AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા

સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલા કરતા 16 વર્ષ નાની તેની બહેન મધુર ભૂષણે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાંમધુબાલા અને દિલીપ કુમારની લવ સ્ટોરી વિશે ખુલીને ચર્ચા કરી. આ સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ પણ શેર કહી હતી.

Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા
Dilip kumar and Madubala (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:25 AM
Share

બોલિવૂડમાં એવી ઘણી વાતો છે જેનાથી સામાન્ય માણસ વંચિત રહે છે. આ ફિલ્મી દુનિયામાં પ્રેમ કહાની પર દર વર્ષે ઘણી ફિલ્મો બને છે, પરંતુ તે ફિલ્મોને વાસ્તવિકતા સાથે કોઈને કોઈ સંબંધ હોય છે. વીતેલા જમાનાની જાણીયાતી અભિનેત્રી મધુબાલાની ( Madhubala) લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ હતી. તે સમયે તેમના અને દિલીપ કુમારના પ્રેમ સંબંધની ચર્ચાઓ થતી હતી પરંતુ તેમનો પ્રેમ સાકાર થયો ન હતો. તેમની સફર માત્ર 9 વર્ષ ચાલી હતી. એક ઈન્ટરવ્યુમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલા કરતા 16 વર્ષ નાની તેની બહેન મધુર ભૂષણે મધુબાલાની અને દિલીપ કુમારની (Dilip Kumar) પ્રેમ કહાનીની ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. આ સાથે સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ પણ શેર કરી. તેમણે કહ્યું કે જ્યારે મધુબાલાનું અવસાન થયું ત્યારે દિલીપ કુમાર તેમના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હતું.

મધુબાલાની બહેન મધુર ભૂષણે ઘણા ખુલાસા કર્યા

દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચેના સંબંધો વિશે ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેમની પાસે આજની તારીખે ઘણી એવી વાતો છે, જે બહુ ઓછા લોકો જાણે છે. મધુબાલાની બહેન મધુર ભૂષણે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેને ક્યારેય ભૂલી ના હતી. હકીકતમાં જ્યારે મધુબાલા બીમાર હતી ત્યારે દિલીપકુમાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પણ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે તેઓ ફરીથી સાથે કામ કરશે. ત્યારે તેના લગ્ન થયા ન હતા. તેમના લગ્ન પછી, તેઓ ક્યારેય મળ્યા નથી. તેઓ કબ્રસ્તાનમાં આવ્યા પરંતુ અંતિમ સંસ્કાર થયા. તેનો પરિવાર પણ આવ્યો હતો. તેઓએ અમને આગામી ત્રણ દિવસ માટે જમવાનું મોકલ્યું હતું. તે આદર હતો અને દુશ્મનાવટ નહીં.

દિલીપ કુમારને મધુબાલાના પિતા સાથે અણબનાવ હતો

તેણીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે મધુબાલાએ દિલીપ કુમારને તેના પિતાની માફી માંગવા કહ્યું હતું કારણ કે બીઆર ચોપરાએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. તેના પિતાએ મધુબાલાને ગ્વાલિયરમાં ‘નયા દૌર’ના શૂટિંગ માટે દિલીપ કુમાર સાથે સામેલ થવાની રજા આપી ના હતી. તેણે કહ્યું કે દિલીપ સાહેબ તે પછી ઘરે આવ્યા હતા અને હા મધુબાલાએ તેમને અમારા પિતાને ‘સોરી’ કહેવા કહ્યું હતું. પણ દિલીપ સાહેબે તેમને ‘જુલમી અને મુશ્કેલ’ કહ્યા હતા. મધુબાલાએ દિલીપ સાહેબને યાદ કરાવ્યું કે તેમણે ક્યારેય તેમની સાથે આવું વર્તન કર્યું નથી. મારા પિતા દિલીપ કુમારને પસંદ કરતા હતા. જો તેઓ દિલીપ કુમારને પસંદ ન કરતા હોય તો શું તેમણે તેમની પુત્રીની લવસ્ટોરી માટે તેમની સંમતિ આપી હોત?

મધુબાલાના લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા

તમને જણાવી દઈએ કે, 1957માં મધુબાલાના હૃદયમાં છિદ્ર હોવાનું જાણવા મળ્યું હતું. તે 1960માં સારવાર માટે લંડન જવાની હતી. કિશોર કુમારે તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ લગ્ન કરી લીધા. મધુબાલાનું 36 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ કુમારનું ગયા વર્ષે જુલાઈમાં 98 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને જુહુના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમના લગ્ન પ્રખ્યાત અભિનેત્રી શાયરા બાનો સાથે થયા હતા.

આ પણ વાંચો : UP Election 2022: 14 ફેબ્રુઆરીએ 9 જિલ્લાની 55 વિધાનસભા બેઠકો પર મતદાન, 2.2 કરોડ મતદારો 586 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે

આ પણ વાંચો : દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રીની યુવાનોને અપીલ- ઝડપથી રસીકરણ કરાવો

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">