જાણી લો ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના આ નિયમ, ગજરાજ બદલી દેશે તમારું ભાગ્ય !

હાથી (elephant) સૂંઢની સાથે આગળના બે પગ પણ જો ઉપરની તરફ ઉઠેલા હોય તો તેવી પ્રતિમા અદભુત સુરક્ષા શક્તિનું પ્રતિક મનાય છે. તો, હાથીની ઝૂકેલી સૂંઢ એ તેની એકાગ્રતાને પ્રદર્શીત કરે છે.

જાણી લો ઘરમાં હાથીની મૂર્તિ રાખવાના આ નિયમ, ગજરાજ બદલી દેશે તમારું ભાગ્ય !
Silver Elephant
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 12, 2022 | 6:33 AM

સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્યમાં સર્વ પ્રથમ શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. કારણ કે ગણપતિ એ વિઘ્નોના હરનારા દેવતા મનાય છે. આ ગણેશજી એ ‘ગજ’મુખ છે. અને એટલે જ તે ગજાનનના નામે પણ પૂજાય છે. પણ, શું આપ જાણો છો કે ગજમુખ ગણેશજીની પ્રતિમાની સાથે ગજરાજની પ્રતિમાનું આપના ઘરમાં હોવું કે ધંધા-રોજગારની જગ્યા પર હોવું અત્યંત ફળદાયી બની શકે છે ? આવો, આજે એ જાણીએ કે હાથીની એક પ્રતિમા કેવી રીતે તમારા જીવનમાંથી રાહુદોષનું નિવારણ કરશે અને સાથે આર્થિક સમૃદ્ધિનું આગમન પણ કરાવશે.

શું નિર્દેશ કરે છે હાથીની સૂંઢ ?

⦁ હાથીની ઉપરની તરફ ઉઠેલી સૂંઢ સકારાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે. હાથીનું આ રીતનું સ્વરૂપ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા અનુસાર ઘરમાં ઉપરની તરફ ઉઠેલી સૂંઢવાળા હાથીની મૂર્તિ કે ચિત્ર રાખવાથી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

⦁ હાથીની સૂંઢની સાથે આગળના બે પગ પણ જો ઉપરની તરફ ઉઠેલા હોય તો તેવી પ્રતિમા અદભુત સુરક્ષા શક્તિનું પ્રતિક મનાય છે.

⦁ હાથીની ઝૂકેલી સૂંઢ એ તેની એકાગ્રતાને પ્રદર્શીત કરે છે.

⦁ અંદરની તરફ વળેલી સૂંઢ એ હાથીની સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા અને દીર્ઘાયુષ્ય દર્શાવે છે.

⦁ બે હાથીઓ જો અંદરો અંદર સૂંઢ મીલાવી રહ્યા હોય તો તે દોસ્તી અને સારા સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે.

સંતાનનું સુખ

જે દંપતી સંતાન સુખથી વંચિત છે, અને સંતાનની કામના રાખી રહ્યું છે તેમણે તેમના ઘરમાં સાત હાથીના ઝૂંડવાળી મૂર્તિ રાખવી જોઈએ. આ મૂર્તિ રૂમના ઉત્તર-પૂર્વના ખૂણામાં (ઈશાન કોણમાં) એક ટેબલ પર રાખવી જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગ ચોક્કસપણે ફળદાયી બનશે.

દેવી લક્ષ્મીની કૃપા

માન્યતા અનુસાર ઘરની ઉત્તર દિશામાં સ્ફટિક કે સફેદ પત્થરમાંથી બનેલ હાથીની મૂર્તિ રાખવાથી સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. અને સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે !

રાહુદોષનું નિવારણ

જે વ્યક્તિ રાહુથી પીડિત છે, જેની કુંડળીમાં પાશ કે સમયોગ છે, જેની કુંડળીમાં રાહુ કર્ક કે સિંહ રાશિમાં છે, તેમણે તેમના ડ્રોઇંગરૂમમાં  લાકડી કે ધાતુની હાથીની મૂર્તિ રાખવી જોઇએ. તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થવા લાગે છે

કાર્યક્ષેત્રમાં સફળતા

કાર્યક્ષેત્રના મુખ્યદ્વાર પર હાથીના જોડની મૂર્તિ કે ચિત્ર રાખવું જોઈએ. તેનાથી ધંધા-રોજગારને વેગ મળશે. યાદ રાખો, કે હાથીની નીચે ઝૂકેલી સૂંઢવાળી પ્રતિમા ઓફિસ કે કારોબાર માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.

કારકિર્દીમાં પ્રગતિ

જે લોકો કારકિર્દીમાં પ્રગતિની મનશા રાખી રહ્યા છે અથવા તો જેમને સારી નોકરી મેળવવાની ઈચ્છા છે, તેમણે ઘરની ઉત્તર દિશામાં હાથીની એક મૂર્તિ જરૂરથી રાખવી જોઈએ.

ઘરમાં ગજરાજની મૂર્તિ રાખવાના નિયમ 

⦁ જો ઘરમાં હાથીની મૂર્તિ રાખી હોય, તો તેનું મુખ રૂમમાં અંદરની તરફ જ હોવું જોઈએ, બહારની તરફ નહીં !

⦁ હાથીની મૂર્તિને ઘરમાં કે કાર્યક્ષેત્રમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">