Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શું તમારે ઘરની નકારાત્મકતા દૂર કરવી છે? તો વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘરની લાઇટિંગ

જો તમે કલરફુલ લાઈટો લગાવવા ઈચ્છો છો, તો તમે તેને ઘરના મંદિરમાં (Temple) લગાવી શકો છો, તેને અન્ય કોઈ ભાગમાં લગાવશો નહીં, નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. તેનાથી તમારી એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને મન શાંત નથી રહેતું.

Vastu Tips: શું તમારે ઘરની નકારાત્મકતા દૂર કરવી છે? તો વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘરની લાઇટિંગ
Home Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 2:00 PM

આપણે ઘર કે ફ્લેટ ખરીદીએ છીએ ત્યારે તેમાં આંતરિક સુશોભન (Interior Decoration) કરવામાં આવે છે અને વિવિધ જગ્યાઓ પર ઘણા પ્રકારની લાઇટિંગ જેવી કે ઝુમ્મર, સાઇડ લેમ્પ્સ, ડાન્સિંગ લાઇટ વગેરે સ્થાપિત કરવામાં આવે છે. લાઈટ માત્ર ઘરને રોશન કરતી નથી, પરંતુ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ કરે છે. વાસ્તુશાસ્ત્રના (Vastu Shastra) નિયમો સૂર્યપ્રકાશ પર આધારિત હોવાથી આવી સ્થિતિમાં ઘરની કૃત્રિમ રોશની અંગે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી ઘરની નકારાત્મકતા દૂર થઈ શકે. અહીં જાણો વાસ્તુ અનુસાર ઘરની કઈ દિશામાં લેમ્પ અને બલ્બ વગેરે લગાવવાથી તમારા ઘરમાં ખુશીઓ રહે છે.

મંદિર સિવાય ક્યાંય પણ કલરફુલ લાઈટો ન લગાવવી

જો તમે કલરફુલ લાઈટો લગાવવા ઈચ્છો છો, તો તમે તેને ઘરના મંદિરમાં લગાવી શકો છો, તેને અન્ય કોઈ ભાગમાં લગાવશો નહીં, નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. તેનાથી તમારી એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને મન શાંત નથી રહેતું. મંદિરમાં રંગીન લાઇટ સિવાય તમે ઝીરો બલ્બનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરના અન્ય ભાગમાં આછો સફેદ રંગનો લેમ્પ લગાવવો જોઈએ. જેના કારણે ઘરમાં શાંતિ રહે છે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે.

લિવિંગ રૂમની પશ્ચિમ દિશામાં લાઈટ ન લગાવો

ઘર કે લિવિંગ રૂમની પશ્ચિમ દિશામાં ક્યારેય લાઈટ લગાવવી જોઈએ નહીં. આ દિશા સિવાય તમે ઇચ્છો તો ગમે ત્યાં લાઇટિંગ કરાવી શકો છો. હોલ અથવા લિવિંગ રૂમની ઉત્તર દિશામાં ટ્યુબ લાઇટ લગાવવી સારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં શાંતિ રહે છે અને ઝઘડા ઓછા થાય છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

બેડરૂમમાં લાઇટિંગની દિશા

બેડરૂમમાં કપલ્સ વચ્ચે વધુ સારું બોન્ડિંગ બનાવવા માટે તમારે બેડની સામેની દિવાલ પર લાઇટિંગ કરવી જોઈએ. તે ભાગ્યશાળી માનવામાં આવે છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચેના સંબંધો સારા રહે છે. નકારાત્મકતા દૂર રહે છે. આપણે દક્ષિણ દિશામાં લાઇટ લગાવવાનું ટાળવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

કિચનની પૂર્વ દિશામાં લાઈટ હોવી જોઈએ

રસોડાની પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે જો રસોડાની પૂર્વ દિશામાં બલ્બ લગાવવામાં આવે તો ઘરમાં ધન અને ધાન્યની કમી નથી રહેતી. આ સિવાય વાસ્તુ નિયમો અનુસાર સાંજ પછી થોડીવાર માટે ઘરની તમામ લાઈટો પ્રગટાવીને ઘરને રોશનીથી પ્રકાશિત કરવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">