારો માનવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાની જાહેરાત કર્યા પછી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) અને HDFC બેંક જેવી બેંકોએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કોવિડ-19 રોગચાળા વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો થયો હોવા છતાં નાની ખાનગી બેંકો વરિષ્ઠ નાગરિકો માટે ત્રણ વર્ષની FD પર 7 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો જાણીએ એવી ચાર બેંકો વિશે જે વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે.

તમને જણાવી દઈએ કે આરબીઆઈની પેટાકંપની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) રૂ. 5 લાખ ની ફિક્સ્ડ ડિપોઝિટ પર એટલે કે FD પર રોકાણ કરેલી રકમ પર ગેરંટી આપે છે.

ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank)

ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષથી 61 મહિનામાં પાકતી થાપણો પર 7% વ્યાજ ઓફર કર્યું છે. આ દરો 16 ફેબ્રુઆરી, 2022થી લાગુ થશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આરબીએલ બેંક (RBL Bank)

RBL બેંક વરિષ્ઠ નાગરિકોને 24 મહિનાથી 36 મહિના કરતાં ઓછા સમયમાં પાકતી થાપણો પર 7% વ્યાજ ઓફર કરે છે. આ દરો 3 ફેબ્રુઆરી, 2022 થી અમલી છે. વ્યાજ દર 24 મહિનાથી 36 મહિના કરતાં 7% ઓછો છે.

યસ બેંક (Yes Bank)

ખાનગી ક્ષેત્રની યસ બેંક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7% વ્યાજ ચૂકવે છે. આ દરો 4 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

બંધન બેંક (Bandhan Bank)

બંધન બેંક વરિષ્ઠ નાગરિકો માટે ત્રણ વર્ષની FD પર 7% વ્યાજ ચૂકવે છે. આ દરો 12 જાન્યુઆરી, 2022 થી અમલી છે. બેંક 2 વર્ષ અને 3 વર્ષથી ઓછી એફડી પર 7% વ્યાજ ઓફર કરે છે.

બેંક ડૂબી જાય તો પણ તમારા પૈસા ડૂબે નહીં

જો ભવિષ્યમાં બેંક ડૂબી જશે તો થાપણદારોને કોઈ મુશ્કેલી નહીં પડે. જો બેંક ડૂબી જાય તો પણ તેમને તેમના પૈસા 3 મહિનામાં પાછા મળી જશે. ભારતીય રિઝર્વ બેંકની પેટાકંપની DICGC બેંક થાપણો પર વીમા કવચ પ્રદાન કરે છે. DICGC બેંકોમાં કરંટ, રેકરિંગ, અથવા ફિક્સ ડિપૉજિટ (FD) વગેરે સ્કીમ્સમાં 5 લાખ રૂપિયા સુધી સુરક્ષા આપે છે.

આ પણ વાંચો : EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા જઈ રહ્યું છે, જાણો કોને મળશે તેનો ફાયદો

આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ યુઝર્સ ધ્યાન આપો! જાણો મિનિમમ પેમેન્ટના નુક્સાન અને કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">