AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા જઈ રહ્યું છે, જાણો કોને મળશે તેનો ફાયદો

EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાવવાનું વિચારી રહ્યું છે જેઓ દર મહિને 15,000 રૂપિયાથી વધુનો મૂળભૂત પગાર મેળવે છે અને તેમને કર્મચારી પેન્શન યોજના 1995 (EPS-95) હેઠળ આવરી લેવામાં આવતા નથી.

EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા જઈ રહ્યું છે, જાણો કોને મળશે તેનો ફાયદો
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:28 PM
Share

રિટાયરમેન્ટ ફંડ સંસ્થા EPFO ​​સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ (Pension Scheme) લાવવાનું વિચારી રહી છે, જેમનો દર મહિને 15,000 રૂપિયાથી વધુનો બેઝિક પગાર (Basic Salary) મળે છે અને તેઓ તેમની કર્મચારી પેન્શન યોજના 1995 (EPS-95) હેઠળ આવરી લેવામાં આવતા નથી. હાલમાં, સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તે તમામ કર્મચારીઓ કે જેમનો મૂળભૂત પગાર (મૂળભૂત પગાર વત્તા મોંઘવારી ભથ્થું) સેવામાં જોડાતા સમયે 15,000 રૂપિયા પ્રતિ માસ સુધી છે, તેઓ આવશ્યકપણે EPS-95 હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ તેમને જણાવ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યોમાં ઉચ્ચ યોગદાન પર વધુ પેન્શનની માગ છે. તેથી, તે વાત પર જોરશોરથી વિચારણા કરવામાં આવી રહી છે કે તે લોકો માટે નવી પેન્શન યોજના અથવા પ્રોડક્ટને લાવવામાં આવે જેમની માસિક બેઝિક સેલેરી 15,000 રૂપિયાથી વધુ છે.

માર્ચમાં થશે પ્રસ્તાવ પર ચર્ચા

રિપોર્ટ અનુસાર, ગુવાહાટીમાં 11 અને 12 માર્ચે EPFOની મુખ્ય નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોડી ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં નવા પેન્શન પ્રોડક્ટ પરના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. મીટિંગ દરમિયાન, નવેમ્બર, 2021 માં CBT દ્વારા રચવામાં આવેલી પેન્શન સંબંધિત મુદ્દાઓ પરની પેટા સમિતિ પણ તેનો અહેવાલ રજૂ કરશે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એવા EPFO ​​સબસ્ક્રાઇબર્સ છે જેમને 15,000 રૂપિયાથી વધુ માસિક બેઝિક સેલરી મળી રહી છે, પરંતુ તેઓ EPS-95 હેઠળ 8.33 ટકાના ઓછા દરે યોગદાન આપી શકે છે.

આ રીતે તેમને ઓછું પેન્શન મળે છે. EPFOએ 2014માં માસિક પેન્શનપાત્ર બેઝિક પેને 15,000 રૂપિયા સુધી મર્યાદિત કરવા માટે સ્કીમમાં સુધારો કર્યો હતો. 15,000 રૂપિયાની મર્યાદા સેવામાં જોડાવાના સમયે જ લાગુ થાય છે. સંગઠિત ક્ષેત્રમાં વેતન સુધારણા અને ભાવવધારાને કારણે તેમાં 1 સપ્ટેમ્બર 2014 થી 6,500 રૂપિયાથી ઉપર સુધારો કરવામાં આવ્યો હતો.

માસિક બેઝિક પગારની મર્યાદા વધારવાની માગ

બાદમાં માસિક બેઝિક સેલેરી લિમિટ વધારીને 25,000 રૂપિયા કરવાની માગણી કરવામાં આવી હતી અને તેની પર ચર્ચા થઈ હતી, પરંતુ દરખાસ્ત મંજૂર થઈ શકી ન હતી. ઉદ્યોગના અંદાજ મુજબ, પેન્શનપાત્ર વેતનમાં વધારાથી સંગઠિત ક્ષેત્રના 50 લાખ વધુ કામદારો EPS-95ના દાયરામાં આવી શકે છે.

પૂર્વ શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે ડિસેમ્બર 2016માં લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે EPFO ​​એ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ, 1952 હેઠળ કવરેજ માટે વેતન મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

અહેવાલમાં જણાવાયું છે કે જેઓ ઓછું યોગદાન આપવા માટે મજબૂર છે અથવા જેઓ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરી શક્યા નથી તેમના માટે એક નવી પેન્શન પ્રોડક્ટની જરૂર છે કારણ કે સેવામાં જોડાતા સમયે તેમનો માસિક મૂળ પગાર 15,000 રૂપિયાથી વધુ હતો.

આ પણ વાંચો :  સેશેલ્સ જવાની કરો તૈયારી…, હિમાલય વાળા યોગીએ NSE પૂર્વ ચીફ ચિત્રા રામકૃષ્ણને કર્યો હતો ઇમેલ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">