Navratri 2021 : નવરાત્રિમાં દેવીની પૂજા કરતા પહેલા તમારે આ 9 મહત્વના નિયમો જાણવા જરૂરી

TV9 GUJARATI

|

Updated on: Oct 09, 2021 | 12:48 PM

જીવનને લગતી તમામ પ્રકારની પ્રતિકૂળતાઓને એક ક્ષણમાં દૂર કરીને સુખ અને સંપત્તિ અને આરોગ્ય પ્રદાન કરતી દેવી દુર્ગાની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો નવરાત્રિમાં શક્તિની ઉપાસનાના 9 મહત્વના નિયમો જાણીએ.

Navratri 2021 : નવરાત્રિમાં દેવીની પૂજા કરતા પહેલા તમારે આ 9 મહત્વના નિયમો જાણવા જરૂરી
Devi Puja

Follow us on

શક્તિની ઉપાસનાનો મહોત્સવ શરૂ થયો છે. મા દુર્ગા શક્તિની દેવી છે અને તે નિર્બળને શક્તિ આપે છે, ગરીબોને સંપત્તિ આપે છે અને શરણ લેનારાઓનું રક્ષણ કરે છે. જીવનને લગતી તમામ પ્રકારની પ્રતિકૂળતાઓને એક ક્ષણમાં દૂર કરીને સુખ અને સંપત્તિ અને આરોગ્ય પ્રદાન કરતી દેવી દુર્ગાની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો નવરાત્રિમાં શક્તિની ઉપાસનાના 9 મહત્વના નિયમો જાણીએ.

1. જો નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા માટે મંત્ર જાપ કરતી વખતે ચંદનની માળા ઉપલબ્ધ હોય, તો તેનો ઉપયોગ કરો કારણ કે તે દેવીની મંત્ર સાધનામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2. જો તમે નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરતા હોય તો તેના મંત્રોનો જાપ કરવા માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરો.

3. નવરાત્રિ દરમિયાન, દેવીના મંત્રોનો જાપ દરરોજ નિયમિત સંખ્યામાં કરવો જોઈએ. વધુ કે ઓછા મંત્રો ક્યારેય ન કરો. મંત્રનો જાપ કરવા માટે બીજા કોઈના આસનનો ઉપયોગ ન કરો અને મંત્રનો જાપ એક નિશ્ચિત સમયે ચોક્કસ સ્થળે જ કરો.

4. ઘણા લોકોને બેસતી વખતે હાથ -પગ હલાવવાની આદત હોય છે. આ સ્થિતિમાં દેવીના મંત્રનો જાપ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો અને તમારા શરીરને હલાવો નહીં.

5. શક્તિની સાધના કરવા માટે હંમેશા ઉનના આસનનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે નવરાત્રિ દરમિયાન મા કાલીની સાધના કરી રહ્યા છો, તો તમારે કાળા રંગની વસ્તુઓનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે કાળા વસ્ત્રો અને કાળા રંગનું આસન વગેરે.

6. દુર્ગા પૂજામાં ઘણી વસ્તુઓની જરૂર હોય છે તેથી અગાઉથી એકત્રિત કરી રાખવી જોઈએ.

7. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરતી વખતે વ્યક્તિએ હંમેશા પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ.

8. નવરાત્રિમાં દેવીની ઉપાસના કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

9. નવરાત્રિ દરમિયાન, જે દેવીનું તમે પૂજન કરી રહ્યા છો, મનમાં હંમેશા તે સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. નવરાત્રિમાં શક્તિની આરાધનાના શુભ ફળની પ્રાપ્તિ માટે વ્રત રાખવું જોઈએ. તમે એક દિવસ અથવા તો નવ દિવસ સુધી વ્રત રાખી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

આ પણ વાંચો : Horoscope Today 09 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati