Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !

કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ પૂજા ગજાનન ગણેશની (Ganesh) જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !
Lord Ganesha
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 25, 2022 | 8:04 AM

હિન્દુ ધર્મમાં (Hindu Religion) અગલ અગલ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવ્યા છે. જેમ કે સોમવાર શંકર ભગવાનને, મંગળવાર હનુમાનજીને (Hanuman) એવી જ રીત બુધવારને ગણેશજીનો (Ganesha) દિવસ માનવામાં આવે છે. બુધવારના દિવસને ગણેશજીની સાથે માતા અંબા ભવાનીનો પણ દિવસ માનવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા અંબા ભવાનીની પૂજા સાથે કેટલાક સરળ અને સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જે કરવાથી આપને પૂર્ણપણે શુભતાની પ્રાપ્તિ થશે. તો ચાલો, આપને જણાવીએ ગણેશજી સંબંધી એ વિશેષ ઉપાયો કે જેનાથી આપને જીવનમાં શુભતાના આશીર્વાદની પ્રાપ્તિ થશે. સાથે કેટલાક કાર્યો એવા પણ છે જે તમારે બુધવારના દિવસે કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

ગણેશજીની વિશેષ ઉપાસના

જીવનના તમામ કષ્ટ અને અવરોધોને દૂર કરવાને કારણે ગજાનનને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ તો પૂજા ગજાનન ગણેશની જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ, બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. બળ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિના દાતા છે ગણેશજી. આજના દિવસે ગણેશજીના વિવિધ મંત્રોના જાપ કરવાથી પણ આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ખાસ કરીને બુધવારે ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે ।। ૐ ગ્લૌમ ગણપતયૈ નમ: ।। નો જાપ કરો. બુધવારના દિવસે ગણેશજીને પ્રસાદ તરીકે લાડુનો ભોગ અર્પણ કરો.

દેવું કે ઉધારનો વ્યવહાર ન કરવો

⦁ બુધ ગ્રહ વેપાર સાથે સંબંધિત મનાય છે. એટલે જ એવું માનવામાં આવે છે કે બુધવારે કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ નહીં.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

⦁ આ દિવસે, ધિરાણ વ્યવહારને કારણે સંચિત સંપત્તિમાં ઘટાડો થાય છે.

⦁ વેપારીઓને મંદીનો સામનો કરવો પડે છે.

⦁ બુધવારે નાણાંનું રોકાણ કરવું આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

⦁ જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

દુર્ગા માતાની પૂજા કરો

⦁ બુધવારે અંબા ભવાનીની, માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે.

⦁ આજનો દિવસ શક્તિ, જ્ઞાન અને પૈસા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ ફળદાયક છે. જો વધારે સમય ન હોય તો દુર્ગા સપ્તશતીના 12 મા અધ્યાયનો પાઠ તો ચોક્કસથી કરવો જોઈએ.

બુધવારની મુસાફરી બની શકે છે લાભદાયી !

⦁ જો તમારે બુધવારે મુસાફરી કરવી હોય તો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પ્રવાસ કરવાનો પ્રયાસ કરો.

⦁ બુધવારે ઉત્તર અને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

⦁ જો તમારે મુસાફરી કરવી હોય તો પછી વરિયાળી અથવા મગની દાળ ખાધા પછી મુસાફરી કરશો તો તે શુભ ફળ પ્રદાન કરશે.

કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન ?

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહિલાઓએ બુધવારે લીલી બંગડીઓ પહેરવી જોઈએ.

⦁ પુરુષોએ બુધવારના દિવસે મહિલાઓ જેમ કે બહેન, કાકી, માસી, મમ્મી, પત્ની અથવા તો કુમારિકાઓને લીલી બંગડીઓ ભેટમાં આપવી જોઇએ. તેનાથી તેમનું ભાગ્ય ચમકી ઉઠે છે.

⦁ માતાઓએ પોતાના બાળકોની તંદુરસ્તી અને આરોગ્ય માટે શક્ય હોય તો બુધવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ.

⦁ આ દિવસે ઘરમાંથી બહાર નિકળતા પહેલા કપાળ પર સિંદૂરનું તિલક લગાવશો તો તે તમારા માટે શુભ ફળદાયી બનશે.

⦁ આ દિવસે લીલા રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઇએ. જો લીલા વસ્ત્રો ન હોય તો તમે લીલો રૂમાલ રાખી શકો છો.

⦁ લીલો રંગ બુધની ઉર્જાને શોષી લે છે અને આરોગ્ય પર અનુકૂળ અસર કરે છે. તે તમારી ગુપ્ત માહિતીને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ લાભ મેળવી શકો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">