AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Blessings: તમારી એક ભૂલ તમને કરી દેશે દેવી લક્ષ્મીથી દૂર ! જાણો મહાલક્ષ્મીના મહાકોપથી બચવાના ઉપાય !

જેટલું મહત્વ લક્ષ્મીકૃપા અર્થે તેમના પૂજનનું છે, તેટલું જ મહત્વ એ વાતને ધ્યાનમાં રાખવાનું પણ છે, કે ક્યાંક આપણાથી થતું કોઈ કાર્ય દેવી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યું ને ! આ એ બાબતો છે કે જેનાથી ક્રોધિત થઈ દેવી લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે !

Lakshmi Blessings: તમારી એક ભૂલ તમને કરી દેશે દેવી લક્ષ્મીથી દૂર ! જાણો મહાલક્ષ્મીના મહાકોપથી બચવાના ઉપાય !
દેવી લક્ષ્મી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:41 AM
Share

ઘણાં ભક્તોની (devotee) ફરિયાદ હોય છે કે અનેક ઉપાયો કરવા છતાં દેવી લક્ષ્મી (goddess lakshmi) તેમના પર કૃપાદૃષ્ટિ (Grace) કરતાં જ નથી ! પણ, તેનું કારણ એ છે કે ભક્તો જેટલું ધ્યાન દેવી લક્ષ્મીની ઉપાસના પર આપે છે, તેટલું ધ્યાન જરૂરી બાબતો પર નથી આપતા ! એટલે કે ભક્તો દેવીને ખુશ કરવા માટે તો પ્રયત્ન કરે જ છે. પરંતુ, એ બાબતો પ્રત્યે બેધ્યાન બની જાય છે કે જેનાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે ! જી હાં, આપણાં ઘરની સાથે જ જોડાયેલી કેટલીક નાની-નાની બાબતો દેવી લક્ષ્મીને નારાજ પણ કરી શકે છે !

આ એ બાબતો છે કે જેનાથી ક્રોધિત થઈ દેવી લક્ષ્મી ઘરમાંથી જતા રહે છે ! અને જે-તે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે. જેટલું મહત્વ લક્ષ્મીકૃપા અર્થે તેમના પૂજનનું છે, તેટલું જ મહત્વ એ વાતને ધ્યાનમાં રાખવાનું પણ છે, કે ક્યાંક આપણાથી થતું કોઈ કાર્ય દેવી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યું ને ! આવો, તે જ સંદર્ભે વિગતે જાણીએ. એવી કઈ કઈ બાબતો છે જે લક્ષ્મીજીને નારાજ કરી શકે છે તે વિશે માહિતી મેળવીએ. જેથી આપણે તે ભૂલ ન કરીએ.

શું ભૂલથી પણ ન કરવું ? 1. લૌકિક માન્યતા એવી છે કે જે ઘરમાં સતત ગંદકી રહેતી હોય ત્યાંથી નીકળી જવાનું દેવી નક્કી કરી લે છે. અને પછી ભક્તની ગમે તેટલી પ્રાર્થના છતાં દેવી નથી રોકાતા ! એટલે ઘરમાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ. અને તેને એકદમ જ સ્વચ્છ રાખવું જોઈએ.

2. ઘરમાં ભંગારની વસ્તુઓ પણ ક્યારેય ન રાખવી જોઈએ ! એમાં પણ ઘરની ઉત્તર દિશામાં ક્યારેય કોઈ નકામી વસ્તુ ન પડી રહે તેનું ધ્યાન રાખવું. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તર દિશામાં કુબેર અને દેવી લક્ષ્મીનો વાસ મનાય છે. અને જો એ સ્થાન પર કોઈ ભંગાર કે ગંદકી રહે તો લક્ષ્મી-કુબેર એ ઘરનો ત્યાગ કરી દે છે.

3. આજની વ્યસ્તતા ભરેલી જિંદગીમાં દરેક કામ સમયસર પાર પાડવા મુશ્કેલ બની ગયા છે. આ સંજોગોમાં કેટલાંક ઘરોમાં સવારના એંઠા વાસણ રાત્રે સાફ થતાં હોય છે ! તો ઘણીવાર રાત્રિના એંઠા વાસણ બીજે દિવસે સવારે સાફ થતાં હોય છે. પણ, કહે છે કે રાત્રિના સમયે તો ભૂલથી પણ એંઠા વાસણો ન જ રાખવા જોઈએ. રાત્રે વાસણો સાફ કરીને જ સૂવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે !

4. દેવી લક્ષ્મી એ મૂળે તો અષ્ટલક્ષ્મી સ્વરૂપા છે. અને તે જ ધાન્યલક્ષ્મી તરીકે પૂજાય છે. ધાન્યલક્ષ્મી આપના ઘર પર સદૈવ પ્રસન્ન રહે તે માટે જરૂરી છે કે ઘરનું રસોડું હમેશા જ સ્વચ્છ રહે. રોજ રાત્રે રસોડું ચોખ્ખું કરીને જ સૂવું જોઈએ. તેમજ ચૂલા અથવા તો બર્નર પર ક્યારે ખાલી વાસણ ન રાખવું જોઈએ. પુરાણાનુસાર જોઈએ તો ચૂલા પર ખાલી વાસણ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે !

5. હિંદુ સંસ્કૃતિ અનુસાર ધનમાં દેવી લક્ષ્મીનો વાસ છે. એટલે ક્યારેય ગંદા હાથે રૂપિયાને સ્પર્શ ન કરવો જોઈએ. તો ઘણાંને નોટ ગણતી વખતે તેના પર થૂંક લગાવવાની આદત હોય છે. પરંતુ, આવું ક્યારેય ન કરવું જોઈએ. કહે છે કે ગંદા હાથે ધનને સ્પર્શ કરવાથી લક્ષ્મીજી ઘર છોડીને જતા રહે છે. અને પરિવાર પર મુસીબત ઉતરી પડે છે !

6. એક માન્યતા અનુસાર ઝાડૂ એટલે કે સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે. જેથી સાવરણીને ક્યારેય પગથી ઠોકર ન મારવી જોઈએ. ઘરમાં સાવરણી એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે દેખાય નહીં. એટલું જ નહીં સાવરણી ઊભી તો બિલ્કુલ જ ન રાખવી.

7. શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર મનાય છે. કહે છે કે શુક્રવારની રાત્રે ચોખા અને દહીં ન આરોગવા જોઈએ. તે લક્ષ્મીકૃપા પ્રાપ્ત કરવામાં અવરોધક બની શકે છે !

8. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભોજન સમયે અન્નનો બગાડ તો બિલ્કુલ જ ન કરવો જોઈએ. કારણ કે અન્નનો અનાદર એ લક્ષ્મીના અનાદર સમાન જ મનાય છે !

9. દેવી લક્ષ્મીને ચંદન ખૂબ જ પ્રિય છે. પણ, કહે છે કે ક્યારેય એક હાથેથી ચંદન ન ઘસવું જોઈએ. બે હાથેથી ચંદન લસોટીને તેને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ. અને ત્યારબાદ વાટકીમાંથી ચંદન લઈને જ દેવીને તિલક કરવું જોઈએ.

10. ઉલ્લેખનીય છે કે શ્રીવિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્મીની પૂજા અપૂર્ણ મનાય છે. એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે. પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

આ પણ વાંચોઃ શિક્ષણ આડેના અવરોધોને દૂર કરશે સૂર્યદેવ ! જાણો કયા મંત્ર દ્વારા કારકિર્દીને મળશે વેગ ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">