AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Durva Ashtami 2023: દુર્વા અષ્ટમી પર ક્યારે અને કેવી રીતે પૂજા કરવી, જાણો દુર્વા સંબંધિત ઉપાય

Durva Ashtami 2023: હિંદુ ધર્મમાં પ્રથમ પૂજનીય ગણાતા ભગવાન શ્રી ગણેશના ઉત્સવનો પ્રારંભ થયો છે. દુર્વા અષ્ટમીનો તહેવાર ભગવાન ગણેશના ઘરમાં આગમનના ચોથા દિવસે એટલે કે ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવારનું ધાર્મિક મહત્વ, પૂજા પદ્ધતિ અને ઉપાયો જાણવા માટે આ લેખ અવશ્ય વાંચો.

Durva Ashtami 2023: દુર્વા અષ્ટમી પર ક્યારે અને કેવી રીતે પૂજા કરવી, જાણો દુર્વા સંબંધિત ઉપાય
Durva Ashtami 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 12:58 PM
Share

હિંદુ ધર્મમાં પ્રથમ પૂજનીય ગણાતા ગણપતિની આરાધનાનો તહેવાર શરૂ થયો છે. બાપ્પાના ભક્તો તેમની ભક્તિના રંગોથી રંગાયેલા છે અને ચારે બાજુ ખુશીનો માહોલ છે. ભગવાન શ્રી ગણેશ ખૂબ જ દયાળુ દેવ છે અને તેઓ તેમના ભક્તોની પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેમને ઈચ્છિત વરદાન આપે છે. ભગવાન શ્રી ગણેશની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. જો તમે આ ગણેશ ઉત્સવમાં ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માંગો છો, તો ગણેશ ઉત્સવના બરાબર 4 દિવસ પછી આવતી દુર્વા અષ્ટમી પર આ વિશેષ પૂજા કરો.

સનાતન ધર્મમાં ભગવાન ગણેશની પૂજામાં નાની-નાની બાબતોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દુર્વા સંબંધિત આ તહેવાર પણ તેનું પ્રતિક છે. દુર્વા અષ્ટમીના દિવસે ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી ગણેશની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો : Jai Ganesh Deva Arti Song: ગણેશ ઉત્સવ પર જુઓ ભગવાન ગણેશની આરતી જુઓ અહીં, Lyrics અને Video

દુર્વા અષ્ટમી ક્યારે છે ?

દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમી તિથિએ દુર્વા અષ્ટમી ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણેશ ઉત્સવના બરાબર 4 દિવસ પછી આવે છે. આ વર્ષે શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 22 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 1:35 કલાકે શરૂ થઈ રહી છે અને 23મી સપ્ટેમ્બરે બપોરે 12:17 કલાકે સમાપ્ત થશે.

દુર્વા અષ્ટમીનું વ્રત અને પૂજા પદ્ધતિ

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. ત્યારપછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા કરવા બેસો. પૂજા કરતી વખતે તમારા વ્રતની પ્રતિજ્ઞા લો. ઘરના મંદિરમાં દેવતાઓને ફળ, ફૂલ, માળા, ચોખા, ધૂપ અને દીવો અર્પણ કરો. આ પછી ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને તેમને તલ અને મીઠા લોટની રોટલી અર્પણ કરો. પૂજાના અંતે ભોલેનાથની પૂજા અવશ્ય કરો.

દુર્વા અષ્ટમીની પૌરાણિક કથા

સનાતન ધર્મમાં દરેક પૂજા અને વ્રત પાછળ તેની સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કથા છે. તેવી જ રીતે ભગવાન ગણેશની એક પૌરાણિક કથા પણ દુર્વા અષ્ટમી સાથે જોડાયેલી છે. પુરાણો અનુસાર એક વખત ભગવાન શ્રીગણેશ રાક્ષસો સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે યુદ્ધમાં, રાક્ષસો મરતા ન હતા અને તેઓ મૃત્યુ પામ્યા પછી પણ પાછા જીવંત થતા હતા. પછી તે યુદ્ધને સમાપ્ત કરવા માટે, શ્રી ગણેશ તેને જીવતા ગળી જવા લાગ્યા. આમ કરવાથી ભગવાન શ્રીગણેશના શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન થઈ અને ગરમીને કારણે તેમનું પેટ અને શરીરમાં દાહ થવા લાગ્યો લાગ્યું. પછી બધા દેવતાઓએ લીલી દુર્વા ફેલાવી અને તેમને દુર્વા અર્પણ કરી. દુર્વાએ તેમના શરીરના દાહમાંથી રાહત આપી અને ગણેશજીને સારું લાગ્યું. આ જ કારણ છે કે શ્રી ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે અને તેના વિના ગણપતિ બાપ્પાની પૂજા અધૂરી માનવામાં આવે છે.

દુર્વા અષ્ટમીની પૂજા કરવાની ઉત્તમ રીત

દુર્વા અષ્ટમીના દિવસે ભગવાન ગણેશની પૂર્ણ વિધિથી પૂજા કરો અને તેમને દુર્વા અર્પણ કરો. આ પછી ગણેશ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો અને તેમને તમારી સમસ્યા દૂર કરવા વિનંતી કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात्।

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
g clip-path="url(#clip0_868_265)">