AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 સ્તંભો પર ટકેલું છે આ ભવ્ય મંદિર: દીવાલ વગરની અદભૂત રચના, જ્યાં ત્રણ દેવ છે બિરાજમાન!

તેલંગાણાના હનમકોંડામાં આવેલું 'રુદ્રેશ્વર સ્વામી મંદિર' સ્થાપત્યકળાનો બેનમૂન નમૂનો છે. 1000 સ્તંભો પર ટકેલા આ મંદિરની વિશેષતા એ છે કે અહીં બ્રહ્માંડની ત્રણ મોટી શક્તિઓ – શિવ, વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા એક જ છત નીચે થાય છે. જાણો આ ઐતિહાસિક 'ત્રિકુટાલયમ' ની ખાસ વાતો.

1000 સ્તંભો પર ટકેલું છે આ ભવ્ય મંદિર: દીવાલ વગરની અદભૂત રચના, જ્યાં ત્રણ દેવ છે બિરાજમાન!
Image Credit source: indiano.travel-telangana360
| Updated on: Feb 21, 2026 | 9:28 PM
Share

ભારતના ખૂણેખૂણે રહસ્ય અને ભક્તિથી ભરેલા મંદિરો આવેલા છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં શિવ અને વિષ્ણુના અલગ-અલગ મંદિરો જોવા મળે છે, પરંતુ તેલંગાણાના હનમકોંડામાં એક એવું મંદિર છે જે પોતાની અનોખી વાસ્તુકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ‘હજાર સ્તંભ મંદિર’ અથવા ‘રુદ્રેશ્વર સ્વામી મંદિર’ તરીકે ઓળખાય છે.

દીવાલ વગરનું મંદિર: સ્તંભોનો છે જાદુ

આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે સ્તંભો પર ટકેલું છે, અહીં કોઈ પરંપરાગત દીવાલો નથી. મંદિરની બનાવટ એવી છે કે કેટલાક સ્તંભો સીધી રીતે જોઈ શકાય છે, જ્યારે કેટલાક સ્તંભો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે જે દીવાલ જેવો આકાર ધારણ કરે છે. 12મી સદીમાં ચાલુક્ય શૈલીમાં નિર્મિત આ મંદિર તારા (Star Shape) ના આકારમાં બનેલું છે.

ત્રિકુટાલયમ: ત્રણ શક્તિઓનો સંગમ

આ દેશનું એવું પ્રથમ મંદિર છે જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન સૂર્ય પણ એક જ ગર્ભગૃહમાં બિરાજમાન છે. આ ત્રણેય ગર્ભગૃહોને સામૂહિક રીતે ‘ત્રિકુટાલયમ’ કહેવામાં આવે છે. બ્રહ્માંડને ચલાવતી આ ત્રણ મોટી શક્તિઓના દર્શન એકસાથે કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

બેસાલ્ટ પથ્થરના નંદી અને નકશીકામ

મંદિરના પ્રાંગણમાં કાળા બેસાલ્ટ પથ્થરમાંથી બનેલી વિશાળ નંદી મહારાજની પ્રતિમા અને હાથીઓની મૂર્તિઓ જોવા મળે છે. નંદી મહારાજ પર કરવામાં આવેલું ઝીણવટભર્યું કોતરણીકામ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

ઐતિહાસિક મહત્વ

આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં રાજા રુદ્રદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. રુદ્રદેવના કુળદેવતા હોવાને કારણે તેને રુદ્રેશ્વર સ્વામી મંદિર કહેવામાં આવે છે. અહીં મહાશિવરાત્રી ઉપરાંત મકર સંક્રાંતિ (પોંગલ) પણ ધામધૂમથી ઉજવાય છે, કારણ કે અહીં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત બોનાલુ અને બથુકમ્મા જેવા તેલંગાણાના પ્રખ્યાત ઉત્સવો પણ અહીં ઉજવવામાં આવે છે.

Mobile Trick: નેટ બંધ છે? કોઈ વાંધો નહીં! ઈન્ટરનેટ કે સ્માર્ટફોન વગર પણ સેકન્ડોમાં થઈ જશે UPI પેમેન્ટ, જાણો આ ‘સીક્રેટ’ કોડ અને સ્ટેપ્સ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">