AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય
Vastu Tips For Home - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:34 PM
Share

પાંચ તત્વો પર આધારિત વાસ્તુનો (Vastu) સંબંધ આપણી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા સાથે છે. આપણે તેનાથી સંબંધિત નિયમોની અવગણના ન કરવી જોઈએ. અન્યથા કોઈ અનિચ્છનીય વાસ્તુ દોષ હોય અથવા તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. જેના કારણે ઘરના લોકોને તન, મન અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ કંઈક આવી જ સમસ્યા છે, તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

1. સનાતન પરંપરા અનુસાર ઘરમાં દરરોજ પોતાના ઇષ્ટદેવની પૂજામાં ધૂપ-દીપ પ્રગટાવવાથી દૈવી કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

2. જો તમને લાગે છે કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હંમેશા રહે છે, તો તમારે તેને દૂર કરવા માટે મીઠાના પાણીથી પોતું લગાવવું જોઈએ. જો તમે દરરોજ આ ઉપાય ન કરી શકો તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કરો.

3. ઘરની અંદર ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂજામાં ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે ગાયત્રી મંત્રનો જાપ જાતે કરી શકતા નથી, તો ગાયત્રી મંત્રનો ઓડિયો વગાડો.

4. જો કોઈપણ વાસ્તુ દોષના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા કાયમ રહે છે, તો તેને દૂર કરવા માટે, તે સ્થાનની આસપાસ એક વાટકીમાં ફટકડીના કેટલાક ટુકડા રાખો. ફટકડીના ટુકડાને હંમેશા વાટકીમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ જોઈ ન શકે.

5. ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દરવાજાની બહાર હળદરનું પાણી છાંટવું. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ કાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

6. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ટાળવા માટે, તમારે તમારા મુખ્ય દ્વાર પર રિદ્ધિ-સિદ્ધિ આપનાર અને તમામ પરેશાનીઓમાંથી બચાવનાર ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય મુકવી જોઈએ.

7. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ ન થવા દેવા માટે, તમારા ઘરના બ્રહ્મ સ્થાનમાં કચરો, ચંપલ અને ભંગાર ન રાખો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Shiva abhishek: તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત

આ પણ વાંચો : Shiva blessings: આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !

Follow Us
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
Breaking News : પક્ષપલટાની સાથે જામ્યો ચૂંટણીનો જંગ
Breaking News : પક્ષપલટાની સાથે જામ્યો ચૂંટણીનો જંગ
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો, તમને મિત્રો તરફથી ટેકો મળશે
ખર્ચાઓને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો, તમને મિત્રો તરફથી ટેકો મળશે
રાજકોટના કોઠારીયા રોડ પર યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવી તસ્કર ફરાર
રાજકોટના કોઠારીયા રોડ પર યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવી તસ્કર ફરાર
ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલનો 'બે કલાકનો' કોંગ્રેસ પ્રેમ!
ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલનો 'બે કલાકનો' કોંગ્રેસ પ્રેમ!
g clip-path="url(#clip0_868_265)">