AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

વટ સાવિત્રી (Vat Savitri ) વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર તો ધારણ ન જ કરવા જોઈએ.

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !
Hiral Nirala
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:01 AM
Share

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન કુલ 12 પૂનમની તિથિ આવતી હોય છે. પણ, તે સૌમાં જેઠ સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. ગુજરાતમાં આ દિવસે જ વટ સાવિત્રી વ્રત રાખવાની પરંપરા છે. જે અનુસાર આ વર્ષે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવશે. ત્યારે આવો, જાણીએ કે આ વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે !

વટ સાવિત્રી વ્રતનો મહિમા

વટ સાવિત્રી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખતી હોય છે. તો આ વ્રતના શુભાશિષની સંતાન પ્રાપ્તિની માન્યતા પણ પ્રચલિત છે. 3 જૂન, 2023, શનિવારે સવારે 11:16 કલાકે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે. જે 4 જૂન, 2023 સવારે 09:11 કલાકે સમાપ્ત થશે. પૂર્ણિમાનો ચંદ્ર 3 જૂનના રોજ દેખાશે. અને તે દૃષ્ટિએ 3 જૂનના રોજ વ્રત રાખવાનું રહેશે.

વટ સાવિત્રી વ્રતમાં શું રાખશો ખાસ ધ્યાન ?

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ દિવસે સોળ શણગાર સજવાનું વિશેષ મહત્વ છે. એટલે, શણગાર માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લેવી જોઇએ.

⦁ વટ સાવિત્રી વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપે આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ. સાથે જ આવા રંગનો ચાંદલો કે બંગડી પણ ધારણ ન કરવી.

⦁ વટ સાવિત્રીએ નવવધુની જેમ સોળ શણગાર સજીને સ્ત્રીઓએ સર્વ પ્રથમ તેમના સાસુ સસરાના આશીર્વાદ લેવા જોઈએ. ઘરમાં જે પણ વડીલ છે તેમના શુભાશિષની પ્રાપ્તિ કરવી જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખતી હોય છે. ત્યારે એ જરૂરી છે કે વ્રતના દિવસે પોતાના જીવનસાથી સાથે કોઇપણ મુદ્દે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. પતિ-પત્નીએ એકબીજા સાથે સારું વર્તન રાખવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે કોઇપણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું જોઈએ. તથા કોઈની પણ સાથે છળકપટ ન કરવું. કારણ કે, આ વ્રત મન, વચન અને કર્મની શુદ્ધતા માટે કરવામાં આવે છે. મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવવાથી વ્યક્તિને તે વ્રતનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.

⦁ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">