ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ

આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.

ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 02, 2022 | 6:40 AM

ગણેશજી (lord ganesh) અમંગળ હરનાર અને વિધ્નહર્તા છે. કહેવાય છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેમના જીવનમાં આવનાર દરેક સંકટ દૂર થઇ જાય છે.ગણેશજીના સંદર્ભમાં કહેવામાં આવે છે કે ગણેશજીને રિઝવવા ખૂબ જ સરળ છે. શાસ્ત્રોમાં તેના માટેના કેટલાક સરળ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેના દ્વારા ગણેશજી તરત જ પ્રસન્ન થઇ જાય છે.

આજે આપને જણાવવા છે એવાં સરળ ઉપાય કે જેના દ્વારા તમે તમારાં કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. એ તો બધાં જ જાણે છે કે શ્રીગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.

દરરોજ 5 દૂર્વા અર્પણ કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે તેમને દરરોજ સવારે સ્નાનાદિ કાર્ય કરીને 5 દૂર્વા કે લીલું ઘાસ અર્પણ કરો. દૂર્વા ગણેશજીના મસ્તક પર રાખવી જોઇએ તેમના ચરણોમાં નહીં. દૂર્વા અર્પણ કરતી વખતે બોલવામાં આવતો મંત્ર

ઇદં દૂર્વાદલં ૐ ગં ગણપતયે નમઃ

શનિદેવ અને ગણેશજી બંનેની કૃપા પ્રાપ્ત કરાવતી પૂજા

શાસ્ત્રો અનુસાર શમીની ઝાડ એક એવું છે જેની પૂજા કરવાથી શનિદેવ અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે. એક માન્યતા એવી પણ છે કે ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી આ શમીના ઝાડનું પૂજન કર્યું હતું.  શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમીના કેટલાક પત્તા નિયમિત રીતે ગણેશજીને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્ય અને દરેક પ્રકારની સુખમાં વૃદ્ધિ થાય છે.

ચોખાના પવિત્ર દાણા

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરવામાં આવે છે. પવિત્ર ચોખા એને કહેવાય છે કે જેમાં એકપણ દાણો તુટેલો ના હોય. રાંધેલા ચોખાનો ઉપયોગ પૂજામાં કરવામાં નથી આવતો. સૂકા ચોખા ગણેશજીને અર્પણ કરવામાં નથી આવતા. ચોખાને ભીના કરીને પછી આપેલ મંત્ર બોલતા બોલતા 3 વાર ગણેશજીને ચોખા અર્પણ કરવા જોઇએ

ઇદં અક્ષતમ્ ૐ ગં ગણપતયે નમઃ

ગણેશજીને પ્રિય છે લાલ સિંદૂર

ગણેશજીને સિંદૂરની લાલી ખૂબ પ્રિય છે. ગણેશજીની પ્રસન્નતા માટે લાલ સિંદૂરનું તિલક લગાવવો. ગણેશજીને તિલક લગાવ્યા બાદ આપના મસ્તર પર સિંદૂરથી તિલક લગાવો. તેનાથી પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આર્થિક ક્ષેત્રમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને સંકટથી ગણેશજી રક્ષા કરે છે. ગણેશજીને સિંદૂર ચઢાવતી વખતે આ મંત્ર બોલવો.

સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ્ । શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ્ ।।

“ૐ ગં ગણપતયે નમઃ”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">