AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમવાર શા માટે મહાદેવને સમર્પિત, સોમવારને ચંદ્રદેવ સાથે શું સંબંધ છે, વાંચો સંપૂર્ણ વિગત

Shiv puja : હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે ,એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે પૂર્ણ વિધિથી તેમની પૂજા કરવી જોઈએ. પરંતુ સવાલ એ છે કે સોમવારને મહાદેવની પૂજા માટે આટલો શુભ કેમ માનવામાં આવે છે?

સોમવાર શા માટે મહાદેવને સમર્પિત, સોમવારને ચંદ્રદેવ સાથે શું સંબંધ છે, વાંચો સંપૂર્ણ વિગત
Lord Shiv Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 12:58 PM
Share

Shiv Puja: ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે, માન્યતા છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિવ શંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોલેનાથની પૂજા કરવાથી જે તમારા ભાગ્યમાં નથી તે પણ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ આનું કારણ શું છે? સોમવાર વિશે શું ખાસ છે કે આ દિવસ શિવ શંભુની પૂજા માટે સમર્પિત છે.

સોમવાર એટલે કે ભોલેનાથનો દિવસ, આ દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની ઝોળીઓ ખુશીઓથી ભરી દે છે. અઠવાડિયાના સાત દિવસોમાં સોમવાર શા માટે ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે? તેનું અડધું રહસ્ય આ દિવસના નામમાં જ છુપાયેલું છે. સોમવારમાં સોમ એટલે ચંદ્ર જે સ્વયં ભગવાન શિવના જટામાં છે. સોમનો બીજો અર્થ પણ સૌમ્ય છે અને ભોલેનાથ સૌમ્ય સ્વભાવના માનવામાં આવે છે.

સોમવારના નામમાં એક અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. જ્યારે આપણે સોમવારનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે તેમાં ऊँ (om) પણ આવે છે. સોમવારમાં ઓમનો પણ સમાવેશ થાય છે અને શિવ શંભુ સ્વયં ઓમકાર છે તેથી આ દિવસ વધુ મહત્વનો બની જાય છે.

આ છે દંતકથા

તેની પાછળ સનાતન ધર્મની પૌરાણિક કથા પણ છે. કથા મુજબ આ દિવસે ચંદ્રદેવે મહાદેવની પૂજા કરી હતી અને મહાદેવે પ્રસન્ન થઈને ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્ત કર્યા હતા. આ કારણોસર, સોમવાર ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. અન્ય એક વાર્તામાં એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોલેનાથને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને 16 સોમવારનું વ્રત પણ રાખ્યું હતું. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે અપનાવ્યા હતા. ત્યારથી આ દિવસે વ્રત રાખવાની ઘણી માન્યતા છે.

પૂજા પદ્ધતિ

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો. આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર, ફૂલ, ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો. આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો. ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરો અને પાર્વતી ચાલીસાનો પાઠ કરો. અંતે ભગવાન શિવની આરતી કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
g clip-path="url(#clip0_868_265)">