Ram Navami 2024: રામ નવમી પર આ રીતથી કરો રામલલ્લાની પૂજા, જાણો શુભ સમય અને મહત્વ
Ram Navami 2024: ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે.
Ram Navami Puja Vidhi : ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસે, 17 એપ્રિલ, 2024, બુધવારના રોજ રામ નવમીની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં ભગવાન રામનો અવતાર લીધો હતો. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામનો જન્મ કર્ક રાશિમાં બપોરે 12 વાગ્યે થયો હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે.
આ વર્ષે રામ નવમીનો તહેવાર લોકો માટે ખૂબ જ શુભ થવાનો છે, કારણ કે આ દિવસે ગજકેસરી યોગ બની રહ્યો છે, જે શ્રી રામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યુતી થાય છે, ત્યારે વ્યક્તિ વ્યક્તિને ગજ સામન શક્તિ અને ધન પ્રાપ્ત થાય છે. આ વખતે રામનવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રામ નવમી પૂજાનો શુભ સમય| Ram Navami Puja Shubh Muhurat
પંચાંગ અનુસાર રામ નવમીના દિવસે વિશેષ શુભ મુહૂર્ત રચાઈ રહ્યું છે. સવારે 11:40 થી 1:40 વાગ્યાની વચ્ચે અભિજિત મુહૂર્તની રચના કરવામાં આવી રહી છે. આ દરમિયાન, રામ જન્મોત્સવ ઉજવો અને ભગવાન રામલલ્લાની આરતી કરો. આરતીની સાથે-સાથે જો કોઈને પવિત્રતા,મકાનનું ઉદ્ઘાટન, દુકાનનું ઉદ્ઘાટન, કારખાનાનું પૂજન, દુકાનનું પૂજન જેવું કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય તો તેના માટે દિવસમાં સવારે 11.40 વાગ્યાથી બપોરે 1:40 કલાકે પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે.
રામ નવમી પૂજા સામગ્રી | Ram Navami Puja Samagri
રામનવમીની પૂજામાં રામ દરબારની તસવીર,કંકું,ચોખા, ચંદન, અક્ષત, કપૂર, ફૂલ, માળા, વગેરેનો સમાવેશ કરો. શ્રી રામની પિત્તળ અથવા ચાંદીની મૂર્તિના અભિષેક માટે દૂધ, દહીં, મધ, ખાંડ અને ગંગા જળની વ્યવસ્થા કરો. પ્રસાદ માટે મીઠાઈ, પીળા વસ્ત્રો, ધૂપ, દીપક, સુંદરકાંડ અથવા રામાયણ, સોપારી, લવિંગ, એલચીનો ઉપયોગ કરો. આ ઉપરાંત અબીલ, ગુલાલ, ધ્વજા, કેસર, પંચમેવા, પાંચ ફળ, હળદર, અત્તર, તુલસીના પાનનો સમાવેશ થાય છે.
રામનવમી હવન સામગ્રી | Ram Navami Hawan Samagri
હવન કુંડ, કપૂર, તલ, ગાયનું ઘી, ઈલાયચી, સાકર, ચોખા, કેરીનું લાકડું,પંચમેવા,મૂલેઠી, લવિંગ, આંબાના પાન, પીપળાની ડાળી,લીમડો, ચંદન અશ્વગંધા, નારિયેળ અને જવ જેવી સામગ્રી એકઠિ કરો.
રામનવમી પૂજા વિધિ | Ram Navami Puja Vidhi
રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાંથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ભગવાન રામના દર્શન કર્યા પછી, ઘરે આવો અને ભગવાન રામની જન્મજયંતિ નિમિત્તે ઘરના મંદિરમાં કલશ સ્થાપિત કરો અને ભગવાન ગણેશની સ્થાપના કરો. ભગવાન ગણેશની પૂજા કરો, પછી ભગવાન રામલલ્લાની પૂજા કરો અને રામજીનું આહ્વાન કરી ઉપર જણાવેલી સામગ્રી મુજબ હવન કરો, રામલલ્લાને દૂધનો અભિષેક કરો. દૂધ અને દહીં મિક્સ કરીને અભિષેક કરો. અભિષેક પછી તેમને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારો, વસ્ત્રો અર્પણ કરો, કપાળ પર તિલક કરો. ભગવાન રામલલ્લાને તિલક લગાવ્યા પછી 108 વાર રામ-રામની માળાનો જાપ કરો. ત્યાર બાદ આરતી કરો, આમ કરવાથી પૂજા વિધિ પ્રમાણે પૂર્ણ થઈ હોવાનું માનવામાં આવશે.