૩૦ સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્નની ચકાસણી પૂર્ણ કરી લેજો, નહી તો મુકાશો મુશ્કેલીમાં, જાણો રિટર્ન વેરિફિકેશની પ્રક્રિયા
એસેસમેન્ટ યર 2015-16 થી 2019-20 આવકવેરો ફાઇલ બાદ ચકાસણીની સમયમર્યાદા ચુકી જનાર માટે આવકવેરા વિભાગે રાહત આપી છે. આવકવેરા વિભાગે વેરિફિકેન ન કરવાથી સંભવિત સમસ્યાથી ટાળવાની ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યો છે. કરદાતા જેમણે આકારણી વર્ષ 2015-16 થી લઈ 2019-20 ના ઇ-ફાઇલ કરેલા રિટર્નની ચકાસણી કરી નથી તે આ સમયમાં વેરિફિકેશ પ્રોસેસ પૂર્ણ કરી શકે […]
રિટર્ન ચકાસણીના વિકલ્પ 1, આધાર ઓટીપી દ્વારા 2, નેટ બેન્કિંગ દ્વારા ઇ-ફાઇલિંગ ખાતામાં login કરીને 3, ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા
આધાર ઓટીપી દ્વારા કેવી રીતે ચકાસણી કરવી આધાર ઓટીપી દ્વારા વેરિફિકેશ માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in માં જવું પડશે. પોર્ટલ ઉપર આધારને PAN સાથે લિંક રાખવું જરૂરી છે જો તેમ ન કરાયું હોય તો કરી લેવું જોઈએ. હવે લોગીન કરી My Account માં પ્રવેશ કરવો. ઇ-વેરિફિકેશન લિંક પર ક્લિક કરી બેંક આધાર ઓટીપી વિકલ્પનો ઉપયોગ કરીને ઇ-વેરિફાય રીટર્ન પસંદ કરવુ. આ નિર્દેશ અનુસરવાથી ઓટીપી જનરેટ થશે, જે સીધો નોંધાયેલા મોબાઇલ ફોન પર આવશે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઓટીપી એડ કરાયા બાદ વેરિફિકેશન પૂર્ણ કરી શકાશે.
નેટ બેન્કિંગ દ્વારા ચકાસણી ઇન્ટરનેટ બેંકિંગ ખાતામાં login કરવું. આ પછી, વેબ પેજ ઉપર બેંક દ્વારા આપવામાં આવેલી income tax e-filing લિંક પર ક્લિક કરવું. રિટર્ન ચકાસણી કરવા માટે ઈ-વેરિફિકેશન લિંક પર ક્લિક કરી ચકાસણી પૂર્ણ કરી શકાશે.
ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા ચકાસણી