ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ

આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.

ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 02, 2022 | 6:40 AM

ગણેશજી (lord ganesh) અમંગળ હરનાર અને વિધ્નહર્તા છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.ગણેશજીના સંદર્ભમાં કહેવામાં આવે છે કે ગણેશજીને રિઝવવા ખૂબ જ સરળ છે. શાસ્ત્રોમાં તેના માટેના કેટલાક સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેના દ્વારા ગણેશજી તરત જ પ્રસન્ન થઇ જાય છે.

આજે આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.

દરરોજ 5 દૂર્વા અર્પણ કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે તેમને દરરોજ સવારે સ્નાનાદિ કાર્ય કરીને 5 દૂર્વા કે લીલું ઘાસ અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઇએ તેમના ચરણોમાં નહીં. દૂર્વા અર્પણ કરતી વખતે બોલવામાં આવતો મંત્ર

ઇદં દૂર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ

શનિદેવ અને ગણેશજી બંનેની કૃપા પ્રાપ્ત કરાવતી પૂજા

શાસ્ત્રો અનુસાર શમીની ઝાડ એક એવું છે જેની પૂજા કરવાથી શનિદેવ અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી આ શમીના ઝાડનું પૂજન કર્યું હતું.  શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પત્તા નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્ય અને દરેક પ્રકારની સુખમાં વૃદ્ધિ થાય છે.

ચોખાના પવિત્ર દાણા

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરવામાં આવે છે. પવિત્ર ચોખા એને કહેવાય છે કે જેમાં એકપણ દાણો તુટેલો ના હોય. રાંધેલા ચોખાનો ઉપયોગ પૂજામાં કરવામાં નથી આવતો. સૂકા ચોખા ગણેશજીને અર્પણ કરવામાં નથી આવતા. ચોખાને ભીના કરીને પછી આપેલ મંત્ર બોલતા બોલતા 3 વાર ગણેશજીને ચોખા અર્પણ કરવા જોઇએ

ઇદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમઃ

ગણેશજીને પ્રિય છે લાલ સિંદૂર

ગણેશજીને સિંદૂરની લાલી ખૂબ પ્રિય છે. ગણેશજીની પ્રસન્નતા માટે લાલ સિંદૂરનું તિલક લગાવવો. ગણેશજીને તિલક લગાવ્યા બાદ આપના મસ્તર પર સિંદૂરથી તિલક લગાવો. તેનાથી પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આર્થિક ક્ષેત્રમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને સંકટથી ગણેશજી રક્ષા કરે છે. ગણેશજીને સિંદૂર ચઢાવતી વખતે આ મંત્ર બોલવો.

સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ્ । શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્ ।।

“ૐ ગં ગણપતયે નમઃ”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">