Union Budget 2021: કોરોનાની માર વચ્ચે યુનિયન બજેટથી દેશવાસીઓને અનેક આશાઓ, જાણો બજેટની 10 મુખ્ય અપેક્ષાઓ

સંસદનું બજેટ સત્ર (Budget Session) 29 જાન્યુઆરીથી શરૂ થશે. સત્ર દરમિયાન નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ(Union Budget 2021) 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે.

Union Budget 2021: કોરોનાની માર વચ્ચે યુનિયન બજેટથી દેશવાસીઓને અનેક આશાઓ, જાણો બજેટની 10 મુખ્ય અપેક્ષાઓ
FM Nirmala Sitharaman (File Image)
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:55 AM

સંસદનું બજેટ સત્ર (Budget Session) 29 જાન્યુઆરીથી શરૂ થશે. સત્ર દરમિયાન નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ(Union Budget 2021) 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. લોકસભા સચિવાલયના નિવેદન મુજબ બે ભાગમાં બજેટ સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આગામી બજેટમાં આ અપેક્ષાઓ છે:

1. હાલમાં આવકવેરા અધિનિયમ 80 CCE હેઠળ, કલમ 80C , 80CCC અને 80CCD(1) હેઠળ વર્ષે રૂ 1.50 લાખની આવક પર આવકવેરામાંથી મુક્તિ છે. લોકો અપેક્ષા કરી રહ્યા છે કે નાણાં પ્રધાન તેને વધારીને 2.5 લાખ કરે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

૨. આ બજેટથી લોકોને આશા છે કે મૂડી લાભને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ જોગવાઈથી મુક્તિ મળશે અને કોઈ ચોક્કસ વર્ષ માટે કોઈ સંદર્ભ રહે નહીં.

3. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) ખાતું બંધ થવા પર ઉપાડની રકમમાંથી માત્ર 60 ટકા જ ટેક્સમાંથી છૂટ મળે છે. લોકોની માંગ છે કે NPS માંથી ઉપાડની સંપૂર્ણ રકમ ટેક્સ મુક્ત હોવી જોઈએ.

4. બીજા દેશમાં કર કપાતને કરદાતાની આવક માનવી જોઈએ. આવકવેરા કાયદાની કલમ 198 હેઠળ, જો વિદેશમાં કર કપાત કરવામાં આવે છે, તો તે આકારણીની કુલ આવક તરીકે માનવી જોઈએ.

5. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને દૂર કરવા માટે ઘણા સુધારાઓની જરૂર છે.

6. મલ્ટીનેશનલ કંપનીઓને પણ આ બજેટથી કોર્પોરેટ ટેક્સમાં રાહત મળે તેવી અપેક્ષા છે.

7. જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા પણ 2021-22 ના બજેટથી ઘટાડવાની ધારણા છે. જાહેર ક્ષેત્રની બેંકોને બજેટમાં મર્જ કરવાની જાહેરાત પણ થઈ શકે છે.

૮. એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં Vehicle Scrappage Policy ની ઘોષણા થઈ શકે છે, તેનો હેતુ માંગને પ્રોત્સાહિત કરીને જુના, પ્રદૂષિત વાહનોને દૂર કરવાનો છે.

9. આ બજેટમાં સરકાર રેલવેમાં ખાનગી રોકાણ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

10. દેશનો વેપારી વર્ગ સામાન્ય બજેટમાં GST માં ઘટાડો અને વેપાર ધમધમતો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની આશા રાખે છે.

આ પણ વાંચો: INDvsAUS: ઓસ્ટ્રેલીયાનો ભારત સામે પ્રથમ દાવ 369 રને સમેટાયો, નટરાજન, સુંદર અને ઠાકુરે 3-3 વિકેટ ઝડપી

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">