AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અઠવાડિયાનો આ દિવસ વાળ ધોવા માટે છે શ્રેષ્ઠ ! સુંદરતા અને સમૃદ્ધિની કરાવશે પ્રાપ્તિ !

લૌકિક માન્યતા અનુસાર સોમવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાથી (washing hair) બચવું જોઇએ. કહેવાય છે કે જો સોમવારે કોઇપણ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના વાળ ધુએ છે, તો પરિવારમાં કલેશ સર્જાય છે ! સાથે જ દરેક કાર્યમાં અવરોધનો સામનો કરવો પડે છે.

અઠવાડિયાનો આ દિવસ વાળ ધોવા માટે છે શ્રેષ્ઠ ! સુંદરતા અને સમૃદ્ધિની કરાવશે પ્રાપ્તિ !
TV9 Bhakti
| Edited By: | Updated on: May 16, 2023 | 6:25 AM
Share

હિન્દુ ધર્મમાં વાળથી લઇને પગના નખ સુધી કોઇને કોઇ માન્યતાઓ જણાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના કેટલાક દિવસો એવા હોય છે કે જે દિવસે વાળ અને નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એ જ રીતે સપ્તાહના કયા દિવસોમાં વાળ ધોવા જોઈએ તે સંબંધિત નિયમોનો પણ ઉલ્લેખ જોવા મળે છે !

આપણાં શાસ્ત્રોમાં તેમજ લૌકિક માન્યતાઓમાં ઘણાં બધાં નિયમોનો ઉલ્લેખ મળે છે. આ એ નિયમો છે કે જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી અને વૃદ્ધિ આવે છે. ત્યારે આવો, આજે આપને એ જણાવીએ કે કયા દિવસે વાળ ધોવાથી આપના આપના જીવનમાં શુભ કે અશુભ પ્રભાવ પડી શકે છે ! આખરે, એ કયો દિવસ છે કે જે દિવસે વાળ ધોવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે. આવો, તે વિશે વિગતે વાત કરીએ.

સોમવાર

લૌકિક માન્યતા અનુસાર સોમવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાથી બચવું જોઇએ. કહેવાય છે કે જો સોમવારે કોઇપણ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના વાળ ધુએ છે, તો પરિવારમાં કલેશ સર્જાય છે ! સાથે જ દરેક કાર્યમાં અવરોધનો સામનો કરવો પડે છે. અલબત્, કુંવારી છોકરીઓ આ દિવસે વાળ ધોઇ શકે છે.

મંગળવાર

મંગળવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ સાથે કુંવારી છોકરીઓએ પણ પોતાના વાળ ન ધોવા જોઇએ. કહેવાય છે કે આ દિવસે વાળ ધોવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. તેમજ શુભ કાર્યમાં અવરોધ ઊભા થાય છે.

બુધવાર

બુધવારને વાળ ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ સિવાય સૌભાગ્યવતી મહિલાઓ પણ પોતાના વાળ ધોઇ શકે છે. તેના સિવાય પુરુષો પણ પોતાના વાળ ધોઇ શકે છે. કહેવાય છે કે આ દિવસે વાળ ધોવાથી ઘરમાં ક્યારેય ધન, ધાન્યની અછત નથી રહેતી. ઘરમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે અને વેપારમાં પણ વૃદ્ધિ થાય છે.

ગુરુવાર

કહે છે કે ગુરુવારના દિવસે ક્યારેય ભૂલથી પણ વાળ ન ધોવા જોઇએ. આ દિવસે કોઇ વાળ ધુએ છે તો તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ સર્જાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે વાળ ધોવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે.

શુક્રવાર

શુક્રવારના દિવસે વાળ ધોવા શુભ મનાય છે. આ દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને આર્થિક તંગી દૂર થાય છે. તેના સિવાય શુક્રદેવ તે વ્યક્તિ પર મહેરબાન રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી જાતકની સુંદરતામાં વૃદ્ધિ થાય છે.

શનિવાર

શનિવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. માન્યતા અનુસાર જો સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વાળ ધુએ છે, તો તેનાથી શનિદેવ નારાજ થાય છે અને તેનું જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

રવિવાર

મોટાભાગના લોકો રવિવારે તેમના વાળ ધોતા હોય છે. પરંતુ, કહે છે કે સૌભાગ્યવતી મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઇએ. આ દિવસે વાળ ધોવાથી પરિવારજનોની પ્રગતિમાં અવરોધ આવે છે. એક માન્યતા અનુસાર આ દિવસો સિવાય પણ સૌભાગ્યવતી મહિલાઓએ અમાસ, પૂનમ અને એકાદશીએ પણ વાળ ન ધોવા જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">