Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન

18 પુરાણોમાંનું એક ગરુડ પુરાણ, જેને મહાપુરાણ પણ કહેવામાં આવે છે. તે વ્યક્તિને જીવન સંબંધિત એવી બધી નીતિઓ વિશે જણાવે છે, જેને અપનાવીને મોટી મુશ્કેલીઓ ટાળી શકાય છે.

Garuda Purana: આ 5 પ્રકારના કાર્યો કરનારા વ્યક્તિને મળે છે અપયશ અને થાય છે તેનું અપમાન
Garuda Purana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 5:54 PM

વ્યક્તિ આદર અને માન-સન્માન મેળવવા માટે બધા કાર્યો કરે છે, કારણ કે જો આદર ન હોય તો જીવન મૃત્યુ કરતાં પણ ખરાબ બની જાય છે. એટલા માટે આપણે બધાએ એવા કામ ન કરવા જોઈએ જે આપણી વિશ્વસનીયતાને નબળી પાડે અને આપણને અપયશ મળે.

ગરુડ પુરાણમાં આવા અનેક કાર્યો જણાવવામાં આવ્યા છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા સન્માન અને આદરને અસર કરે છે, જેના કારણે વ્યક્તિને અપમાન સહન કરવું પડે છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. જાણો આવા 5 કામો વિશે.

1. ધર્મગ્રંથોમાં દાનનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ દાન ક્યારેય પોતાની ક્ષમતાથી વધારે ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ગરીબ છે, છતાં તેની ક્ષમતા કરતા વધારે દાન કરે છે, તો ચોક્કસ તેને અને તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું વારંવાર કરીને, ક્યારેક ઘરની આર્થિક સ્થિતિ એટલી મુશ્કેલ બની જાય છે કે, ટકી રહેવું મુશ્કેલ બને છે. આ સ્થિતિમાં વ્યક્તિને અન્યની સામે હાથ ફેલાવવાની ફરજ પડે છે અને આ પરિસ્થિતિ કોઈ અપમાનથી ઓછી નથી. તેથી, હંમેશા તમારી આર્થિક સ્થિતિ અનુસાર દાન કરો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2. જો તમારી પાસે વધારે ધન છે, પરંતુ તેમ છતાં તમે દાન નથી કરતા, તો આ સમાજ તમને કંજુસ કહેશે અને તમારે અપયશનો સામનો કરવો પડશે. તેથી જો તમે સક્ષમ છો, તો પછી ચોક્કસપણે દાન દ્વારા અન્ય લોકોને મદદ કરો. તેનાથી તમારી યશ અને કીર્તિ વધે છે.

3. જે વ્યક્તિનો પુત્ર તેની વાત સાંભળતો નથી, આવા પિતાને સમાજમાં વારંવાર અપમાન સહન કરવું પડે છે. મહાભારત કાળમાં દુર્યોધનના કારણે માત્ર ધૃતરાષ્ટ્રનું રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર પરિવારનો નાશ થયો હતો.

4. જે લોકોની ખરાબ સંગત હોય છે, તેમની પાસે ભલે ગમે તેટલા સારા ગુણો હોય, લોકો તેમને ખરાબ માને છે. આ પ્રકારના લોકોને પણ અપમાનિત થવું પડે છે અને અપયશનો ભોગ બનવું પડે છે. તેથી હંમેશા તમારી સંગતનું ધ્યાન રાખો.

5. જો તમે કોઈને નુકસાન પહોંચાડવા માટે કંઈક કરી રહ્યા છો અને આ દરમિયાન તમારૂ મૃત્યુ થાય છે, તો મૃત્યુ બાદ પણ દુનિયા તમારા વિશે ખરાબ જ બોલશે. સાથે જ તે તમારા આખા પરિવારને અસર કરે છે. તેથી એવું કોઈ કામ ન કરો જેના કારણે તમારી પેઢીને તેની સજા ભોગવવી પડે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Pitru paksha 2021: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

આ પણ વાંચો : Dining Room Vastu Tips: જાણો વાસ્તુ અનુસાર કેવો હોવો જોઈએ ડાઈનિંગ રૂમ, જાણો તેના વાસ્તુ નિયમ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">