Bhakti: શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં

સોમવાર એટલે તો શિવજીની આરાધના અને ઉપાસનાનો દિવસ. શું તમે સોમવારે કાળા રંગના કપડા તો નથી પહેરતાં ને ? સોમવારે શિવજીની કૃપાને પ્રાપ્ત કરવાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

Bhakti: શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં
LORD MAHADEV (IMPACT IMAGE)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2021 | 10:26 AM

સોમવાર(MONDAY) એટલે તો શિવને સમર્પિત દિવસ. સોમવાર એટલે તો શિવજીની આરાધના અને ઉપાસનાનો દિવસ. કહેવાય છે કે સોમવારે શુદ્ધ મનથી કરવામાં આવતી શિવજીની આરાધના વ્યક્તિના દેરક અધૂરા કામને પૂર્ણ કરે છે. વ્યક્તિની દરેક કામનાને પૂર્ણ કરનારો છે સોમવારનો દિવસ. આપ પણ આજે શિવાલય જતાં હશો અને શિવજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શિવલીંગ પર અભિષેક કરતાં હશો બીલીપત્ર અર્પણ કરતાં હશો. પણ શું તમે સોમવારે કાળા કપડાં તો નથી પહેરતાં ને ? શું સોમવારે તમે કોઈ જાણ્યા કે અજાણ્યા વ્યક્તિ માટે અપશબ્દનો પ્રયોગ તો નથી કરતાં ને ? સોમવારે તમારી એક ભૂલ તમને ભારી પડી શકે છે. એટલે એ જાણવું અત્યંત આવશ્યક છે કે કઈ કઈ વસ્તુઓ સોમવારે બિલકુલ ન કરવી . આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે સોમવારે તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. આવો સૌથી પહેલાં જાણીએ કે કઈ બાબતો સોમવારે ભૂલથી પણ ન કરવી જોઈએ. 1. સોમવારે કાળા વસ્ત્રો ન પહેરવાં જોઈએ. 2. સોમવારે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. 3. સોમવારે કોઈની સામે ગુસ્સો ન કરવો. 4. સોમવારે કોઈ વ્યક્તિ માટે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. 5. માન્યતા છે સોમવારે સફેદ વસ્ત્ર કે દૂધનું દાન ન કરવું જોઈએ. હવે જાણીએ કે સોમવારે શું કરવું જોઈએ. 1. સોમવારે સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. 2. એવું કહેવાય છે કે સોમવારે શિવજીનું વ્રત રાખવું. જેને સોમેશ્વર વ્રત પણ કહેવાય છે. સોમવારના વ્રત માત્રથી વ્યક્તિના દરેક મનોરથ પૂરમ થતી હોવાની માન્યતા છે. 3. સોમવારે સવારે ઉઠી ભોળાનાથના નામનો જાપ કરવો જોઈએ. શક્ય હોય તો શિવ ચાલીસા કરવાં. 4. સોમવારે શિવાલય અચૂક જવું જોઈએ. શિવજીને શુદ્ધ જળ અર્પણ કરવું અને ભસ્મનું તિલક લગાવવું જોઈએ. 5. સોમવારે ચોખા અને કાળા તલના દાનનો પણ મહિમા છે. એવું કહેવાય છે કે તેનાથી પિતૃકૃપા અને શિવકૃપા બંન્નેની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આટલી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો મહાદેવની કૃપા અવશ્ય વરસે છે. અને સાથે જ જીવનના તમામ પ્રશ્નો કે સમસ્યાનું નિરાકરણ આવે છે. આ વાંચો: Lord sun : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે સૂર્યદેવ !

આ વાંચો: Lord Suryanarayan : રવિવારે કરેલી સૂર્યદેવની ઉપાસના જીવનમાં લાવશે સફળતા

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">