AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોર્ટ-કચેરીથી લઈને નાણાકીય કટોકટી દૂર કરશે હનુમાન ચાલીસાનો પાઠ, જાણો કેવી રીતે કરશો તેનો પાઠ

જો તમે હનુમાનજીની પૂજા માટે વધારે સમય નથી આપી શકતા તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. આ ચાલીસા એટલી શક્તિશાળી છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો.

કોર્ટ-કચેરીથી લઈને નાણાકીય કટોકટી દૂર કરશે હનુમાન ચાલીસાનો પાઠ, જાણો કેવી રીતે કરશો તેનો પાઠ
Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:59 AM
Share

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને બજરંગબલી, મહાવીર અને સંકટમોચન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ દરેકની મુશ્કેલીઓ દૂર કરે છે અને જીવનને સુખી બનાવે છે. જો હનુમાનજીની પૂજા શ્રદ્ધાથી કરવામાં આવે તો દુ:ખ, દરિદ્રતા, રોગ, દોષ, ભૂત, પિશાચ વગેરે જેવી બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

જો તમે હનુમાનજીની પૂજા માટે વધારે સમય નથી આપી શકતા તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. આ ચાલીસા એટલી શક્તિશાળી છે, જેની તમે કલ્પના પણ ન કરી શકો અને વ્યક્તિની મોટી મુશ્કેલીઓ, કોર્ટ-કચેરીથી માંડીને આર્થિક સંકટ સુધી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે મંગળવારે હનુમાન ચાલીસાનો મહિમા જાણો.

કોર્ટ કેસ જીતવા માટે જો તમારો કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તમે આ કામ માત્ર ન્યાયના ઈરાદાથી કર્યું છે અથવા જો કોઈએ તમને ખોટા કેસમાં ફસાવ્યા છે, તો તમે દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસાની પૂજા કરી શકો છો. લગભગ 21 દિવસ સુધી આ સતત કરો અને પાઠ કરતા પહેલા અને પછી અડધો કલાક કોઈની સાથે વાત ન કરો. આ પછી, હનુમાનજી પાસે માફી માગી ન્યાય કરવા માટે પ્રાર્થના કરો.

નાણાકીય અવરોધો દૂર કરવા જો કોઈ કારણસર તમે દેવામાં ડૂબેલા છો અથવા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો હનુમાન ભક્તિ તમને આ સમસ્યામાંથી મુક્તિ આપશે. હનુમાન ચાલીસાનો પાઠ કરીને દર મંગળવારે હનુમાન મંદિરમાં શ્રીફળ અર્પણ કરો. આ સાથે તમારી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે.

અકસ્માત નિવારણ માટે મોટાભાગના અકસ્માતો રાહુ-કેતુ અને શનિને કારણે થાય છે, પરંતુ જો તમે હનુમાનજીના ઉપાસક છો, તો તમારી આ સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. આ માટે તમારે હંમેશા હનુમાનજીના આશ્રયમાં રહેવું જોઈએ અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઢ કરવો જોઈએ.

મંગળ દોષ દૂર કરવા જો કુંડળીમાં મંગળ ભારે હોય અથવા મંગળ દોષ હોય તો દર મંગળવારે હનુમાનજીનું વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી મંગળ દોષ દૂર થાય છે.

બેરોજગારી દૂર કરવા જો તમે બેરોજગાર છો અથવા તમારો વ્યવસાય ચાલી રહ્યો નથી, તો હનુમાન મંદિરમાં દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો અને દરરોજ હનુમાન ચાલસાનો પાઠ કરો.

તણાવ દૂર કરવા જો વધારે પડતું ટેન્શન, ડર કે ચિંતા હોય તો રોજ હનુમાન ચાલીસાના પાઠ સિવાય હનુમાનજીના મંત્ર ‘ॐ हनुमंते नम:’નો જાપ કરવો જોઈએ. રાત્રે સૂતી વખતે આ મંત્રનો જાપ કરો. રોજ આ કરવાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: આ શરદ પૂર્ણિમાએ કઈ વિધિથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી ? જાણો સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થેના સરળ ઉપાય

આ પણ વાંચો : Sharad Purnima : કેમ મનાવવામાં આવે છે શરદ પૂનમ ? જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્વ

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">