AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defence Budget 2023: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 5.93 લાખ કરોડ રુપિયાના સંરક્ષણ બજેટની જાહેરાત, જાણો ગત વર્ષ કરતા કેટલા વધારે બજેટની ફાળવણી

Budget 2023 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા.

Defence Budget 2023: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે  5.93 લાખ કરોડ રુપિયાના સંરક્ષણ બજેટની જાહેરાત, જાણો ગત વર્ષ કરતા કેટલા વધારે બજેટની ફાળવણી
Union Budget 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 1:31 PM
Share

Union Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે, ફેબ્રુઆરી 1 ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે પણ બજેટ ફાળવવામાં આવ્યુ છે. 5.93 લાખ કરોડના સંરક્ષણ બજેટની જાહેરાત કરી. જે ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 13 ટકા વધુ છે. આ વખતે સંરક્ષણ બજેટમાં સરકારે નવા હથિયારોની ખરીદી, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત માળખાકીય સુવિધાઓ અને ‘આત્મનિર્ભર ભારત’ પર ખૂબ ભાર મૂક્યો છે. સરકારે સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે છેલ્લા લગભગ 2 વર્ષથી પૂર્વીય સરહદ પર ચીન સાથે મડાગાંઠ ચાલી રહી છે.

ગત બજેટમાં સંરક્ષણ બજેટ ₹5.25 લાખ કરોડ હતું

કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષ એટલે કે 2022-23 માટે સંરક્ષણ ક્ષેત્ર માટે 5.93લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ સરકારના કુલ બજેટના લગભગ 13.31% અને દેશના કુલ GDPના 2.9% જેટલું હતું. સંરક્ષણ બજેટનો અડધો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કુલ સંરક્ષણ બજેટમાંથી રૂ. 1.63 લાખ કરોડ (31%) પગાર અને રૂ. 1.19 લાખ કરોડ (23%) પેન્શનમાં જશે.

પ્રોત્સાહિત કરવા માટે 68% સંરક્ષણ ઉપકરણો સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે સંરક્ષણ ક્ષેત્રને લગતા સંશોધન અને વિકાસ (R&D) માટે રૂ. 18,440 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય ખર્ચ માટે લગભગ 38,714 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું હતુ કે, ભારતની સિદ્ધિઓને આજે વિશ્વ વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ છે. તો વધુમાં તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.’

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">