અનેક ઉપાય છતાં ઘરમાં નથી ટકતું ધન? આ રીતે કરો વાસ્તુદોષનું નિવારણ, સમૃદ્ધિનું થશે આગમન!

ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંદકી રહેતી હોય, તો પણ પરિવારને (Family) આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલે સૌથી વધુ મહત્વનું એ જ છે, કે ઘરની આ દિશામાં બિલ્કુલ પણ ગંદકી ન રાખવી.

અનેક ઉપાય છતાં ઘરમાં નથી ટકતું ધન? આ રીતે કરો વાસ્તુદોષનું નિવારણ, સમૃદ્ધિનું થશે આગમન!
Keep in mind these simple Vastu rules for home Never have to worry
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 20, 2022 | 5:52 AM

આજકલ ઘણાં લોકોને એ સવાલ મૂંઝવતો હોય છે કે તેમની કમાણી ખૂબ જ સારી હોવા છતાં ઘરમાં ધન ટકતું જ નથી હોતું ! એવું બને છે કે ઘરમાં આવક તો ખૂબ સારી થાય છે પણ ઘરમાં આવેલું તે ધન કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જ જાય છે. બચત તો દૂરની વાત રહી, ઘણીવાર આર્થિક સંકડામણનો સામનો પણ કરવો પડે છે ! જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોય, તેના માટે તમારું પોતાનું જ ઘર જવાબદાર હોઈ શકે છે ! તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ, વાસ્તુદોષની સમસ્યાને લીધે વ્યક્તિને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ! આવો, આજે વિગતે આ સમસ્યાને સમજીએ અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીએ.

વાસ્તુદોષથી થતી આર્થિક સમસ્યા ! 

⦁ આવક સારી હોવા છતાં ઘરમાં નાણાં બચતા જ ન હોય !

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

⦁ આવક હોવા છતાં હંમેશા ખર્ચ વધારે જ થઈ જાય. જેના લીધે આર્થિક સંકડામણનો સામનો કરવો પડે !

⦁ સારું કમાતા હોવા છતાં તમે દેવાની જાળમાં ફસાઈ ગયા હોવ અને અનેક પ્રયાસ છતાં તેમાંથી બહાર નીકળવું વધુને વધુ મુશ્કેલ બની ગયું હોય!

⦁ મોટાભાગની આવક દેવાના વ્યાજ પાછળ કે ઘરના લોકોની બીમારી પાછળ જ ખર્ચાઈ જતી હોય !

⦁ કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા હોય અને આવકનો મોટો હિસ્સો તેમાં જ રોકાઈ ગયો હોય !

દિશાથી વાસ્તુ દોષ !

વાસ્તુ અનુસાર જોઈએ તો જ્યારે ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં દોષ રહ્યો હોય ત્યારે વ્યક્તિને આવી આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે. એમાં પણ જો ઘરની ઉત્તર દિશાની સરખામણીએ ઘરની દક્ષિણ દિશા ઊંચી હોય તો વ્યક્તિને વધારે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં ઘરના વાસ્તુદોષનું નિવારણ અનિવાર્ય બની જાય છે. ત્યારે આવો જાણીએ, કે આ માટે કેવાં ઉપાયો અજમાવવા જોઈએ.

ગંદકી ન રાખો

ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંદકી રહેતી હોય, તો પણ પરિવારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલે સૌથી વધુ મહત્વનું એ જ છે, કે ઘરની આ દિશામાં બિલ્કુલ પણ ગંદકી ન રાખવી.

ઉત્તર દિશામાં શ્રીયંત્ર !

જો ઘરની ઉત્તર દિશાની સરખામણીએ ઘરની દક્ષિણ દિશા થોડી ઊંચી હશે તો પણ ઘરમાં લક્ષ્મી ટકતા નથી ! ઘરમાં લક્ષ્મીનું આગમન, એટલે કે ધનનું આગમન તો થાય છે, પરંતુ, દિશા દોષને લીધે લક્ષ્મી ઘરમાં ટકતા નથી ! આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઉત્તર દિશામાં મોટાં શ્રીયંત્રની વિધિવત સ્થાપના કરવી જોઈએ. આ ઉપાયથી ચોક્કસપણે શુભ પરિણામની પ્રાપ્તિ થશે.

છોડથી સમૃદ્ધિ !

ઘરની ઉત્તર-દક્ષિણ દિશાઓમાં છોડવા રોપીને પણ તમે તમારી આર્થિક સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આ માટે ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ અથવા તો કેળનો છોડ લગાવવો. એ જ રીતે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મનીપ્લાન્ટના બે છોડ કુંડામાં લગાવવા જોઈએ.

આ એ ઉપાયો છે કે જે કરવાથી સમસ્યામાં ચોક્કસથી ઘણાં અંશે રાહત મળશે. અલબત્, સંપૂર્ણ રાહત માટે દક્ષિણ કરતા ઉત્તરનો ખૂણો નીચો કરાવવો વધુ હિતાવહ રહેશે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">