Astrology : આ પાંચ રાશિના લોકોમાં છૂટાછેડા થવાનું પ્રમાણ વધારે, જાણો કેમ ?
લગ્ન જીવન પર વ્યક્તિની રાશિનો મોટો પ્રભાવ પડતો હોય છે. તેવામાં અમે તમારા માટે એવી પાંચ રાશિઓ લઇને આવ્યા છીએ કે જેઓના છૂટાછેડા થવાની શક્યતા વધુ હોય છે.
કોરોના મહામારીના આ સમયમાં ફક્ત કોરોના વાયરસના કેસનો આંકડો જ નથી વધ્યો પરંતુ છૂટાછેડાના કેસ પણ વધ્યા છે. દરેક લોકોના સ્વભાવ અલગ અલગ હોય છે અને તેમને પોતાના પાર્ટનર પાસેથી અપેક્ષાઓ પણ અલગ અલગ હોય છે તેવામાં ઘણી વાર પોતાના પાર્ટનર સાથે નથી બનતુ અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. લગ્ન જીવન પર વ્યક્તિની રાશિનો મોટો પ્રભાવ પડતો હોય છે.
મેષ રાશિ – મેષ રાશિના જાતકો જેની સાથે લગ્ન કરે છે એ વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ શોધે છે અને જ્યારે એમને લાગે છે કે એમનાં અને જીવનસાથી વચ્ચે કોઈ લાગણી નથી બચી તો મેષ રાશિના જાતકો આ લગ્ન જીવનનો અંત લાવવા ઈચ્છે છે જેથી મેષ રાશિના જાતકો સાથે લગ્ન કરવામાં છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય છે.
મિથુન રાશિ – જ્યારે એક મિથુન રાશિના જાતકો લગ્ન જીવનમાં એક એવાં વળાંક પર પહોંચી જાય છે જ્યારે એમને લાગે છે કે આ લગ્ન જીવન ચલાવવા માટે વધારે સમય અને પૈસા બરબાદ ન કરવાં જોઈએ તો એ લોકો અલગ થવાનો નિર્ણય કરે છે અને લગ્ન જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે.
સિંહ રાશિ – જ્યારે એક સિંહ રાશિનો જાતક લગ્ન કરવાનો નિર્ણય કરે છે તો તે વફાદારીને વધુ મહત્ત્વ આપે છે અને પોતાના જીવનસાથી પણ વફાદાર હોય એવી અપેક્ષા રાખે છે પરંતુ એમને લાગે કે એમનાં જીવનસાથી એમની સાથે દગો કરે છે તો તે છૂટાછેડા લેવા તૈયાર થઈ જાય છે. બેવફાઈ આ રાશિના જાતકો સહન કરતાં નથી.
વૃશ્ચિક રાશિ – એકદમ આક્રમક અને અધિકાર જમાવવાની કોશિશ સાથે આ રાશિના જાતકો પોતાના સાથીને બંધનમાં રાખવાની પ્રકૃતિ ધરાવતા હોય છે અને જેની સાથે લગ્ન કર્યા હોય એનાં પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવાને કારણે એમનું લગ્ન જીવન જોખમમાં મુકાઈ જાય છે. વૃશ્ચિક રાશિમાં જન્મેલા જાતકો પોતે જ પોતાના લગ્ન જીવનનાં દુશ્મન બની જાય છે જેથી આ જાતકો સાથે લગ્ન કરનાર વ્યક્તિને જો પ્રતિબંધ અને માલિકીભાવ પસંદ ન હોય તો લગ્ન ન કરવા જોઈએ.
મીન રાશિ – મીન રાશિના જાતકોને જ્યારે એવું લાગે છે કે એનાં જીવનસાથી લગ્ન જીવનમાં રસ લેતાં નથી તો એ લોકો છૂટા પડી શકે છે આમ મીન રાશિના જાતકો કા તો પ્રેમથી સાથે રહે છે અથવા અલગ થઈ જાય છે.
Important : અહીં આપેલી જાણકારી ધર્મ, આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. આ વાતનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આ અહેવાલ ફક્ત સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો –
Viral Video: શું તમને પણ લાગે છે કે તમારો પગાર ઓછો છે ? તો જુઓ આ વાયરલ વીડિયો
આ પણ વાંચો –