આજે માઘી પૂર્ણિમા, કેસૂડાના આ ઉપાયથી પ્રસન્ન થશે લક્ષ્મી માતા !

માઘી પૂનમે (Maghi Purnima ) લક્ષ્મીનારાયણની એકસાથે આરાધનાનો મહિમા છે. અને કહે છે કે લક્ષ્મીજીને કેસૂડો અત્યંત પ્રિય છે. ત્યારે આવો, આપણે કેસૂડા સંબંધી કેટલાક એવાં ઉપાયો જાણીએ કે જે તમને દેવી લક્ષ્મીના અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરાવશે.

આજે માઘી પૂર્ણિમા, કેસૂડાના આ ઉપાયથી પ્રસન્ન થશે લક્ષ્મી માતા !
Kesudo
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 05, 2023 | 6:56 AM

આજે માઘી પૂર્ણિમાનો રૂડો અવસર છે. માઘી પૂર્ણિમા એટલે માઘ સ્નાનની પૂર્ણાહુતિનો દિવસ. એ જ કારણ છે કે આજે સ્નાન અને દાનનો સવિશેષ મહિમા છે. તો આજે રવિવારના સંયોગ સાથે આવેલી આ પૂનમ તમારો આર્થિક ભાગ્યોદય પણ કરાવી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આજે તમે કેસૂડાના વૃક્ષ, કેસૂડાની ડાળખીઓ કે તેના પુષ્પનો ઉપયોગ કરીને અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરી શકો છો અને આર્થિક સંકટથી મુક્તિ પણ મેળવી શકો છો ! આવો જાણીએ કે કઈ રીતે આ ઉપાય કામ કરશે ?

લક્ષ્મીજીને પ્રિય કેસૂડો !

કેસૂડાના વૃક્ષને ખાખરો કે પલાશ પણ કહે છે. તો, સંસ્કૃતમાં તેને બીજસ્નેહ, રક્તપુષ્પકના નામે સંબોધવામાં આવે છે. માઘી પૂનમે લક્ષ્મી નારાયણની એકસાથે આરાધનાનો મહિમા છે. અને કહે છે કે લક્ષ્મીજીને કેસૂડાના પુષ્પ અત્યંત પ્રિય છે. ત્યારે કેસૂડા સંબંધી કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકો છો.

મેળવો ત્રિદેવના આશીર્વાદ !

જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે, તે જ રીતે કેસૂડામાં પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે. એટલે જ માઘી પૂર્ણિમાએ પીપળાની સાથે જ કેસૂડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકસાથે આશિષની પ્રાપ્તિ થાય છે. અને શ્રીવિષ્ણુના ભક્તો પર તો દેવી લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કેસૂડાના લાકડાથી હવન કરો

માઘી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે. અને કહે છે કે આ કથા બાદ જો કેસૂડાના એટલે કે ખાખરાના વૃક્ષની ડાળખીઓથી, લાકડાથી હવન કરવામાં આવે, તો, તે અત્યંત ફળદાયી બની રહે છે. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ દોષ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

તિજોરીમાં રાખો કેસૂડાના પુષ્પ !

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ, તો વાસ્તુ અનુસાર કેસૂડાનો એક પ્રયોગ અજમાવી શકાય છે. કહે છે કે કેસૂડાના પુષ્પને હળદરની ગાંઠ સાથે તિજોરીમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીના આગમનના દ્વાર ખુલી જાય છે.

વિશેષ લક્ષ્મી કૃપા અર્થે

માઘી પૂર્ણિમાએ આજે મધ્યરાત્રિએ એક ખાસ ઉપાય અજમાવો. દેવી લક્ષ્મી સમક્ષ આસ્થા સાથે કેસૂડાના તાજા પુષ્પ અને એકાક્ષી નારિયેળ મૂકો. ત્યારબાદ બીજા દિવસે તેને સફેદ રંગના વસ્ત્રમાં બાંધીને ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના પર સદૈવ માતા લક્ષ્મીના આશીર્વાદ અકબંધ રહેશે.

ઘરમાં કેસૂડાના છોડ લગાવો

જો તમારે આંગણાવાળુ ઘર હોય તો આજે જરૂરથી આ ઉપાય અજમાવો. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસૂડાના છોડનું રોપણ કરો. માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસૂડો લગાવવાથી ઘરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે. અને પરિવારજનોને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">