Vastu Tips: જાણો આખરે ક્યા વાસ્તુ દોષને કારણે ઊભી થાય છે આર્થિક મુશ્કેલીઓ
તમારી સંપત્તિ, વૈભવ, સુખ, સંપત્તિ અને સ્વાસ્થ્યને અસર કરતા આવા વાસ્તુ દોષો અને તેમને સંબંધિત ઉપાયો વિશે જાણીએ.
Vastu Tips: જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે કે, ઘરના વડાને વિવિધ સ્રોતોમાંથી ઘણી આવક હોય છે, પરંતુ તેની પાસે બિલકુલ પૈસા ટકતા નથી અને અમુક લોકોના કમાયેલા નાણાં ઘરે તો પહોચી જાય છે, પરંતુ તે પૈસાનું સુખ પોતે ભોગવવાને બદલે અન્ય લોકો લાભ લેતા હોય છે.
જો તમારી સાથે પણ આવું થાય છે, ત્યારે તમારે પહેલા તમારા ઘરમાં વાસ્તુ દોષની જાણકારી મેળવવી જોઈએ. તમારી સંપત્તિ, વૈભવ, સુખ, સંપત્તિ અને સ્વાસ્થ્યને અસર કરતા આવા વાસ્તુ દોષો અને તેમને સંબંધિત ઉપાયો વિશે જાણીએ.
1 વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે ઘરોમાં પૈસા ટકતા નથી, તેમણે સૌથી પહેલા પોતાના ઘરના પાણી સાથે જોડાયેલી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરની સંપત્તિ ટકી રહે, તો તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમારા ઘરમાં નળ, પાઈપ વગેરેમાંથી પાણી ટપકતું નથી કે ક્યાંય વહી જતું નથી.
2 વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે ઘરની ઉત્તર દિશામાં કૂવો, બોર હોય અથવા પાણી માટે નળ હોય , તો તે ઘરની લક્ષ્મી અન્ય લોકો પાસે જાય છે અને ઘરના માલિકને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
3 ઘરની અંદર પાણી માટે નળ હંમેશા ઉત્તર-પૂર્વમાં બનાવવો જોઈએ. આ સ્થાન પર નળ લગાવવાથી શુભ ફળ મળે છે.
4 વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ ઘરની જમીનનો ઢાળ હંમેશા પૂર્વ અને ઉત્તર દિશામાં હોવો જોઈએ. આ કારણે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને ઘરના લોકો સ્વસ્થ રહે છે.
5 વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની સામે પૂર્વમાં બાંધવામાં આવેલા વરંડાની છત પૂર્વ તરફ ઝુકાવવી જોઈએ. આમ કરવાથી ઘરના પુરુષોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને તેમને સમાજમાં ઘણું માન -સન્માન મળે છે.
6 વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલીને પણ ક્યારેય ઈશાનમાં શૌચાલય ન બનાવવું જોઈએ, નહીં તો આ વાસ્તુ દોષને કારણે ઘરના માલિકની કુટુંબ વૃદ્ધિ અટકી જાય છે. છતાં પણ જો યેન-કેન પ્રકારે બાળક જન્મે છે તો તો પણ તે પરિવારનું નામ ખરાબ કરનાર થાય છે.
નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.