સપ્તાહના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવું જોઈએ ? જાણો તેનાથી કઈ મનોકામના થશે પૂર્ણ

તમામ ધર્મોમાં વ્રતની પરંપરા જોવા મળે છે. આ વ્રત, જે મનોકામના માટે રાખવામાં આવે છે, તે મનુષ્યના તમામ પાપોનો નાશ કરે છે અને તેને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. વ્રત કરવાથી મનુષ્યનું માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પણ થાય છે.

સપ્તાહના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવું જોઈએ ? જાણો તેનાથી કઈ મનોકામના થશે પૂર્ણ
વ્રતનું મહત્વ અને લાભ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 12:15 PM

સનાતન પરંપરામાં તમામ દેવી -દેવતાઓ માટે વ્રત રાખવું એ એક રીતે પવિત્ર યજ્ઞ અથવા હવનનું બીજું સ્વરૂપ છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેવી-દેવતાની આરાધના કરીને કૃપા અને આશિર્વાદ મેળવવાનો છે. ખરા અર્થમાં વ્રતને ધર્મનું સાધન માનવામાં આવે છે. જેમાં વ્રતના તમામ નિયમો અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે અને જપ, તપસ્યા વગેરે દ્વારા પોતાના આરાધ્યને પ્રસન્ન કરવામાં આવે છે.

લગભગ તમામ ધર્મોમાં વ્રતની પરંપરા જોવા મળે છે. આ વ્રત, જે મનોકામના માટે રાખવામાં આવે છે, તે મનુષ્યના તમામ પાપોનો નાશ કરે છે અને તેને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. વ્રત કરવાથી મનુષ્યનું માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પણ થાય છે. અહીં જાણો અઠવાડિયાના સાત દિવસ દરમિયાન કયા દેવનું વ્રત કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે.

રવિવારનું વ્રત આ વ્રત પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય માટે રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી રોગ, દુ:ખ અને શત્રુનો ભય દૂર થાય છે તેમજ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સોમવારનું વ્રત ચંદ્ર દેવ માટે રાખવામાં આવતું આ વ્રત વૈવાહિક જીવનમાં માનસિક શાંતિ તેમજ સુખ અને સમૃદ્ધિ લાવે છે.

મંગળવારનું વ્રત ધરતી પુત્ર મંગળ દેવ માટે વ્રત રાખવાથી વ્યક્તિને જમીન અને ભવનનું સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે તેને દુશ્મનો પર વિજય, પુત્ર સુખ, વાહન સુખ વગેરે પ્રાપ્ત થાય છે.

બુધવારનું વ્રત ચંદ્ર દેવના પુત્ર બુધનું વ્રત કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ, વ્યવસાયમાં નફો, સંતાન પ્રાપ્તિ અને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થાય છે.

ગુરુવારનું વ્રત દેવગુરુ બૃહસ્પતિ માટે વ્રત રાખીને વ્યક્તિને જ્ઞાન, સન્માન અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં ધન-ધાન્યની કોઈ કમી રહેતી નથી.

શુક્રવારનું વ્રત શુક્ર દેવનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે અને તેનું લગ્નજીવન હંમેશા સુખી રહે છે.

શનિવારનું વ્રત સૂર્ય પુત્ર શનિદેવનું વ્રત કરવાથી વ્યક્તિને શત્રુઓ અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે. જે લોકો લોખંડ, મશીન વગેરે સંબંધિત કામ કરે છે તેમને આ વ્રતથી વિશેષ સફળતા મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : ભગવાન ગણેશને અર્પણ કરવા આ 5 ભોગની વાનગીઓ બનાવો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">