Kamika Ekadashi 2021: ક્યારે છે કામિકા એકાદશી ? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત અને વ્રતની કથા

કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે.

Kamika Ekadashi 2021: ક્યારે છે કામિકા એકાદશી ? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત અને વ્રતની કથા
કામિકા એકાદશી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:06 PM

કામિકા એકાદશીને શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. જો તમારી કોઈ પણ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહે છે, તો કામિકા એકાદશી પર વિધિવત વ્રત રાખીને, તમારે ઈશ્વરની સામે તે ઈચ્છાની પૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે.

કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. આ વખતે કામિકા એકાદશીનું વ્રત 4 ઓગસ્ટે રાખવામાં આવશે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. કામિકા એકાદશીનું મહત્વ, શુભ સમય અને અન્ય મહત્વની માહિતી જાણો.

ભગવાન કૃષ્ણએ આ એકાદશીનું મહત્વ જણાવ્યુ હતું

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે આ એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને તેને તમામ પાપોથી મુક્તિ આપે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણ જીવ કુયોનીમાં જન્મ લેતો નથી.

જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે, તેઓ તમામ પાપોથી દૂર રહે છે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી ઉપવાસના દિવસે આદર સાથે નારાયણની પૂજા કરે છે, તે ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું જ ફળ મેળવે છે.

શુભ મુહૂર્ત

એકાદશી મંગળવાર, 03 ઓગસ્ટના રોજ બપોરે 12:59 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 04 ઓગસ્ટના બપોરે 03:17 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે કામિકા એકાદશીનો ઉપવાસ 4 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. બીજા દિવસે, 5 ઓગસ્ટ, ગુરુવારે, દ્વાદશીની તિથિ સાંજે 05:09 સુધી રહેશે. આ સ્થિતિમાં તમે દ્વાદશીમાં કોઈ પણ સમયે પારણા કરી શકો છો.

વ્રત વિધિ

03 ઓગસ્ટના રોજ સૂર્યાસ્ત પછી એકાદશી ઉપવાસના નિયમો લાગુ પડશે. તમે 03 ઓગસ્ટના સૂર્યાસ્ત પહેલા સાદું ભોજન લો. આ પછી, વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા પછી અક્ષત અને હાથમાં ફૂલો સાથે વ્રતનો સંકલ્પ કરો, પછી પૂજા શરૂ કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરો. આ પછી, કામિકા એકાદશીની વ્રત કથા વાંચો અને નૈવેદ્ય અર્પણ કરો. જો તમે પાણી વગરનું નિર્જળા વ્રત રાખી શકો, તો તે શ્રેષ્ઠ છે. અન્યથા તમે ફળો લઈ શકો છો.

રાત્રે ભગવાનનું ધ્યાન કરો અને ભજન કીર્તન કરો. એકાદશીની રાત્રે જાગરણ કરવાનો પ્રયાસ કરો. બીજા દિવસે, સ્નાન કર્યા બાદ બ્રાહ્મણને જમાડો અને ક્ષમતા અનુસાર દાન કરો, તે પછી જ તમે ભોજન લો. દશમીની રાતથી દ્વાદશીના દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. કોઈની નિંદા કે ટીકા ન કરો. પ્રભુની ભક્તિમાં લીન રહો.

કામિકા એકાદશી ઉપવાસની કથા

પ્રાચીન સમયમાં એક પહેલવાન કોઈ ગામમાં રહેતો હતો. પહેલવાન ખૂબ ક્રોધિત સ્વભાવનો હતો. એક દિવસ પહેલવાનનો એક બ્રાહ્મણ સાથે ઝગડો થયો. ક્રોધે ભરાયેલા પહેલવાને બ્રાહ્મણનો વધ કર્યો. તેના કારણે પહેલવાન બ્રહ્મ હત્યાનો દોષી બની ગયો. પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી ઠેરવીને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તેનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો.

એક દિવસ તેણે એક ઋષિને પાપો દૂર કરવાનો માર્ગ પૂછ્યો. પછી ઋષિએ પહેલવાનને કામિકા એકાદશીના દિવસે વ્રત કરવાની સલાહ આપી. સાધુના કહેવા પર, પહેલવાન નિયમ અનુસાર કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ કરે છે. એકાદશીની રાત્રે પહેલવાન ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે સૂતો હતો. પછી અચાનક તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા. તેણે પહેલવાનને કહ્યું કે તે તેની ભક્તિ અને પ્રાયશ્ચિતની સાચી ભાવના જોઈને પ્રસન્ન થયા છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પહેલવાનને બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત કર્યો.

આ પણ વાંચો : ગૌ માતાને રોટલી ખવડાવો છો ? જાણી લો તેના જબરદસ્ત ફાયદા, પુણ્યની સાથે મળે છે આ ખુશીઓ

આ પણ વાંચો : મહિનાઓ સુધી સુતા રહે છે ભગવાન? શું છે ત્યાંની રાત અને દિવસની સિસ્ટમ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">