Garuda Purana : મનુષ્યના પોતાના કર્મો જ નક્કી કરે છે કે તેને સ્વર્ગ મળશે કે નર્ક ? જાણો શું કહે છે ગરુડ પુરાણ !

ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેટલાક કર્મોના આધારે એવું કહેવામાં આવ્યું છે કે, કયા પ્રકારના કર્મો નર્ક તરફ દોરી જાય છે અને કેવા પ્રકારના કર્મો સ્વર્ગ તરફ દોરી જાય છે.

Garuda Purana : મનુષ્યના પોતાના કર્મો જ નક્કી કરે છે કે તેને સ્વર્ગ મળશે કે નર્ક ? જાણો શું કહે છે ગરુડ પુરાણ !
Garuda Purana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 5:22 PM

બાળપણથી આપણે બધા સ્વર્ગ અને નર્કની વાર્તાઓ સાંભળીએ છીએ. આ વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવામાં આવી છે કે દરેક વ્યક્તિએ હંમેશાં સારા કર્મો કરવા જોઈએ. સારા કર્મો કરવાથી મનુષ્યને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ખરાબ કર્મો કરવાથી નર્કનો ભોગ બનવું પડે છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેટલાક કર્મોના આધારે એવું કહેવામાં આવ્યું છે કે. કયા પ્રકારના કર્મો નર્ક તરફ દોરી જાય છે અને કેવા પ્રકારના કર્મો સ્વર્ગ તરફ દોરી જાય છે.

1. ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ પર સ્ત્રીને એકાંત સ્થળે જોઈ વિચલિત ન થાય અને તેના મનમાં કોઈ પ્રકારની વાસના ન જાગે તેમજ તે સ્ત્રીને તે વ્યક્તિ માતા, બહેન કે પુત્રી તરીકે જુએ છે, આવા વિચારોવાળા વ્યક્તિને સ્વર્ગ મળે છે.

2. જેઓ દુ:ખ, ભય અને ક્રોધને તેમના પર હાવી થવા દેતા નથી અને જેમની ઇન્દ્રિયો પર તેનું નિયંત્રણ હોય છે, તે લોકો સ્વર્ગના હકદાર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3. કુવા, તળાવ, પાણીના પરબ, આશ્રમ, મંદિર વગેરેનું નિર્માણ કરનારા લોકો પણ સ્વર્ગ માટે પણ હકદાર છે.

4. જે વ્યક્તિ દરેક અન્ય વ્યક્તિમાં ગુણો જુએ છે અને તેના ગુણોની પ્રશંસા કરે છે, આવા લોકો સ્વર્ગ માટે લાયક માનવામાં આવે છે.

5. જે મનુષ્ય બીજાની સંપત્તિ જોઈને લોભી થતા નથી અને ઘર્મમાં અને પ્રામાણીક રહી ધન કમાય છે, તેઓને મૃત્યુ બાદ સ્વર્ગ મળે છે.

આ કર્મો દ્વારા નર્કની પ્રાપ્તિ થાય છે.

1. ગરુડ પુરાણ અનુસાર, જે લોકો ભૂખ્યા વ્યક્તિને પોતાના દ્વારથી ધુતકારે છે અને તેમનું અપમાન કરે છે, આવા લોકોને નર્ક મળે છે.

2. અનાથ, ગરીબ, રોગી, વૃદ્ધ અને જરૂરતમંદોની મજાક ઉડાવે છે અને તેમની મદદ કરતા નથી, આવા લોકોને મૃત્યુ બાદ નર્કની યાતનાઓનો સામનો કરવો પડે છે.

3. બ્રાહ્મણ થઈને દારૂ અને માંસનું સેવન કરે, આત્મહત્યા કરે, સ્ત્રીની હત્યા કરે, બીજાની સંપત્તિ છીનવી લે, ખોટી જુબાની આપે, સ્ત્રી કે કન્યાને વેચે છે, પોતાના ફાયદા માટે જૂઠું બોલે છે, આવા તમામ લોકોને નર્કમાં યાતનાઓ ભોગવવી પડે છે.

4. જેઓ પોતાનાં કુટુંબની જવાબદારી નિભાવતા નથી, દેવી-દેવતાઓની પૂજા કરતા નથી અને પિતૃઓની પૂજા કરતા નથી, તેઓને નર્કમાં જવાનો વારો આવે છે.

5. જેઓ બીજાના ગુણોમાં દોષ જુએ છે અને અન્યની ઇર્ષ્યા કરે છે, તે નરકનો ભાગીદાર બને છે. આવા લોકોએ તેમની આદતોમાં સુધારો કરવો જોઇએ.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">