Rudrakhs: કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી ? વાંચો અને ધારણ કરો રૂદ્રાક્ષ

વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જીવનમાં સફળતા મેળવવા માટે પોતાની રાશિ પ્રમાણે મોંઘા રત્નો ધારણ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તમે ઈચ્છો તો તમે રત્નની જગ્યાએ યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો.

Rudrakhs: કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી ? વાંચો અને ધારણ કરો રૂદ્રાક્ષ
તમે ઈચ્છો તો તમે રત્નની જગ્યાએ યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 8:17 AM

Rudrakhs: દેશ અને દુનિયામાં વિવિધ કામ-ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલા અબજો લોકો છે, પરંતુ દરેકને પોતપોતાના વ્યવસાયમાં સફળતા મળતી નથી. ઘણી વખત એવું બને છે કે લોકો પોતાના કામ, વ્યવસાય, કારકિર્દીમાં સફળ થવા માટે રાત -દિવસ મહેનત કરે છે. તેમ છતાં, તે સફળતા નથી મળતી ખરેખર જેના તે હકદાર હોય છે.

વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો જીવનમાં સફળતા મેળવવા માટે પોતાની રાશિ પ્રમાણે મોંઘા રત્નો ધારણ કરે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તમે ઈચ્છો તો તમે રત્નની જગ્યાએ યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરીને સફળતા પ્રાપ્ત કરી શકો છો. ચાલો જાણીએ કે કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો ફાયદાકારક છે.

કાયદા-કાનૂન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે રુદ્રાક્ષ વકીલો, ન્યાયાધીશો અથવા અદાલતોમાં કામ કરતા લોકોએ 1, 5 અને 13 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. આ સાથે, વહીવટી અધિકારી, પોલીસ અથવા સરકારના કોઈપણ વિભાગમાં સફળ થવા માટે 9 અને 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

નાણાકીય ક્ષેત્રમાં સફળ થવા ક્રો આ રુદ્રાક્ષ ધારણ નાણાકીય ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે તમારે 8, 11, 12 અને 13 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ જેમ કે બેંક કર્મચારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સરકારી નાણાં વિભાગ વગેરે.

મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો કરે આ રુદ્રાક્ષ ધારણ મેડિકલ ક્ષેત્રે નામ કમાવવા માટે તમારે 3, 4, 9, 10, 11, 12, 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ તમને તમારી કારકિર્દીમાં માત્ર સફળતા જ નહીં આપે. આ સાથે તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે. બીજી બાજુ, જો દવાઓનો વ્યવસાય કરતા લોકો 1, 7 અને 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે, તો તે તેમના માટે શ્રેષ્ઠ રહેશે.

વાયુસેના અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ માટે વાયુસેના અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ અને પાયલોટે સફળતા મેળવવા માટે 10 અને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. તેમજ કરાર સાથે જોડાયેલા લોકોએ 11, 13 અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે રુદ્રાક્ષ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જેમ કે મુખ્ય શિક્ષક અને શિક્ષકોએ 6 અને 14 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. આ તમારી કારકિર્દીને નવો વેગ આપશે એટલું જ નહીં, પરંતુ તમને મોટા સન્માનથી પણ નવાજવામાં આવશે. આ સિવાય બાળકો અને વિદ્યાર્થીઓએ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

રાજકીય અને ઉદ્યોગપતિઓ માટેના રુદ્રાક્ષ જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો અથવા રાજકારણમાં જોડાવાની ઇચ્છા ધરાવો છો, તો તમારે 1, 13 અને 14 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. આ સાથે ઉદ્યોગપતિઓએ 12 અને 14 મુખા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે જો તમે વ્યવસાયમાં આવવા માંગો છો અથવા સામાન્ય વેપારી છો અથવા પહેલાથી જ કામ કરી રહ્યા છો, તો તમારે તમારી કારકિર્દી બનાવવા માટે 10, 13 અને 14 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. હોટલ વ્યવસાય સાથે જોડાયેલા કર્મચારીઓએ 1, 13, 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

ટેકનિકલ ક્ષેત્રે કામ કરતાં લોકો માટે ટેક્નિકલ લોકો 7, 8, 9, 10, અને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. આ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી, આ લોકોને માત્ર તેમના ક્ષેત્રમાં જ સફળતા મળશે નહીં પરંતુ તેમના નવા પ્રયોગો પણ સફળ થશે. આ સાથે, તમને આવતી દરેક સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

આ પણ વાંચો:  રુદ્રાક્ષ કેવી રીતે બને છે અને તે ક્યાં મળે છે ? જાણો રુદ્રાક્ષ સંબંધિત તમામ માહિતી

આ પણ વાંચો: Bhakti : અનેક પ્રયાસ છતાં મનોકામના પૂર્ણ થતી નથી ? ધારણ કરો શિવના ચમત્કારિક રુદ્રાક્ષની માળા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">