AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: આ વસ્તુઓ ગુડલકને પણ બેડલકમાં બદલી શકે છે, આજે જ તેને ઘરમાંથી કરો દૂર

વાસ્તુમાં કેટલીક એવી વસ્તુઓ કહેવામાં આવી છે, જેને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. આ કારણે વ્યક્તિને જીવનમાં દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તે વસ્તુઓ વિશે અહીં જાણો અને જો તે તમારા ઘરમાં છે, તો તેને તરત જ દૂર કરો.

Vastu Tips: આ વસ્તુઓ ગુડલકને પણ બેડલકમાં બદલી શકે છે, આજે જ તેને ઘરમાંથી કરો દૂર
Vastu Tips (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 12:09 AM

વાસ્તુશાસ્ત્ર (Vastushastra) એ જ્યોતિષ (Astrology) ની એક મહત્વપૂર્ણ શાખા છે. આમાં ઘરની તમામ વસ્તુઓને દિશા અનુસાર બનાવવા અને રાખવાનું કહેવામાં આવ્યું છે. ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી પણ શુભ અને અશુભ કહેવાય છે (Vastu Dosh). એવું માનવામાં આવે છે કે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને દરેક કામ સરળતાથી પૂર્ણ થાય છે. પરંતુ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમારું ભાગ્ય તમારા પર નારાજ થઈ જાય છે. તેથી ઘરમાં ક્યારેય પણ વાસ્તુના નિયમોની અવગણના ન કરવી જોઈએ. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ખરાબ નસીબ લાવે છે. જેના કારણે ઘરમાં પરેશાનીઓ વધે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિમાં અવરોધ આવે છે. જો આવી વસ્તુઓ તમારા ઘરમાં છે તો આજે જ તેને ઘરમાંથી હટાવી દો.

યુદ્ધ ચિત્રો

વાસ્તુ અનુસાર, એવી કોઈપણ તસવીર જેમાં યુદ્ધની સ્થિતિ દર્શાવવામાં આવી હોય તે ઘરમાં ન રાખવી જોઈએ. રામાયણ અને મહાભારતના આવા ચિત્રો ઘરમાં ન હોવા જોઈએ. તેઓ નકારાત્મકતા લાવે છે. જેના કારણે પરિવાર વચ્ચે ઝઘડાની સ્થિતિ સર્જાય છે.

કાંટાદાર છોડ

જો તમારા ઘરમાં કાંટાવાળો છોડ છે તો તેને પણ કાઢી નાખો. ઘરમાં રહેલો કાંટાળો છોડ દરેક કામમાં દખલ કરે છે અને પરસ્પર સંબંધો બગાડે છે. માત્ર ગુલાબને અપવાદ માનવામાં આવે છે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

તૂટેલા કાચની વસ્તુઓ

તૂટેલા કે તિરાડવાળા કાચ, કાચમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જે તૂટેલી હોય અથવા તેમાં તિરાડ પડી હોય તો તેને ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. તૂટેલા કાચને ઘરમાં રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ભગવાનની તૂટેલી મૂર્તિ પણ ઘરમાં ન રાખવી જોઈએ.

તાજમહેલની તસવીર

લોકો વારંવાર ઘરમાં તાજમહેલના ચિત્રો વગેરે રાખે છે અને અન્યને ભેટ પણ આપે છે. તેમને ઘરમાં ન રાખવા જોઈએ. તાજમહેલમાં એક કબર છે, જેને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે.

આ ચિત્રો પણ મૂકશો નહીં

ડૂબતી હોડી, ફળના ઝાડ, તલવાર લહેરાવતા, કેદમાં પડેલા હાથી, રડતા કે દુઃખી લોકો, શિકારના દ્રશ્યો વગેરેની તસવીરો ઘરમાં લગાવવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય બેડરૂમમાં પ્રાણીઓ કે પક્ષીઓના ચિત્રો ન હોવા જોઈએ. આ સિવાય ઘરમાં સાપ, ગરુડ, ઘુવડ, ચામાચીડિયા, ગીધ વગેરેના ચિત્રો ન રાખવા જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા

આ પણ વાંચો: Mahashivratri: મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !

g clip-path="url(#clip0_868_265)">