શું કુંડળીમાં સૂર્ય નબળો છે? તો આજથી જ શરૂ કરી દો સૂર્યદેવતાનું આ ફળદાયી વ્રત

ઘણીવાર એવું બને કે ખૂબ જ મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા જ ન મળે તો તેના માટે કુંડળીમાં રહેલો સૂર્યદોષ જવાબદાર હોઈ શકે છે. એટલું જ નહીં, નબળા સૂર્યને કારણે વ્યક્તિને અનેક રોગોનો પણ સામનો કરવો પડી શકે છે !

શું કુંડળીમાં સૂર્ય નબળો છે? તો આજથી જ શરૂ કરી દો સૂર્યદેવતાનું આ ફળદાયી વ્રત
surya devta (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:30 AM

વ્યક્તિની કુંડળીમાં (kundali) સૂર્યનું (surya) સ્થાન ખૂબ જ મહત્વનું મનાય છે. કારણ કે સૂર્યદેવતા પ્રગતિની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય છે, તેને નોકરી-ધંધામાં સફળતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ, તેનાથી વિપરીત જેમનો સૂર્ય નબળો હોય છે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે!

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય દોષ (surya dosha) હોય તેમને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. ઘણીવાર એવું બને કે ખૂબ જ મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા જ ન મળે તો તેના માટે કુંડળીમાં રહેલો સૂર્યદોષ જવાબદાર હોઈ શકે છે. એટલું જ નહીં, આવી વ્યક્તિને અનેક રોગોનો પણ સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ કે કુંડળીમાં રહેલાં સૂર્ય સંબંધી દોષોને દૂર કરવા શું કરવું જોઈએ?

સૂર્યદેવતાનું વ્રત

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દોષના નિવારણ અર્થે અનેક ઉપાયોનું વર્ણન મળે છે. જેમાં સૂર્ય વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત રવિવારના રોજ કરવાનું રહે છે. કારણ કે રવિવાર એ સૂર્ય દેવતાનો વાર મનાય છે. કહે છે કે જેમનો સૂર્ય ખૂબ જ નબળો હોય તેમણે ઓછામાં ઓછા 12 રવિવાર સુધી આ વ્રત કરવું જોઈએ. વ્યક્તિને ઈચ્છા હોય તો તે વ્રત આગળ લંબાવી શકે છે. પરંતુ, ઓછામાં ઓછા 12 રવિવાર સુધી વ્રત કરવાનો સંકલ્પ તો લેવો જ જોઈએ અને તેને આસ્થાથી પૂર્ણ પણ કરવો જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વ્રતની વિધિ

⦁ રવિવારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારીને લાલ વસ્ત્ર ધારણ કરો.

⦁ તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ચંદન, લાલ ફૂલ, ચોખા તેમજ દૂર્વા નાંખો.

⦁ “ૐ સૂર્યાય નમઃ ।” બોલતા આ જળ સૂર્યદેવતાને અર્પણ કરો. કહે છે કે આમ કરવાથી કુંડળીમાં ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.

⦁ ત્યારબાદ એક આસન પર બિરાજમાન થઈ “ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ ।” મંત્રની 3, 5 અથવા તો 12 માળા કરો.

⦁ શક્ય હોય ત્યાં સુધી આ દિવસે ઉપવાસ કરવો. ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરવું. પરંતુ, મીઠાનું (નમકનું) સેવન ન કરવું.

⦁ જેમનો સૂર્ય ખૂબ જ કમજોર છે તેમણે રવિવારના રોજ લાલ અથવા પીળા રંગના વસ્ત્રનું જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આ સિવાય ગોળ, ઘઉં, લાલ કમળ, મસૂરની દાળ, ગાય તેમજ તાંબાનું દાન પણ ફળદાયી મનાય છે.

⦁ રવિવારે ગાયની સેવા કરો. તેને રોટલી ખવડાવો. લોટની ગોળી બનાવી માછલીઓને નાંખો, કીડીઓને કીડીયારું પૂરું.

⦁ સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ ફળદાયી બની રહે છે તો ગાયત્રીમંત્રના જાપથી પણ સૂર્ય દોષ હળવા થઈ જાય છે.

⦁ સૂર્ય ગ્રહને મજબૂત કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તમે નિત્ય જ માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. તેમની સંભાળ રાખો અને તેમની આજ્ઞાનું પાલન કરો. માન્યતા અનુસાર જે સંતાનો તેમના માતા-પિતાનો ક્યારેય અનાદર નથી કરતા, તેમના પર સૂર્યદેવની વિશેષ કૃપા ઉતરે છે.

ફળદાયી વ્રત

⦁ માન્યતા અનુસાર રવિવારનું વ્રત કરવાથી સૂર્યદેવતા ભક્તને શુભ ફળ પ્રદાન કરે છે.

⦁ આ વ્રતથી વ્યક્તિની શારીરિક પીડા દૂર થાય છે અને સ્વસ્થ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

⦁ એવું કહે છે કે આ વ્રત કરનારના મુખ પર તેજ પ્રગટ થાય છે. તે સ્વયં સકારાત્મક્તાની અનુભૂતિ કરે છે અને તે જ્યાં જાય છે ત્યાં પણ લોકોને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?

આ પણ વાંચોઃ વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">