Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા

મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે.

Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા
Temple Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:13 PM

વાસ્તુશાસ્ત્રમાં (Vastushastra) ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ દોષ (Vastu Dosh) હોય તો પૂર્ણ થયેલ કામ પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં, મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે.

ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર-પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે.

આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મોર પીંછ

ભગવાન શ્રીકૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે.

શંખ

ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ગંગાજળ

હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતું નથી. હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શાલિગ્રામ

શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Statue of Equality: મહાસંકલ્પ સાકાર, ભવ્ય પ્રતિમાનો વિરાટ આકાર, વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણ માટે સહસ્રાબ્દી સમારોહની ઉજવણીની થઈ શરૂઆત

આ પણ વાંચો : ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">