AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગન્નાથ મંદિરમાં છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ! જાણો ઓડિશાના પુરી મંદિરના બ્રહ્મ પદાર્થની રોચક કથા

દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે, જગન્નાથ રથયાત્રા ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે. આ યાત્રામાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે.આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ ભવ્ય રથમાં સવાર થાય છે.

જગન્નાથ મંદિરમાં છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ! જાણો ઓડિશાના પુરી મંદિરના બ્રહ્મ પદાર્થની રોચક કથા
Jagannath Rath Yatra 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 3:00 PM
Share

Jagannath Rath Yatra 2023 :હિન્દુ ધર્મમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ઘણું મહત્વ છે. દર વર્ષે પુરીમાં આ રથયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજીના રથયાત્રા કાઢવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઓરિસ્સા રાજ્યના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર ભારતના ચાર પવિત્ર સ્થાનોમાંથી એક છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ ભાગ લે છે.

આ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ આ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બહેનની આ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન જગન્નાથ અને ભાઇ બલભદ્ર તેને રથ પર લઈને નગર બતાવવા નીકળ્યા. આ દરમિયાન તે ગુંડીચામાં રહેતા તેની માસીના ઘરે પણ ગયા. ત્યારથી આ રથયાત્રાની પરંપરા શરૂ થઈ.

આ પણ વાંચો :Jagannath Rath Yatra 2023 : જાણો જગન્નાથ રથયાત્રાનો ઈતિહાસ અને ત્રણ રથ વિશેની રોચક કથા

આજે રથયાત્રાના અવસર પર અમે તમને જગન્નાથ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ શું છે તે રહસ્યો-

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ તેમના શરીરને છોડી દીધું ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેનું બાકીનું શરીર પંચ તત્વોમાં ભળી ગયું પણ તેનું હૃદય જીવંત રહ્યું. કહેવાય છે કે તેનું હૃદય હજુ પણ સુરક્ષિત છે. એવું માનવામાં આવે છે કે તેમનું આ હૃદય ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર છે અને તે આજે પણ ધબકે છે.

દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે

દર 12 વર્ષ પછી, જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ,ભાઇ બલરામ અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિઓ બદલવામાં આવે છે. જ્યારે પણ આ મૂર્તિઓ બદલવામાં આવે છે, તે સમયે આખા શહેરની વીજળી બંધ થઈ જાય છે. આ દરમિયાન જગન્નાથ પુરીના આ મંદિરની આસપાસ અંધકાર છવાઈ જાય છે.

જ્યારે આ મૂર્તિઓને 12 વર્ષમાં બદલવામાં આવે છે, ત્યારે મંદિરની સુરક્ષા સીઆરપીએફને સોંપવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈપણના પ્રવેશ પર પ્રતિબંધ છે. અંધારા પછી આ મંદિરમાં કોઈ પ્રવેશી શકતું નથી. આ મૂર્તિઓને બદલવા માટે ફક્ત પૂજારીને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી મળે છે. અને તે માટે પૂજારીના હાથ પર મોજા પણ પહેરવામાં આવે છે અને અંધકાર હોવા છતાં આંખે પાટા બાંધવામાં આવે છે જેથી પૂજારી પણ મૂર્તિઓ જોઈ ન શકે.

બ્રમ્હ પદાર્થનું રહસ્ય

જૂની મૂર્તિમાંથી એક વસ્તુ નવી મૂર્તિમાં બદલવામાં આવે છે,તે છે બ્રહ્મ પદાર્થ. આ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. આવો જાણીએ શું છે આ બ્રહ્મ પદાર્થ.

બ્રહ્મ દ્રવ્ય વિશે એવી માન્યતા છે કે જો કોઈ તેને જુએ તો તરત જ મૃત્યુ પામે છે. આ બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે.

ઘણા પૂજારીઓ કહે છે કે મૂર્તિઓ બદલતી વખતે, જ્યારે તેઓ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં બ્રહ્મા પદાર્થ બદલે છે, ત્યારે તેમને તેમના હાથમાં કંઇ ધબકતું કંઇ જીવતી વસ્તું હોવાનો અહેસાસ થાય છે. તેઓએ તેને ક્યારેય જોયો નથી પરંતુ તેને સ્પર્શ કરવાથી તે કૂદતા મારતા સસલા જેવું ફિલ થાય છે.માન્યતા એવી છે કે તે ભગવાનનું હ્રદય છે.

હૃદય લાકડામાં ફેરવાઈ ગયું

શરીર તો પંચતત્વમાં ભળી ગયું પણ હૃદય કાષ્ટ સ્વરૂપ ધારણ કર્યું, આ કાષ્ટ બનેલું હૃદય પાણીમાં વહેતા પુરીના કિનારે પહોંચ્યું, જેણે લાકડાનું રૂપ ધારણ કર્યું હતું. રાજા ઇન્દ્રદ્યુમ્ને રાત્રે એક સ્વપ્ન આવ્યું, જેમાં ભગવાન કૃષ્ણએ તેમને દર્શન આપ્યા અને કિનારે પડેલા લાકડાના સ્વરૂપમાં રહેલા હૃદયની વાત કહી. બીજા દિવસે સવારે રાજા પુરીના દરિયા કિનારે પહોંચ્યો અને તેને પોતાની સાથે લઈ આવ્યો.

લાકડામાંથી બનેલી ભગવાન જગન્નાથની મૂર્તિ

દેવ શિલ્પી વિશ્વકર્માએ તે લાકડીની મદદથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. તેમની સ્થાપના શ્રી જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી હતી. કહેવાય છે કે જ્યાં આ મૂર્તિઓ આવેલી છે, ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ ત્યાં ધડકે છે.

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">