Vastu Tips: ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓને ઘરમાં રાખવાની ભૂલ, નહીંતર વાસ્તુદોષનો કરવો પડશે સામનો !

મોટાભાગે લોકો ઘરમાં (Home) નાના છોડ રાખતા હોય છે. જેનાથી ઘરનું વાતાવરણ સારું અને શાંતિમય રહે. પરંતુ, ઘરમાં છોડ રાખતા પૂર્વે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં ક્યારેય પણ કાંટાળા છોડ રાખવા નહીં.

Vastu Tips: ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓને ઘરમાં રાખવાની ભૂલ, નહીંતર વાસ્તુદોષનો કરવો પડશે સામનો !
Home
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:54 AM

દરેક ઘરમાં વાસ્તુનું (Vastu) વિશેષ મહત્વ હોય છે. જે ઘરનું (Home) વાસ્તુ યોગ્ય હોય છે, તે ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જા (Positive energy) રહે છે. આવી સ્થિતિમાં તે ઘરમાં ધન, સુખ અને શાંતિ રહે છે. તેનાથી વિપરિત, જે ઘરમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં ન આવે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે. આ નકારાત્મક ઊર્જાથી ઘરમાં ગરીબી, અશાંતિ અને દુ:ખ આવતા રહે છે. ઘરની સુખ-શાંતિ માટે ઘરમાં રાખેલી વાસ્તુ યોગ્ય હોવી ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં એ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ક્યા પ્રકારના ઘરમાં સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે. ઉપરાંત, નકારાત્મક શક્તિઓના પ્રભાવ વિશે અને તેમાંથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે પણ તેમાં જાણકારી આપવામાં આવી છે. જે પ્રકારે ઘણી વસ્તુઓથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે તે જ રીતે ઘણી એવી વસ્તુઓ પણ હોય છે જે ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો કરે છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

ઘરમાં રાખવામાં આવતા છોડ

મોટાભાગે લોકો ઘરમાં નાના છોડ રાખતા હોય છે. જેનાથી ઘરનું વાતાવરણ સારું અને શાંતિમય રહે. પરંતુ, ઘરમાં છોડ રાખતા પૂર્વે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં ક્યારેય પણ કાંટાળા છોડ રાખવા નહીં. કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. પરિવારનાં સભ્યોની વચ્ચે અંદરોઅંદર મતભેદ લાવે છે. વળી, બોનસાઈ પ્લાન્ટ પણ ઘરમાં લોકો રાખતા હોય છે તે પણ ન રાખવા જોઇએ. કારણ કે તે છોડ પ્રગતિમાં અડચણ લાવે છે. આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઘરની દિવાલ પર રાખવામાં આવતી તસવીરો

ઘણાં ઘરોમાં લોકોને દિવાલો પર અલગ અલગ પ્રકારની તસવીરો કે ચિત્ર રાખવાનો શોખ હોય છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી કે ઘરની દિવાલ ઉપર ક્યારેય પણ જંગલી જાનવરોની તસવીર, યુદ્ધવાળી તસવીર, ઉજ્જડ વેરાન કે નિર્જન જગ્યાની તસવીર, સુકાયેલા વૃક્ષની તસવીર લગાવવાની ભૂલ ક્યારેય કરવી નહીં. આવું કરવાથી ઘણા પ્રકારની સમસ્યા ઊભી થાય છે સાથે પરિવારમાં તણાવ પણ ઊભો થાય છે. એટલે જ્યારે પણ ઘરમાં તસવીરો લગાવો તો હંમેશા ખુશહાલી, રંગબેરંગી અને મનને શાંતિ મળે એવી તસવીર લગાવવી જોઈએ.

કરોળિયાના જાળાની બચો !

ઘરની સાફસફાઇ ખૂબ જ જરૂરી છે. એટલે ઘરમાં ક્યારેય પણ કરોળિયાના જાળા ન થવા દેવા જોઇએ. ઘરમાં કરોળિયાનાં જાળા હોવા પણ ખુબ જ અશુભ હોય છે. તેનાથી ઘરના લોકોમાં આળસ તથા ચીડીયાપણું આવે છે, પરિવારના લોકો હંમેશાં અસમંજસમાં રહે છે. તેમની પ્રગતિ અટકી જાય છે. તેઓ કોઇપણ કાર્યમાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. કુલ મળીને ઘરમાં કરોળિયાના જાળા હોવાથી પરિવારના લોકોમાં પરસ્પર સંબંધો વણસે છે તથા નોકરી, વેપાર અને ધંધામાં પણ અશુભ પરિણામ ભોગવવા પડે છે.

ઘરમાં રાખવામાં આવતી મૂર્તિઓ

ઘરમાં નટરાજની મૂર્તિ હોવી પણ અશુભ માનવામાં આવે છે. વળી શિવ તાંડવની તસવીર જે ઘરમાં હોય છે તે ઘરમાં પારિવારિક સંબંધો અને પરસ્પર પ્રેમ ઉપર આ મૂર્તિની નકારાત્મક અસર પડે છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ નટરાજની મૂર્તિ રાખવી નહીં.

તૂટેલો સામાન ન રાખો

ઘરમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારની તૂટેલી-ફૂટેલી, ખરાબ થઈ ગયેલી વસ્તુઓ, તૂટી ગયેલા વાસણ, ખરાબ થયેલ ઇલેક્ટ્રોનિક સામાન, ફાટી ગયેલા ફોટા-તસવીરો અને તૂટેલું કે ખરાબ થયેલું ફર્નિચર રાખવું જોઈએ નહીં. તે ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. તેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને નિર્ધનતાનો સામનો કરવો પડે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">