Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય

દશેરાએ શ્રદ્ધાળુઓ શ્રીરામની, આદ્યશક્તિ જગદંબાની તેમજ અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરતા હોય છે. પણ, સાથે જ આ દિવસ તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો છે. આ દિવસે સરળ ઉપાયો થકી વ્યક્તિ ધનના, ભયમુક્તિના તેમજ કાર્યમાં સફળતાના આશિષ પ્રાપ્ત કરી શકે છે.

Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય
દશેરાએ સરળ ઉપાયોથી થશે ભાગ્યોદય !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 11:51 AM

દશેરા (dussehra) એટલે તો અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ. સ્વયં ખુદના અને અન્યમાં રહેલા આસુરી તત્વો પર વિજય મેળવવાના સંકલ્પનો અવસર. શ્રીરામે આસો સુદ દશમીએ જ રાવણનો વધ કર્યો હતો. જેના પ્રતિક રૂપે જ વિજયાદશમીનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસે લોકો શ્રીરામની, શક્તિની અને શસ્ત્રોની પૂજા-અર્ચના કરતા હોય છે. પણ, ઘણાં ઓછા લોકોને એ ખ્યાલ હશે કે આ દિવસ તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો છે.

દશેરાના દિવસે કેટલાંક સરળ ઉપાયો અજમાવીને વ્યક્તિ ધનના, ભયમુક્તિના તેમજ કાર્યમાં સફળતાના આશિષ પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં રક્ષાના આશીર્વાદ પણ મેળવી શકે છે અને અટકેલાં કાર્યોને પરિપૂર્ણ પણ કરી શકે છે. ત્યારે આવો આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

અટકેલાં કાર્ય પૂર્ણ કરવા દશેરાના દિવસે બપોરે ઈશાન ખૂણામાં ચંદન, કુમકુમ અને પુષ્પથી અષ્ટદલ કમલની આકૃતિ બનાવવી. ત્યારબાદ દેવી જયા અને વિજયાનું સ્મરણ કરી તેમનું પૂજન કરો. આ પછી શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષની પાસે રહેલી થોડી માટી લઇને પોતાના ઘરમાં લાવીને રાખવી. માન્યતા અનુસાર આવું કરવાથી રોકાયેલા કાર્યો તરત પૂર્ણ થાય છે. તેમજ ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કાયદાકીય કેસમાં વિજય જો તમે કોઇ કાયદાકીય કાર્યથી પરેશાન હોવ કે કેસમાં ફસાયા હોવ તો દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરો અને સાંજે તેની નીચે દીપ પ્રગટાવો. આ ઉપાય કરવાથી કાનૂની કેસમાં વિજય મળશે અને ધનની પ્રાપ્તિ થશે. દશેરાના દિવસે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે તેમજ કાર્ય સફળતાના માર્ગ પણ ખુલશે.

સંકટમોચનના આશિષ ભગવાન હનુમાનને સંકટમોચન પણ કહેવાય છે. જો તમારી સામે કોઇપણ પ્રકારનું સંકટ હોય તો તેને દૂર કરવા દશેરાએ હનુમાનજીની પૂજા કરો. દશેરાના રોજ હનુમાનજીને ગોળ-ચણા અથવા લાડુનો ભોગ લગાવો. તેનાથી પ્રસન્ન થઈ હનુમાનજી તમારી રક્ષા કરશે.

વિજય પ્રાપ્તિ અર્થે કોઇપણ ક્ષેત્રમાં વિજય મેળવવા માટે દશેરાના દિવસે દેવીની પૂજા કરો. તેમને 10 પ્રકારના ફળ અર્પણ કરી પછી તે ફળ ગરીબોમાં વહેંચી દેવા. દેવીને ફળ અર્પણ કરતી વખતે “ૐ વિજયાયૈ નમ: ।” મંત્રનો જાપ કરો. આ ઉપાય દશેરાએ બપોરના સમયે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય.

ભયમુક્તિના આશિષ કોઇપણ ખરાબ કાર્યોના કારણે જો યમલોકનો ભય સતાવતો હોય તો દશેરાના દિવસે મા કાળીનું ધ્યાન કરતા તેમના સામે ક્ષમા માંગો અને માતાને કાળા તલ ચઢાવો. માન્યતા અનુસાર આવું દર વર્ષે કરવાથી યમલોકની યાતનાઓનો ભય નહીં સતાવે !

ભાગ્યોદય અર્થે દશેરાના દિવસે મહાદેવના નીલકંઠ રૂપના દર્શનનો પણ મહિમા છે. માન્યતા અનુસાર આવું કરવું ખૂબ જ શુભ મનાય છે. અને તેનાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. તેમજ સફળતાના દ્વાર ખૂલી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">