Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા

મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે.

Temple Vastu Tips: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, લક્ષ્મીજીની રહેશે કૃપા
Temple Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:13 PM

વાસ્તુશાસ્ત્રમાં (Vastushastra) ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે. એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ દોષ (Vastu Dosh) હોય તો પૂર્ણ થયેલ કામ પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં, મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે.

ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર-પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે.

આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખો

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

મોર પીંછ

ભગવાન શ્રીકૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે.

શંખ

ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ગંગાજળ

હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતું નથી. હિંદુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શાલિગ્રામ

શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Statue of Equality: મહાસંકલ્પ સાકાર, ભવ્ય પ્રતિમાનો વિરાટ આકાર, વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણ માટે સહસ્રાબ્દી સમારોહની ઉજવણીની થઈ શરૂઆત

આ પણ વાંચો : ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">