AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021 : 5 દિવસના તહેવાર દરમિયાન જોવા મળે આ ચાર સંકેત તો સમજી જજો કે માતા લક્ષ્મીની થશે કૃપા

લક્ષ્મી પૂજનનો પાંચ દિવસીય દિવાળીનો તહેવાર આવવાનો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાંથી તે ગરીબી અને દુઃખ દૂર કરે છે. જો આ દરમિયાન તમને કેટલાક સંકેતો દેખાય તો સમજી લેવું કે આ મા લક્ષ્મીના આગમનનો સંકેત છે.

Diwali 2021 : 5 દિવસના તહેવાર દરમિયાન જોવા મળે આ ચાર સંકેત તો સમજી જજો કે માતા લક્ષ્મીની થશે કૃપા
Diwali 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:40 AM
Share

Diwali 2021 : માતા લક્ષ્મીને ધન અને કીર્તિની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ (goddess Lakshmi) હોય છે. તે ઘરમાં ધન, સુખ અને શાંતિ જેવી કોઈ વસ્તુની કમી નથી હોતી. પરંતુ માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. તેઓ ક્યારેય એક જગ્યાએ લાંબા સમય સુધી રહેતા નથી. તેથી જ તેમને ચંચલા પણ કહેવામાં આવે છે. માતા લક્ષ્મીને ઘરમાં સ્થિર રાખવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે.

2 નવેમ્બર મંગળવારથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. જો તે ભક્ત પર પ્રસન્ન થાય છે, તો તે ચોક્કસપણે તેના ઘરે જાય છે અને ગરીબીનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે વિષ્ણુની પ્રિય માતા લક્ષ્મી આગમન પહેલા કેટલાક સંકેતો આપે છે. દીપાવલીના પાંચ દિવસીય તહેવારની વચ્ચે જો તમને પણ આ સંકેતો મળે તો સમજી લો કે માતા લક્ષ્મી ઘરમાં આગમન કરશે.

માતા લક્ષ્મીના આગમનના સંકેત 1. ઘુવડના દર્શન

ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો આ દરમિયાન તમને તમારી આસપાસ ક્યાંક ઘુવડ દેખાય તો સમજી લેવું કે માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે. તેથી માતાની પૂજા અને સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરો.

2.ચકલીનો માળો

જો તમારા ઘરની કોઈપણ જગ્યાએ ચકલી પોતાનો માળો બનાવે છે. તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તેઓ ગમે ત્યારે તમારા ઘરે આવી શકે છે.

3. ઘરની બહાર નીકળતા જ કોઈ ઝાડુ મારતું જોવા મળે છે

સાવરણી તમારા ઘરની નકારાત્મકતા અને ગંદકીને સાફ કરે છે. તેથી તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જો તમે કોઈ વ્યક્તિને વહેલી સવારે ઘર સાફ કરતા જુઓ તો સમજવું કે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

4. કાળી કીડીઓનું ઝુંડ

જો તમારા ઘરમાં અચાનક કાળા રંગની કીડીઓનું ટોળું દેખાય તો ખુશ થઇ જાવ અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપાનો સંકેત છે. તેનો અર્થ એ છે કે લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે. જેના કારણે તમને ઘણા પૈસા મળવાના છે.

માતા લક્ષ્મીને ઘરમાં રાખવા શું કરવું 1. પરિવારના તમામ સભ્યોએ પ્રેમથી રહેવું જોઈએ. વડીલોનું સન્માન કરો.

2. ઘરની સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેનું ક્યારેય અપમાન ન કરો. જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી ચોક્કસપણે નિવાસ કરે છે.

3. ઘરને સ્વચ્છ રાખો. જ્યાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી.

4. શારીરિક સ્વચ્છતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5. જે ઘરમાં ખોટા કામો થાય છે. ઝઘડાઓ રહે છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી. જો માતા લક્ષ્મીની કાયમી વરણી કરવી હોય તો ઘરમાં શાંતિ ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સજ્જ, ચીનની સરહદ પર અમેરિકન હથિયારો તૈનાત

આ પણ વાંચો  : The Big Picture : દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહી ‘શેરની’, કહ્યું ‘દુનિયામાં એકમાત્ર પત્નીથી ડરું છું’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">