15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી

લોકસભામાં કિસાન રેલ અંગે પૂછવામાં આવેલા સવાલો પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કિસાન રેલ નાના ખેડૂતો માટે ખૂબ સારી અને ફાયદાકારક છે અને તેના કારણે અનાજ અને અન્ય વસ્તુઓનો બગાડ ઘણો ઓછો થયો છે.

15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી
Kisan Rail (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:11 PM

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union Railway Minister Ashwini Vaishnav) મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે કિસાન રેલ  (Kisan Rail) ની સેવા ખેડૂતો અને ખેડૂત સમુદાય તરફથી મળેલી માંગ પર આધારિત હોય છે અને જે ક્ષેત્રના ખેડુતોની માંગ આવશે, તેને પુરી કરવા માટે રેલ્વે સંપુર્ણ રીતે તૈયાર છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં YSRCP સભ્ય તલરી રંગૈયા, NCPના શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ અને BJPના સંઘમિત્રા મૌર્યના પ્રશ્નોના જવાબમાં આ વાત કહી.

YSRCP સભ્ય તલારી રંગૈયાએ લોકસભામાં પૂછ્યું હતું કે કિસાન રેલની વિગતો શું છે? શું તે સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને અત્યાર સુધીની કુલ આવક કેટલી છે? આ સિવાય બીજેપી સાંસદ સંઘમિત્રા મૌર્યએ પૂછ્યું હતું કે દેશમાં અનાજ, પશુધન, શાકભાજી, મકાઈ, ડાંગરના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ મોખરાનું સ્થાન ધરાવે છે, તો કિસાન રેલ રાજ્યોમાંથી ક્યાંથી પસાર થાય છે ?

કિસાનને રેલ્વે દ્વારા નૂર પરિવહન પર 50% સબસિડી મળે છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લોકસભામાં કિસાન રેલને પૂછવામાં આવેલા આ સવાલો પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કિસાન રેલ નાના ખેડૂતો માટે ખૂબ સારી અને ફાયદાકારક છે અને તેના કારણે અનાજ અને અન્ય વસ્તુઓનો બગાડ ઘણો ઓછો થયો છે. ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી આ રેલ સેવા પર 50 ટકા સબસિડી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કિસાન રેલ દ્વારા પરિવહનનો એકંદર ખર્ચ ટ્રકની સરખામણીમાં ખૂબ જ સ્પર્ધાત્મક છે.

રેલ્વે મંત્રીએ આ આરોપોને નકારી કાઢ્યા કે ખેડૂતો ટ્રેન સાથે જોડાયેલા નથી. તેમણે કહ્યું કે શાકભાજી, ફળો અને અન્ય નાશવંત ચીજવસ્તુઓના પરિવહન માટે સંભવિત સર્કિટ મુખ્યત્વે ખેડૂતો અને ખેડૂત સમુદાય તરફથી મળેલી માંગ પર આધારિત છે. તેમણે કહ્યું કે રેફ્રિજરેટર ધરાવતા કન્ટેનરનો ઉપયોગ શાકભાજી, માછલી વગેરેના પરિવહન માટે થાય છે જ્યારે દૂધના પરિવહન માટે સમાન ટાંકીઓનો ઉપયોગ થાય છે.

રેલવેને 220 કરોડ રૂપિયાની કમાણી થઈ

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કિસાન રેલ 7 ઓગસ્ટ, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન સેવાની શરૂઆતથી એટલે કે 7 ઓગસ્ટ 2020 થી 28 નવેમ્બર 2021 સુધી, ભારતીય રેલ્વેએ 1,642 કિસાન રેલ ચલાવી છે. આ સાથે રેલવેને લગભગ 220 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ પણ વાંચો :  Mera Ration App ની મદદથી રેશન કાર્ડને લગતી તમામ સમસ્યાઓ થશે દૂર, કાર્ડ ધારકોને મળશે આ સુવિધાઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">