AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે કાળી હળદરનો આ પ્રયોગ ! જાણો સમૃદ્ધિ અર્થેની સરળ વિધિ

જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે !

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે કાળી હળદરનો આ પ્રયોગ ! જાણો સમૃદ્ધિ અર્થેની સરળ વિધિ
Turmeric (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 28, 2022 | 7:42 AM
Share

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે. ખાસ વાત એ છે કે આ ઉપાયો બિલ્કુલ અઘરા નથી. અને માત્ર રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

ફળદાયી હળદર !

રસોડામાં સરળતાથી પ્રાપ્ત થતી હળદરનો ઉપયોગ શુભકાર્યોમાં કરવામાં આવે છે. જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદરના વિવિધ ઉપયોગ કરવાથી આપની સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ ધનપ્રાપ્તિ અર્થે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

ઘણીવાર એવું બને છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી. ઘણાં પૈસા હોવા છતાં પૈસા ખોટા ખર્ચાઇ જાય છે. તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર અને સિંદૂર મિક્સ કરીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી. તેનાથી લાભ થશે. આ હળદરને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકવી. આ કાર્ય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

ભાગ્યોદય અર્થે

ભાગ્ય આડેના અવરોધો દૂર કરવા નિયમિત રૂપે કીડીઓને સાકર મિશ્રીત લોટ ખવડાવવો. આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્યકર્મોનો ઉદય થાય છે. તેનાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. સાથે જ ઘરમંદિરમાં રહેલ દેવી-દેવતાને નિત્ય પુષ્પોથી સજાવીને રાખવા જોઇએ. જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર મેળવીને સ્નાન કરવું જોઇએ. આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. આપનો ભાગ્યોદય થશે. સાથે જ સાંજે નહાવાના પાણીમાં મીઠું(નમક) ઉમેરીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ભક્તોને કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવે છે કર્મનાથ મહાદેવ ! જાણો સુરતના અદભુત શિવધામનો મહિમા

આ પણ વાંચોઃ સમસ્યા અનેક, નિવારણ માત્ર એક ! અત્યંત ફળદાયી આદિત્ય હૃદયમ્ સ્તોત્ર !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">