વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !

વટ સાવિત્રી (Vat Savitri ) વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર તો ધારણ ન જ કરવા જોઈએ.

વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !
Follow Us:
Hiral Nirala
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:01 AM

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન કુલ 12 પૂનમની તિથિ આવતી હોય છે. પણ, તે સૌમાં જેઠ સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. ગુજરાતમાં આ દિવસે જ વટ સાવિત્રી વ્રત રાખવાની પરંપરા છે. જે અનુસાર આ વર્ષે 3 જૂન, 2023, શનિવારના રોજ વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવશે. ત્યારે આવો, જાણીએ કે આ વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે !

વટ સાવિત્રી વ્રતનો મહિમા

વટ સાવિત્રી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખતી હોય છે. તો આ વ્રતના શુભાશિષની સંતાન પ્રાપ્તિની માન્યતા પણ પ્રચલિત છે. 3 જૂન, 2023, શનિવારે સવારે 11:16 કલાકે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે. જે 4 જૂન, 2023 સવારે 09:11 કલાકે સમાપ્ત થશે. પૂર્ણિમાનો ચંદ્ર 3 જૂનના રોજ દેખાશે. અને તે દૃષ્ટિએ 3 જૂનના રોજ વ્રત રાખવાનું રહેશે.

વટ સાવિત્રી વ્રતમાં શું રાખશો ખાસ ધ્યાન ?

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. આ દિવસે સોળ શણગાર સજવાનું વિશેષ મહત્વ છે. એટલે, શણગાર માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લેવી જોઇએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

⦁ વટ સાવિત્રી વ્રત કરનારી સ્ત્રીઓ મોટાભાગે લાલ રંગના વસ્ત્ર ધારણ કરતી હોય છે. પીળો અને લીલો રંગ પણ શુભ મનાય છે. પરંતુ, ધારો કે તમે આ રંગના વસ્ત્ર નથી પહેરતા તો પણ, એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપે આ દિવસે કાળા, વાદળી કે સફેદ રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ. સાથે જ આવા રંગનો ચાંદલો કે બંગડી પણ ધારણ ન કરવી.

⦁ વટ સાવિત્રીએ નવવધુની જેમ સોળ શણગાર સજીને સ્ત્રીઓએ સર્વ પ્રથમ તેમના સાસુ સસરાના આશીર્વાદ લેવા જોઈએ. ઘરમાં જે પણ વડીલ છે તેમના શુભાશિષની પ્રાપ્તિ કરવી જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખતી હોય છે. ત્યારે એ જરૂરી છે કે વ્રતના દિવસે પોતાના જીવનસાથી સાથે કોઇપણ મુદ્દે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. પતિ-પત્નીએ એકબીજા સાથે સારું વર્તન રાખવું જોઈએ.

⦁ વટ સાવિત્રી વ્રતના દિવસે કોઇપણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું જોઈએ. તથા કોઈની પણ સાથે છળકપટ ન કરવું. કારણ કે, આ વ્રત મન, વચન અને કર્મની શુદ્ધતા માટે કરવામાં આવે છે. મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર લાવવાથી વ્યક્તિને તે વ્રતનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું.

⦁ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">