AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન

આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને મહાદેવના લગ્ન થયા હતા, તેથી આ દિવસ મહાદેવ અને માતા પાર્વતી બંનેને ખૂબ જ પ્રિય છે.

Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન
Maha Shivratri (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 12:13 PM
Share

મહા શિવરાત્રી એ મહાદેવ અને માતા પાર્વતી (Mahadev and Mata Parvati) ની વિશેષ પૂજાનો દિવસ આવવાનો છે. દર વર્ષે આ તહેવાર ફાલ્ગુન માસ (Phalguna Month) ના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને મહાદેવના લગ્ન થયા હતા, તેથી આ દિવસ મહાદેવ અને માતા પાર્વતી બંનેને ખૂબ જ પ્રિય છે. જે ભક્તો મહાશિવરાત્રીનું વ્રત રાખીને સાચા હૃદયથી મહાદેવ અને મા ગૌરીની પૂજા કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે મહાશિવરાત્રિ પર ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે, આવી સ્થિતિમાં જો તમે ભોલેનાથની પૂજા કરો છો, તો તમારે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી તેઓ ખૂબ જ ખુશ થશે અને તમારી દરેક ઈચ્છા પૂરી કરશે.

મહાશિવરાત્રી પર શુભ યોગ બની રહ્યા છે

આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બનવાના છે. દિવસના 11 વાગ્યો અને 18 મીનિટ સુધી પરિગ્રહ યોગ રહેશે. ત્યારપછી શિવયોગ શરૂ થશે. પરિઘ યોગમાં તમે શત્રુઓને હરાવવા માટે કોઈ ખાસ ઉપાય કરી શકો છો, તમને આમાં ચોક્કસ સફળતા મળશે. બીજી તરફ શિવ યોગમાં તમે કોઈ મહત્વપૂર્ણ અને શુભ કાર્ય કરી શકો છો. એ કામમાં સફળતા મળવાની સાથે તમને તેનું અનેકગણું પુણ્ય પણ મળશે. એટલું જ નહીં, મહાશિવરાત્રીના દિવસે મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને બુધ ગ્રહો મકર રાશિમાં હોવાના કારણે પંચગ્રહી યોગ પણ બનવા જઈ રહ્યો છે.

મહાદેવની પૂજામાં આ વસ્તુઓ અવશ્ય ચઢાવો

બીલીપત્ર

મહાદેવને બીલીપત્ર અતિ પ્રિય છે. બીલીપત્રના પાન હંમેશા મહાદેવને ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ ત્રણેય પાંદડાઓને ત્રિદેવ અને મહાદેવના ત્રિનેત્રનું નામ આપવામાં આવ્યું છે. બીલીના પાન ચઢાવવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે, પરંતુ ખંડિત બીલીના પાન ક્યારેય ચઢાવતા નહીં.

પીપળાના પાન

શું તમે જાણો છો કે પીપળના પાન પણ મહાદેવને ખૂબ જ પ્રિય છે. જો તમને કોઈ કારણસર બીલીના પાન ન મળે તો તમે મહાદેવને પીપળાના પાન અર્પણ કરી શકો છો.

ભાંગ

આ દિવસે, તમે શિવને ભાંગના પાન અથવા ભાંગથી બનેલી ઠંડાઇ પણ અર્પણ કરી શકો છો. એવું કહેવાય છે કે જ્યારે શિવે સમુદ્ર મંથન દરમિયાન ઝેર પીધું ત્યારે તેની સળગતી સંવેદનાને શાંત કરવા માટે ભાંગના પાનનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે ભાંગના પાન પણ મહાદેવને ખૂબ પ્રિય છે.

ધતુરા

મહાદેવને ધતુરા પણ ખુબ પ્રિય છે તમે ધતુરા પણ અર્પણ કરી શકો છો-. કહેવાય છે કે ધતુરા ચઢાવવાથી મહાદેવ પોતાના ભક્તની તમામ પરેશાનીઓ દૂર કરે છે. દાતુરામાં ઔષધીય ગુણો છે. સમુદ્ર મંથન માંથી નિકળેલા ઝેરની વેદના શાંત કરવા ગાંજાના પાનની સાથે ધતુરાનો પણ ઉપયોગ થતો, તેથી ધતુરો પણ મહાદેવને પ્રિય છે.

શમીના પાન

જો તમારા પર શનિદેવનો પ્રકોપ હોય તો તમારે મહાશિવરાત્રીના દિવસે મહાદેવને શમીના પાન અર્પણ કરવા જોઈએ. શમીના પાન શિવને ખૂબ પ્રિય છે.

આ પણ વાંચો :2008 Ahmedabad Serial Blast verdict Live: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 49 દોષિતોને આજીવન કેદની સજા, દરેકને 10 હજારનો દંડ

આ પણ વાંચો :Corona Update: કોરોનાના 25,920 નવા કેસ સામે આવ્યા, 492 લોકોના મોત, એક્ટિવ કેસ ઘટીને 3 લાખથી ઓછા થયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">