AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !

કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ પૂજા ગજાનન ગણેશની (Ganesh) જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !
Lord Ganesha
TV9 Bhakti
| Edited By: | Updated on: May 25, 2022 | 8:04 AM
Share

હિન્દુ ધર્મમાં (Hindu Religion) અગલ અગલ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવ્યા છે. જેમ કે સોમવાર શંકર ભગવાનને, મંગળવાર હનુમાનજીને (Hanuman) એવી જ રીત બુધવારને ગણેશજીનો (Ganesha) દિવસ માનવામાં આવે છે. બુધવારના દિવસને ગણેશજીની સાથે માતા અંબા ભવાનીનો પણ દિવસ માનવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા અંબા ભવાનીની પૂજા સાથે કેટલાક સરળ અને સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જે કરવાથી આપને પૂર્ણપણે શુભતાની પ્રાપ્તિ થશે. તો ચાલો, આપને જણાવીએ ગણેશજી સંબંધી એ વિશેષ ઉપાયો કે જેનાથી આપને જીવનમાં શુભતાના આશીર્વાદની પ્રાપ્તિ થશે. સાથે કેટલાક કાર્યો એવા પણ છે જે તમારે બુધવારના દિવસે કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

ગણેશજીની વિશેષ ઉપાસના

જીવનના તમામ કષ્ટ અને અવરોધોને દૂર કરવાને કારણે ગજાનનને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ તો પૂજા ગજાનન ગણેશની જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ, બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. બળ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિના દાતા છે ગણેશજી. આજના દિવસે ગણેશજીના વિવિધ મંત્રોના જાપ કરવાથી પણ આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ખાસ કરીને બુધવારે ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે ।। ૐ ગ્લૌમ ગણપતયૈ નમ: ।। નો જાપ કરો. બુધવારના દિવસે ગણેશજીને પ્રસાદ તરીકે લાડુનો ભોગ અર્પણ કરો.

દેવું કે ઉધારનો વ્યવહાર ન કરવો

⦁ બુધ ગ્રહ વેપાર સાથે સંબંધિત મનાય છે. એટલે જ એવું માનવામાં આવે છે કે બુધવારે કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ નહીં.

⦁ આ દિવસે, ધિરાણ વ્યવહારને કારણે સંચિત સંપત્તિમાં ઘટાડો થાય છે.

⦁ વેપારીઓને મંદીનો સામનો કરવો પડે છે.

⦁ બુધવારે નાણાંનું રોકાણ કરવું આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

⦁ જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

દુર્ગા માતાની પૂજા કરો

⦁ બુધવારે અંબા ભવાનીની, માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે.

⦁ આજનો દિવસ શક્તિ, જ્ઞાન અને પૈસા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ ફળદાયક છે. જો વધારે સમય ન હોય તો દુર્ગા સપ્તશતીના 12 મા અધ્યાયનો પાઠ તો ચોક્કસથી કરવો જોઈએ.

બુધવારની મુસાફરી બની શકે છે લાભદાયી !

⦁ જો તમારે બુધવારે મુસાફરી કરવી હોય તો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પ્રવાસ કરવાનો પ્રયાસ કરો.

⦁ બુધવારે ઉત્તર અને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

⦁ જો તમારે મુસાફરી કરવી હોય તો પછી વરિયાળી અથવા મગની દાળ ખાધા પછી મુસાફરી કરશો તો તે શુભ ફળ પ્રદાન કરશે.

કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન ?

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહિલાઓએ બુધવારે લીલી બંગડીઓ પહેરવી જોઈએ.

⦁ પુરુષોએ બુધવારના દિવસે મહિલાઓ જેમ કે બહેન, કાકી, માસી, મમ્મી, પત્ની અથવા તો કુમારિકાઓને લીલી બંગડીઓ ભેટમાં આપવી જોઇએ. તેનાથી તેમનું ભાગ્ય ચમકી ઉઠે છે.

⦁ માતાઓએ પોતાના બાળકોની તંદુરસ્તી અને આરોગ્ય માટે શક્ય હોય તો બુધવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ.

⦁ આ દિવસે ઘરમાંથી બહાર નિકળતા પહેલા કપાળ પર સિંદૂરનું તિલક લગાવશો તો તે તમારા માટે શુભ ફળદાયી બનશે.

⦁ આ દિવસે લીલા રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઇએ. જો લીલા વસ્ત્રો ન હોય તો તમે લીલો રૂમાલ રાખી શકો છો.

⦁ લીલો રંગ બુધની ઉર્જાને શોષી લે છે અને આરોગ્ય પર અનુકૂળ અસર કરે છે. તે તમારી ગુપ્ત માહિતીને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ લાભ મેળવી શકો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">