Shravan-2021 : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !

શિવજીને અર્પિત થતી સામગ્રી ગમે તે સ્થળે રાખી દેવી એટલે શિવજીની સામગ્રીનું અપમાન કરવું. મહાદેવની પૂજામાં વપરાતી વસ્તુઓ કોઈના પગમાં તો નથી આવતી ને ? પૂજા સામગ્રીનું વિસર્જન કરતાં પહેલાં તે અવશ્ય ખાતરી કરો કે સામગ્રીનું અપમાન ન થાય !

Shravan-2021 : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !
શિવને અર્પિત પૂજન સામગ્રીનું યોગ્ય રીતે કરો વિસર્જન !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:42 AM

શિવજીનો (SHIV) પ્રિય મહિનો એટલે શ્રાવણ. શ્રાવણ એટલે તો શિવભક્તોનો પણ પ્રિય મહિનો. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો ભોળાનાથની આસ્થાથી ભક્તિ કરે. શિવલયોમાં ખાસ પૂજા વિધાન સાથે મહાદેવની આરાધના કરે. તો, વળી કેટલાક લોકો ઘરે જ ભાવથી ભોળાનાથને ભીંજવે.

સંપૂર્ણ શ્રાવણ દરમિયાન શિવજીની અલગ અલગ રીતે થતી પૂજા વિધિ અને અભિષેકનું મહત્વ છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરતાં હોય છે. દેવાધિદેવ મહાદેવની પૂજામાં અનેક સામગ્રીનો ઉપયોગ થાય છે. એમાં પણ શ્રાવણમાં તો શિવજીને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. વિશેષ દ્રવ્યોના અભિષેકનું પણ શ્રાવણમાં ખાસ મહત્વ રહેલું છે.

આપ પણ શિવાલયમાં અથવા તો ઘરે જ શિવજીને અલગ અલગ દ્રવ્યો અને સામગ્રી અર્પણ કરતાં હશો, જેમ કે, બીલીપત્ર અને ફૂલો. પણ તમે શિવજીને અર્પિત થતી સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરો છો ? સામગ્રીને વિસર્જિત કરવાની પણ છે ખાસ રીત ! શું તમે જાણો છો કે જો શિવજીને અર્પણ કરાયેલી સામગ્રીનું યોગ્ય વિસર્જન ન થયું તો આપને મહાદેવના કોપનો સામનો કરવો પડી શકે છે ? આવો આજે આપને જણાવીએ શિવજીને અર્પણ કરાયેલી સામગ્રીને વિસર્જિત કરવાની સંપૂર્ણ પદ્ધતિ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સામાન્ય રીતે લોકો એ નથી જાણતા કે પૂજા સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરવું. લોકો તેને ગમે ત્યાં જ રાખી દેતાં હોય છે. લોકો પાસે એ માહિતી જ નથી હોતી કે કે પૂજા સામગ્રીને ગમે ત્યાં રાખી દેવાથી તેનો અનાદર થાય છે ! શિવજીને અર્પિત સામગ્રીનો અનાદર એ અપમાન છે. આપણે જેમ શ્રાવણના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા દરમિયાન વિશેષ કાળજી રાખીએ છીએ, બસ એવી જ રીતે શિવજીને અર્પણ કરાયેલી પૂજા સામગ્રીના વિસર્જનમાં પણ કાળજી રાખવી જોઈએ.

કેટલાક લોકો પૂજન સામગ્રી કોઈ નદીના ખાલીપટમાં પણ પધરાવી દેતાં હોય છે. તો વળી કોઈ તો કચરામાં પણ તેને ફેંકી દે છે. આવી રીતે વિસર્જન કરવું એટલે પૂજા સામગ્રીનો અનાદર કરવો. કારણ કે તે ક્યારેક કોઈના પગમાં આવી શકે છે. વિસર્જનની આ પદ્ધતિ યોગ્ય નથી.

તમે પૂજન સામગ્રીને નદીના વહેતાં પાણીમાં પધરાવી શકો છો. પણ, એ ધ્યાન રાખવું જરૂરી છે કે તેનાથી નદીનું પાણી દૂષિત ન થવું જોઈએ ! એટલે કે પૂજન સામગ્રી બગડી ગયેલી તો ન જ હોવી જોઈએ, કે જેનાથી જળ પ્રદૂષિત થાય. એટલે જ શિવજીને અર્પિત થતી સામગ્રીના વિસર્જનની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તેને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદીને જમીનમાં દાટી દેવામાં આવે.

પૂજન સામગ્રીના વિસર્જનમાં એ અવશ્ય ધ્યાન રાખવું કે તે કોઈના પગમાં ન આવે. પૂજા સામગ્રીનું વિસર્જન કરતાં પહેલાં તે ખાતરી કરો કે સામગ્રીનું અપમાન ન થાય. સાથે જ એટલી જ જરૂરી બાબત એ પણ છે કે “જેટલી જરૂર છે એટલી જ પૂજા સામગ્રીનો ઉપયોગ કરો.” કારણ કે જરૂર વગરનો ઉપયોગ અને વિસર્જનમાં કરેલી ભૂલ ભરેલી પદ્ધતિ વ્યક્તિએ કરેલી શિવપૂજાના ફળને જ નષ્ટ કરી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચો : શાંતિ અને સંતતિની પ્રાપ્તિ માટે શ્રાવણમાં અચૂક વાવો આ વૃક્ષ !

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">