AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ

ભારતમાં, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી, તમે દરેક જગ્યાએ હનુમાનજીની પૂજા કરતા લોકોને જોશો, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે

ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ
Hanuman (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 10:29 AM
Share

કળિયુગમાં ભગવાન હનુમાનજી (Lord Hanuman) સૌથી વધુ પૂજાય છે. ભક્તો હનુમાનજી શક્તિ, સંકટમોચક, પવનપુત્ર અને બજરંગબલી વગેરે નામોથી બોલાવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનું નામ લેવાથી મોટી મોટી મુશ્કેલી ટળી જાય છે. અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા ભગવાન હનુમાનજી જ્યાં પણ ગયા, તે તમામ સ્થાનો એક મોટા તીર્થસ્થળ તરીકે ઓળખાય છે. જેમના દર્શન અને પૂજા ( Pooja) ને શુભ માનવામાં આવે છે, પરંતુ આનાથી ઉલટુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં ભગવાન હનુમાનની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીથી નારાજ લોકો આજે પણ આ જગ્યાએ તેમની પૂજા નથી કરતા.

અહીં હનુમાનજીની પૂજા કરવામાં આવતી નથી

ઉત્તરાખંડના ચમોલી સ્થિત દુનાગીરી ગામ વિશે એવું માનવામાં આવે છે કે આ તે જગ્યા છે જ્યાં રામાયણ કાળમાં બેભાન થઈ ગયેલા લક્ષ્મણની સારવાર માટે ભગવાન હનુમાન એક વખત સંજીવની બુટી લેવા આવ્યા હતા. રામાયણ કાળમાં હનુમાનજીએ જ્યાં મુલાકાત લીધી હતી તે સ્થાનો આજે પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, પરંતુ આ સ્થાન પર આવવા છતાં અહીંના લોકો શ્રી રામના વિશિષ્ટ ભક્ત અને સેવક ગણાતા શ્રી હનુમાનજીની પૂજા કરતા નથી. આ ગામમાં તમને હનુમાનજીની પૂજા માટેનું મંદિર પણ જોવા નહી મળે ના તો આ ગામમાં તમને કોઈ હનુમાન ભક્ત જોવા નહીં મળે.

આ કારણથી જ હનુમાનજીની પૂજા થતી નથી

એવું માનવામાં આવે છે કે જ્યારે રામાયણ કાળમાં લક્ષ્મણજી મેઘનાથના બાણથી બેહોશ થઈ ગયા ત્યારે વૈદ્યએ તેમની સારવાર માટે તેમની પાસે સંજીવની બુટીની માંગણી કરી હતી. ત્યારબાદ શ્રી હનુમાનજી સંજીવની બુટીની શોધમાં હિમાલય પર્વતમાળામાં આ સ્થાન પર આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સમયે આ ગામની એક મહિલાએ તેમને સંજીવની બુટી સાથે જોડાયેલ પર્વતનો ભાગ બતાવ્યો હતો, જ્યાં તે મોટી માત્રામાં ઉગાડતી હતી. આ પછી પણ જ્યારે હનુમાનજીને અહીંની સંજીવની બુટીની સમજ ન પડી તો તેમણે આખા પર્વતના તે ભાગને ઉખાડીને પોતાની સાથે લઈ ગયા. ત્યારથી અહીંના લોકો શ્રી હનુમાનજીથી ખૂબ નારાજ છે અને ક્યારેય તેમની પૂજા કરતા નથી. આજે પણ આ ગામમાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે.

આ પણ વાંચો :Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 34,113 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં ઘટાડો થયો

આ પણ વાંચો :Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">