AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

સૂર્ય દેવને આપણા શાસ્ત્રોમાં સાક્ષાત દેવ તરીકે માનવામાં આવે છે. સૂર્ય દેવના એક મંત્રના જાપ માત્રથી થશે સંતતિની કામનાની પૂર્તિ. સૂર્ય દેવના મંત્રના જાપ માત્રથી પૂરી થાય છે દરેક મનોકામના.

એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર
સૂર્ય દેવ
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:16 AM
Share

સૂર્ય (Sun) એ સંસારની ચેતના છે. સૂર્ય છે તો પૃથ્વી પર ઉર્જા છે. સૂર્ય દેવની પૂજાથી વ્યક્તિને યશ અને કિર્તીની પ્રાપ્તિ થાય છે. તો સૂર્ય દેવની કૃપાથી જ વ્યક્તિના જીવનમાં શક્તિનો સંચાર થાય છે. સૂર્ય દેવને આપણા શાસ્ત્રોમાં સાક્ષાત દેવ તરીકે માનવામાં આવે છે. રવિવાર એતો સૂર્ય દેવની ઉપાસના માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આમ તો સૂર્ય દેવનું એક નામ રવિ પણ છે. પણ શું તમે જાણો છો કે સૂર્ય દેવના એક મંત્રના જાપ માત્રથી થશે સંતતિની કામનાની પૂર્તિ ?

માન્યતા છે કે સૂર્ય દેવના પત્ની દેવી રાંદલ સંતાન સુખના આશિર્વાદ આપે છે. પણ આજે તો અમે આપને જણાવીશું સૂર્ય દેવનો એક એવો મંત્ર કે જેનાથી વ્યક્તિની સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આવો જાણીએ સંતાન પ્રાપ્તિ કરાવતો સૂર્ય દેવનો મંત્ર.

“ૐ ઓમ ભાસ્કરાય પુત્રં દેહિ મહાતેજસે ધીમહી તન્ન: સૂર્ય પ્રચોદયાત્ ।”

કહે છે કે આ મંત્રનો જો નિયમિત જાપ કરવામાં આવે તો ઘરમાં બાળકની કિલકારી ગુંજે છે. એટલે કે માત્ર એક મંત્રનો નિયમિત જાપ આપની સંતાન પ્રાપ્તિની કામનાને પૂર્ણતા પ્રદાન કરી શકે છે.

આ સિવાય શાસ્ત્રોમાં સૂર્ય દેવનો ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપ દ્વારા પણ આપ રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો. અને સાથે જ આપના કામ આડે આવતી પરેશાનીને દૂર પણ કરી શકો છો. કારણકે સૂર્ય દેવ એ યશનો કારક માનવામાં આવે છે. સૂર્ય દેવનો આ મંત્ર નિયમિત કરવા જોઈએ. ત્યારે નોંધીલો ગાયત્રી મંત્ર કે જેના જાપ માત્રથી આપની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.

“ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય પ્રચોદયાત”

કહેવાય છે કે સૂર્ય દેવને નિયમિત નમન કરવું જોઈએ. કેટલીક વાર એવું બનતું હોય છે કે કોઈ ખાસ ઉપાય કે ચોક્કસ મંત્રના જાપ આપણે નિયમિત ન કરી શકીએ. તો પણ સૂર્ય દેવને નિયમિત જળ ચઢાવવાનું અને નમન કરવાનું ન ભૂલવું જોઈએ. કારણકે સૂર્ય છે તો જ સંસાર ચેતનવંતુ છે. સૂર્ય છે તો જ ઉર્જા છે અને સૂર્યદેવ થકી જ શક્તિ છે.

આ પણ વાંચો: વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ

આ પણ વાંચો: 10 સરળ ઉપાય પ્રાપ્ત કરાવશે કષ્ટભંજનની કૃપા ! જાણો પવનસુતને પ્રસન્ન કરવાની વિધિ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">