AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય
Vastu Tips For Home - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:34 PM
Share

પાંચ તત્વો પર આધારિત વાસ્તુનો (Vastu) સંબંધ આપણી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા સાથે છે. આપણે તેનાથી સંબંધિત નિયમોની અવગણના ન કરવી જોઈએ. અન્યથા કોઈ અનિચ્છનીય વાસ્તુ દોષ હોય અથવા તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. જેના કારણે ઘરના લોકોને તન, મન અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ કંઈક આવી જ સમસ્યા છે, તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, તમારે નીચે આપેલા સરળ જ્યોતિષ ઉપાયો એક વખત અજમાવવા જોઈએ.

1. સનાતન પરંપરા અનુસાર ઘરમાં દરરોજ પોતાના ઇષ્ટદેવની પૂજામાં ધૂપ-દીપ પ્રગટાવવાથી દૈવી કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

2. જો તમને લાગે છે કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હંમેશા રહે છે, તો તમારે તેને દૂર કરવા માટે મીઠાના પાણીથી પોતું લગાવવું જોઈએ. જો તમે દરરોજ આ ઉપાય ન કરી શકો તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત કરો.

3. ઘરની અંદર ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂજામાં ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે ગાયત્રી મંત્રનો જાપ જાતે કરી શકતા નથી, તો ગાયત્રી મંત્રનો ઓડિયો વગાડો.

4. જો કોઈપણ વાસ્તુ દોષના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા કાયમ રહે છે, તો તેને દૂર કરવા માટે, તે સ્થાનની આસપાસ એક વાટકીમાં ફટકડીના કેટલાક ટુકડા રાખો. ફટકડીના ટુકડાને હંમેશા વાટકીમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ જોઈ ન શકે.

5. ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દરવાજાની બહાર હળદરનું પાણી છાંટવું. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ કાર્યોનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

6. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ટાળવા માટે, તમારે તમારા મુખ્ય દ્વાર પર રિદ્ધિ-સિદ્ધિ આપનાર અને તમામ પરેશાનીઓમાંથી બચાવનાર ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય મુકવી જોઈએ.

7. ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ ન થવા દેવા માટે, તમારા ઘરના બ્રહ્મ સ્થાનમાં કચરો, ચંપલ અને ભંગાર ન રાખો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Shiva abhishek: તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત

આ પણ વાંચો : Shiva blessings: આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">