Ganesh Chaturthi 2021 : ભગવાન ગણેશને અર્પણ કરવા આ 5 ભોગની વાનગીઓ બનાવો
ગણેશ ચતુર્થી 2021: એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશને મીઠાઈઓ, ખાસ કરીને મોદક પસંદ છે. આ જ કારણ છે કે, ભક્તો તેમના પ્રિય દેવતાને ચઢાવવા માટે સ્વાદિષ્ટ મીઠી વાનગીઓ તૈયાર કરે છે.
Ganesh Chaturthi 2021 : આજે ગણેશ ચતુર્થી છે અને ભગવાન ગણેશ (Lord Ganesha)ના સ્વાગત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તે હિન્દુઓમાં સૌથી મહત્વનો તહેવાર છે. આ વર્ષે, ગણેશ ચતુર્થીની ઉજવણી (Ganesh Chaturthi 2021)10 સપ્ટેમ્બર આજથી 2021 થી શરૂ થશે. આ 10 દિવસનો તહેવાર છે. ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં આ તહેવાર ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. મોટી ઉજવણીથી લઈને ઘરમાં નાની પૂજાઓ – લોકો તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવવા માટે કોઈ કસર છોડતા નથી.
ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2021)ની ઉજવણીમાં ખોરાક મુખ્ય ભૂમિકા ભજવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને મીઠાઈઓ, ખાસ કરીને મોદક પસંદ છે. આ જ કારણ છે કે ભક્તો તેમના પ્રિય દેવતાને ચ ઢાવવા માટે સ્વાદિષ્ટ મીઠી વાનગીઓ તૈયાર કરે છે. ચાલો જાણીએ કે તમે આ વર્ષે ભગવાન ગણેશ માટે કયો ભોગ તૈયાર કરી શકો છો.
મોદક
ગણેશ ચતુર્થીનો વિચાર જ તરત જ મોદક (Modak)ની યાદ અપાવે છે. તેને ભગવાન ગણેશની પ્રિય વાનગી માનવામાં આવે છે. બાફેલા મોદક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ માટે, તમે મેંદાના લોટમાં નાળિયેર (Coconut), જાયફળ અને કેસર ભરીને મોદક બનાવી શકો છો. તેને બાફી સ્વાદ માણી શકો છો.
શીરો
સોજીની ખીર જેવી જ, શીરો (Shiro)એક મીઠી વાનગી છે જે રવા, ઘી, ડ્રાય ફ્રુટ્સ અને અન્ય ઘણી સામગ્રીઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકોને શીરામાં અનનાસનું મિશ્રણ મિક્સ કરે છે,
બાસુંદી
બાસુંદી (Basundi)રબડી જેવી છે. કોઈપણ ઉજવણી માટે આ એક લોકપ્રિય વિક્લપ છે. સામાન્ય રીતે બાસુંદીને પુરી સાથે ખાવામાં આવે છે. તે દૂધ, કેસર, બદામ અને પિસ્તાથી બનાવવામાં આવે છે. બાસુંદી સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક (Karnataka)માં બનાવવામાં આવનારી મીઠાઈ છે.
પુરણ પોળી
ગણેશ ચતુર્થીની ઉજવણીને ભવ્ય બનાવવા માટે, તમે પરંપરાગત પુરણપોળી બનાવી શકો છો. તે ચણા અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મરાઠી ભાષામાં મીઠી ભરણને પુરણ કહેવાય છે અને બહારની રોટલીને પોલી કહેવાય છે. આ એક સ્વાદિષ્ટ ડિશ છે જે ખૂબ જ સ્વાદ ધરાવે છે. તે ખૂબ જ સરળ અને ઝડપી બને છે. તમે આ વાનગીને ટિફિનમાં પણ પેક કરી શકો છો, જે તમામ ઉંમરના લોકો પસંદ કરે છે.
લાડુ
લાડુ ઘણી રીતે બનાવી શકાય છે. તેમાં બૂંદી, રવો, ચણાનો લોટ, ડ્રાયફ્રુટ્સ વગેરેના લાડુનો સમાવેશ થાય છે. લાડુ લગભગ દરેકના પ્રિય છે. તમે ગણેશ ચતુર્થી નિમિત્તે ચોખાના લાડુ બનાવી શકો છો.સૌથી પ્રિય મીઠી વાનગીઓમાંની એક છે.
આ પણ વાંચો : Ganesh Chaturthi Special Recipe : ગણેશ ચતુર્થી પર બાપાને ધરાવો રવા-નાળિયેરના લાડુનો ભોગ