Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા

સર્પસત્રનો પ્રતાપ જ કંઈક એવો હતો કે નાગ સ્વયં જ આવીને યજ્ઞકુંડમાં હોમાઈ જતા. કહે છે કે આ ધરતી પર પહેલાં કુલ નવકુળ નાગ હતા. પરંતુ, આઠકુળ નાગ તો જન્મેજયના યજ્ઞમાં જ હોમાઈ ગયા !

Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા
શ્રાવણ માસની પંચમી એટલે નાગ પંચમી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:27 AM

વિક્રમ સંવત અનુસાર દર મહિનામાં બે પંચમી (panchmi) આવતી હોય છે. એક સુદ પક્ષની અને એક વદ પક્ષની. પરંતુ, તે સૌમાં શ્રાવણ માસમાં આવતી પંચમીનું એક આગવું જ મહત્વ છે. કારણ કે આ પંચમી નાગ પંચમી (nag panchami) તરીકે ઓળખાય છે. કેટલાંક વિસ્તારોમાં સુદ પક્ષની પંચમી નાગ પંચમી તરીકે ઉજવાય છે, તો ક્યાંક વદ પક્ષની પંચમીએ નાગ પૂજાનો મહિમા છે. આ નાગ પંચમી શા માટે ઉજવાય છે, તે સંબંધી અનેકવિધ કથાઓ, દંતકથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ, અમારે આજે એક એવી કથાની વાત કરવી છે, કે જેના વિશે ભાગ્યે જ કોઈ જાણે છે.

નાગ પંચમીના પ્રારંભ સાથે જોડાયેલી આ કથાનો આમ તો અનેક પુરાણોમાં ઉલ્લેખ મળે છે. પણ, આ કથા જ નાગ પંચમી સાથે જોડાયેલી હોવાનો ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે. આ કથા સ્વયં નાગકુળના ઉદ્ધાર સાથે પણ જોડાયેલી છે. આવો, આજે તે જ રસપ્રદ કથાને જાણીએ.

પ્રચલિત કથા અનુસાર ઋષિ કશ્યપની પત્ની કદ્રુથી સર્પ પ્રજાતિનું પ્રાગટ્ય થયું છે. પરંતુ, એકવાર સ્વયંની વાત ન માનનારા સંતાનો પર ક્રોધે ભરાઈ ખુદ કદ્રુએ જ સર્પ પ્રજાતિને ભયંકર શ્રાપ આપી દીધો, કે તેઓ જન્મેજયના ‘સર્પસત્ર’માં હોમાઈને મૃત્યુને પામશે ! આ શ્રાપથી બચવા સર્પ પ્રજાતિ બ્રહ્માજીની શરણમાં ગઈ. બ્રહ્માજીએ કહ્યું કે ઋષિ જરત્કારુથી થનારો પુત્ર કદાચ નાગકુળને તારી શકશે. આ વાત સાંભળી વાસુકીનાગે તેમની બહેન મનસાના વિવાહ ઋષિ જરત્કારુ સાથે કરાવી દીધાં.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દેવી મનસા આજે નાગ માતા તરીકે પૂજાય છે. આ દેવી મનસા સ્વયં શિવજીના જ માનસપુત્રી હોવાનો ભવિષ્યપુરાણ અને લિંગપુરાણમાં ઉલ્લેખ મળે છે. કહે છે કે દેવી મનસા સગર્ભા થતાં જ ઋષિ જરત્કારુ તપસ્યા માટે નીકળી પડ્યા. અને ત્યારબાદ માતા પાર્વતી અને મહાદેવના સાનિધ્યમાં જ દેવી મનસાએ પુત્ર ‘આસ્તિક’ને જન્મ આપ્યો. સ્વયં મહાદેવે જ આસ્તિકને જનોઈ આપી વેદ-વેદાંગમાં પારંગત કર્યા. બીજી તરફ એક શ્રાપવશ તક્ષક નાગના દંશથી રાજા પરક્ષિતનું મૃત્યુ થયું. અને ક્રોધે ભરાયેલાં તેમના પુત્ર જન્મેજયે ‘સર્પસત્ર’નું આયોજન કર્યું.

Do you know how the celebration of Nagpanchami started Learn the story of the salvation of the snake species

રાજા જન્મેજયે કરાવ્યું હતું સર્પસત્રનું આયોજન

આ સર્પસત્રનો પ્રતાપ જ કંઈક એવો હતો કે નાગ સ્વયં જ આવીને યજ્ઞકુંડમાં હોમાઈ જતા. કહે છે કે, આ ધરતી પર પહેલાં કુલ નવકુળ નાગ હતા. પરંતુ, આઠકુળ નાગ તો જન્મેજયના યજ્ઞમાં જ હોમાઈ ગયા ! આ મુસીબતથી ઉગરવા દેવતાઓએ દેવી મનસાનું શરણું લીધું. અને માતા મનસાની જ આજ્ઞાથી ઋષિ આસ્તિક જન્મેજયના યજ્ઞમાં પહોંચ્યા. સ્વયંના બુદ્ધિ અને વાણીચાતુર્યથી આસ્તિકે જન્મેજયને વચન પાલન માટે પ્રતિબદ્ધ કર્યા. અને પછી સર્પયજ્ઞને રોકી દેવાની માંગ કરી. આખરે, વચને બંધાયેલાં જન્મજેયે યજ્ઞ રોકાવી દીધો. અને તે સાથે જ ધરતી પરનો એકકુળ નાગ રક્ષિત રહી ગયો !

દંતકથા એવી છે કે નાગની મુક્તિનો તે દિવસ એ શ્રાવણ માસની પંચમીનો દિવસ હતો. કે જેને આજે આપણે નાગ પંચમી તરીકે ઉજવીએ છીએ. આમ નાગ પંચમીનો દિવસ એ તો સ્વયં નાગકુળના પણ ઉદ્ધારનો દિવસ મનાય છે.

આ પણ વાંચોઃકાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તમ છે આ ભૂમિ ! અહીં સ્વયં શિવ-પાર્વતી બન્યા નાગેશ્વર-નાગેશ્વરી !

આ પણ વાંચોઃઆ જન્માષ્ટમીએ રંગથી રીઝવો ‘રંગ રસીયા’ને, સઘળા મનોરથ થશે પૂર્ણ

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">