AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravan-2012 : જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ

સંસારનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિશૂળ ! શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જાની પણ પ્રાપ્તિ કરાવે છે ડમરૂ. શું તમે જાણો છો કેમ શિવજીના ગળામાં એક આભૂષણની જેમ શોભાયમાન હોય છે નાગ ?

Shravan-2012 :  જાણો છો મહાદેવના હાથમાં રહેલા ડમરું અને ત્રિશૂળનું રહસ્ય ? જાણો શિવજીના પ્રતિકોનો ગૂઢાર્થ
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:41 AM
Share

દેવાધિદેવ મહાદેવનું (MAHADEV) જ્યારે પણ સ્મરણ કરીએ આપણાં ચહેરા સમક્ષ એ જટાળા જોગીનું ચિત્ર ઉપસી આવે. એવું ચિત્ર કે જેમાં ભોળાનાથના એક હાથમાં ડમરું શોભતું હોય અને અન્ય પર તેમનું ત્રિશૂળ હોય. એવું ચિત્ર કે જેમાં ભાલ પર ચંદ્રદેવ શોભાયમાન હોય, ગળા પર સ્વયં નાગ દેવતા અને જટામાં દેવી ગંગાને ધારણ કરેલાં હોય. દેવાધિદેવનું આ સ્વરૂપ જ દર્શન માત્રથી ભક્તોની કામનાને સિદ્ધ કરનાર મનાય છે. પણ તમે જાણો છો કે દેવાધિદેવના આ તમામ પ્રતિકો પાછળનું કારણ શું છે ? ભગવાન શિવ કેમ ધારણ કરે છે ડમરું અને ત્રિશૂળ ? કેમ ગળામાં શોભે છે નાગ ? કેમ સોમેશ્વર સ્વયં સોમ એટલે ચંદ્રને કરે છે ધારણ ? આવો આજે આપને આપીએ આ તમામ સવાલો નો જવાબ. ત્રિશૂળઃ ત્રિશૂળ એ ત્રણ ગુણ સત્વ, તમસ અને રજસનું પ્રતિનિધિત્વ કરે છે. એવું કહે છે કે દેવાધિદેવને ત્રિશૂળ અત્યંત પ્રિય છે. અને મહાદેવના ત્રિશૂળની આગળ સંસારની કોઈ પણ શક્તિ ટકી નથી શકતી. એટલે કે સંસાસરનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે ત્રિશૂળ.

ડમરુંઃ ડમરૂ એટલે એક એવું વાદ્ય કે જે મનાય છે સંસારમાં સંગીતની ઉત્પતિનું કેન્દ્ર ! આમ તો સંગીત અને વિદ્યાની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સંસારની રચના સમયે જ્યારે દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત રહિત હતી. એ સમયે શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને તાંડવ નૃત્ય કર્યું. ત્યારથી જ ડમરુંને સંગીતના જનક માનવામાં આવે છે. અલબત, એવું કહેવાય છે કે ડમરું શિવજીના પ્રતિકની સાથે સકારાત્મક ઉર્જા ધરાવતું હોવાથી તેને ઘરમાં રાખવાથી પણ પરિવારના તમામ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસુકી નાગઃ શિવજીના ગળામાં બિરાજમાન નાગ એ નાગલોકના રાજા, વાસુકી નાગ છે. એવું કહેવાય છે કે વાસુકી એ શિવજીના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ વાસુકી નાગનો આભૂષણના રૂપમાં સ્વીકાર કર્યો.

ચંદ્રઃ એક કથા અનુસાર રાજા દક્ષના શ્રાપથી મુક્તિ અર્થે ચંદ્રદેવે મહાદેવની કઠોર તપસ્યા કરી. ભોળાનાથે ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર લાગેલા શ્રાપને તો હળવો કર્યો જ પણ સાથે જ તેમને પોતાના મસ્તક પર સ્થાન પણ આપ્યું. આ જ કથાની સાક્ષી પૂરતું જ્યોતિર્લીંગ એટલે ગુજરાતના ગીરસોમનાથ જીલ્લામાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર. સ્વયં સોમ એટલે કે ચંદ્ર દ્વારા સ્થાપિત હોય આ મહાદેવ સોમનાથ મહાદેવના નામથી ખ્યાત થયા છે.

આ પણ વાંચો : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચો : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !

Follow Us
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">