AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી

લોકસભામાં કિસાન રેલ અંગે પૂછવામાં આવેલા સવાલો પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કિસાન રેલ નાના ખેડૂતો માટે ખૂબ સારી અને ફાયદાકારક છે અને તેના કારણે અનાજ અને અન્ય વસ્તુઓનો બગાડ ઘણો ઓછો થયો છે.

15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી
Kisan Rail (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:11 PM
Share

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે કિસાન રેલ  (Kisan Rail) ની સેવા ખેડૂતો અને ખેડૂત સમુદાય તરફથી મળેલી માંગ પર આધારિત હોય છે અને જે ક્ષેત્રના ખેડુતોની માંગ આવશે, તેને પુરી કરવા માટે રેલ્વે સંપુર્ણ રીતે તૈયાર છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં YSRCP સભ્ય તલરી રંગૈયા, NCPના શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ અને BJPના સંઘમિત્રા મૌર્યના પ્રશ્નોના જવાબમાં આ વાત કહી.

YSRCP સભ્ય તલારી રંગૈયાએ લોકસભામાં પૂછ્યું હતું કે કિસાન રેલની વિગતો શું છે? શું તે સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને અત્યાર સુધીની કુલ આવક કેટલી છે? આ સિવાય બીજેપી સાંસદ સંઘમિત્રા મૌર્યએ પૂછ્યું હતું કે દેશમાં અનાજ, પશુધન, શાકભાજી, મકાઈ, ડાંગરના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ મોખરાનું સ્થાન ધરાવે છે, તો કિસાન રેલ રાજ્યોમાંથી ક્યાંથી પસાર થાય છે ?

કિસાનને રેલ્વે દ્વારા નૂર પરિવહન પર 50% સબસિડી મળે છે

લોકસભામાં કિસાન રેલને પૂછવામાં આવેલા આ સવાલો પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કિસાન રેલ નાના ખેડૂતો માટે ખૂબ સારી અને ફાયદાકારક છે અને તેના કારણે અનાજ અને અન્ય વસ્તુઓનો બગાડ ઘણો ઓછો થયો છે. ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી આ રેલ સેવા પર 50 ટકા સબસિડી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કિસાન રેલ દ્વારા પરિવહનનો એકંદર ખર્ચ ટ્રકની સરખામણીમાં ખૂબ જ સ્પર્ધાત્મક છે.

રેલ્વે મંત્રીએ આ આરોપોને નકારી કાઢ્યા કે ખેડૂતો ટ્રેન સાથે જોડાયેલા નથી. તેમણે કહ્યું કે શાકભાજી, ફળો અને અન્ય નાશવંત ચીજવસ્તુઓના પરિવહન માટે સંભવિત સર્કિટ મુખ્યત્વે ખેડૂતો અને ખેડૂત સમુદાય તરફથી મળેલી માંગ પર આધારિત છે. તેમણે કહ્યું કે રેફ્રિજરેટર ધરાવતા કન્ટેનરનો ઉપયોગ શાકભાજી, માછલી વગેરેના પરિવહન માટે થાય છે જ્યારે દૂધના પરિવહન માટે સમાન ટાંકીઓનો ઉપયોગ થાય છે.

રેલવેને 220 કરોડ રૂપિયાની કમાણી થઈ

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કિસાન રેલ 7 ઓગસ્ટ, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન સેવાની શરૂઆતથી એટલે કે 7 ઓગસ્ટ 2020 થી 28 નવેમ્બર 2021 સુધી, ભારતીય રેલ્વેએ 1,642 કિસાન રેલ ચલાવી છે. આ સાથે રેલવેને લગભગ 220 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ પણ વાંચો :  Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">