AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamika Ekadashi 2021: ક્યારે છે કામિકા એકાદશી ? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત અને વ્રતની કથા

કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે.

Kamika Ekadashi 2021: ક્યારે છે કામિકા એકાદશી ? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત અને વ્રતની કથા
કામિકા એકાદશી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:06 PM
Share

કામિકા એકાદશીને શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. જો તમારી કોઈ પણ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહે છે, તો કામિકા એકાદશી પર વિધિવત વ્રત રાખીને, તમારે ઈશ્વરની સામે તે ઈચ્છાની પૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે.

કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. આ વખતે કામિકા એકાદશીનું વ્રત 4 ઓગસ્ટે રાખવામાં આવશે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. કામિકા એકાદશીનું મહત્વ, શુભ સમય અને અન્ય મહત્વની માહિતી જાણો.

ભગવાન કૃષ્ણએ આ એકાદશીનું મહત્વ જણાવ્યુ હતું

એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે આ એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને તેને તમામ પાપોથી મુક્તિ આપે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણ જીવ કુયોનીમાં જન્મ લેતો નથી.

જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે, તેઓ તમામ પાપોથી દૂર રહે છે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી ઉપવાસના દિવસે આદર સાથે નારાયણની પૂજા કરે છે, તે ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું જ ફળ મેળવે છે.

શુભ મુહૂર્ત

એકાદશી મંગળવાર, 03 ઓગસ્ટના રોજ બપોરે 12:59 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 04 ઓગસ્ટના બપોરે 03:17 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે કામિકા એકાદશીનો ઉપવાસ 4 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. બીજા દિવસે, 5 ઓગસ્ટ, ગુરુવારે, દ્વાદશીની તિથિ સાંજે 05:09 સુધી રહેશે. આ સ્થિતિમાં તમે દ્વાદશીમાં કોઈ પણ સમયે પારણા કરી શકો છો.

વ્રત વિધિ

03 ઓગસ્ટના રોજ સૂર્યાસ્ત પછી એકાદશી ઉપવાસના નિયમો લાગુ પડશે. તમે 03 ઓગસ્ટના સૂર્યાસ્ત પહેલા સાદું ભોજન લો. આ પછી, વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા પછી અક્ષત અને હાથમાં ફૂલો સાથે વ્રતનો સંકલ્પ કરો, પછી પૂજા શરૂ કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરો. આ પછી, કામિકા એકાદશીની વ્રત કથા વાંચો અને નૈવેદ્ય અર્પણ કરો. જો તમે પાણી વગરનું નિર્જળા વ્રત રાખી શકો, તો તે શ્રેષ્ઠ છે. અન્યથા તમે ફળો લઈ શકો છો.

રાત્રે ભગવાનનું ધ્યાન કરો અને ભજન કીર્તન કરો. એકાદશીની રાત્રે જાગરણ કરવાનો પ્રયાસ કરો. બીજા દિવસે, સ્નાન કર્યા બાદ બ્રાહ્મણને જમાડો અને ક્ષમતા અનુસાર દાન કરો, તે પછી જ તમે ભોજન લો. દશમીની રાતથી દ્વાદશીના દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. કોઈની નિંદા કે ટીકા ન કરો. પ્રભુની ભક્તિમાં લીન રહો.

કામિકા એકાદશી ઉપવાસની કથા

પ્રાચીન સમયમાં એક પહેલવાન કોઈ ગામમાં રહેતો હતો. પહેલવાન ખૂબ ક્રોધિત સ્વભાવનો હતો. એક દિવસ પહેલવાનનો એક બ્રાહ્મણ સાથે ઝગડો થયો. ક્રોધે ભરાયેલા પહેલવાને બ્રાહ્મણનો વધ કર્યો. તેના કારણે પહેલવાન બ્રહ્મ હત્યાનો દોષી બની ગયો. પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી ઠેરવીને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તેનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો.

એક દિવસ તેણે એક ઋષિને પાપો દૂર કરવાનો માર્ગ પૂછ્યો. પછી ઋષિએ પહેલવાનને કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાની સલાહ આપી. સાધુના કહેવા પર, પહેલવાન નિયમ અનુસાર કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ કરે છે. એકાદશીની રાત્રે પહેલવાન ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે સૂતો હતો. પછી અચાનક તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા. તેણે પહેલવાનને કહ્યું કે તે તેની ભક્તિ અને પ્રાયશ્ચિતની સાચી ભાવના જોઈને પ્રસન્ન થયા છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પહેલવાનને બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત કર્યો.

આ પણ વાંચો : ગૌ માતાને રોટલી ખવડાવો છો ? જાણી લો તેના જબરદસ્ત ફાયદા, પુણ્યની સાથે મળે છે આ ખુશીઓ

આ પણ વાંચો : મહિનાઓ સુધી સુતા રહે છે ભગવાન? શું છે ત્યાંની રાત અને દિવસની સિસ્ટમ

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">