AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !

શ્રાદ્ધમાં (Shradh) ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ નાનકડી વસ્તુનું દાન, પરિવારમાં આવશે ખુશીઓ અપાર !
Daan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 14, 2022 | 6:13 AM
Share

પિતૃ પક્ષના (Pitru paksh) 16 દિવસોમાં શ્રાદ્ધ (Shradh), તર્પણ (Tarpan) , પિંડદાન (Pinddan) જેવા કાર્યો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ છે. માન્યતા છે કે દાન કરવાથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે. તેઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે ! ધર્મગ્રંથો અનુસાર શ્રાદ્ધમાં ગાય, તલ, જમીન, મીઠું, ઘી નું દાન કરવાની પરંપરા છે. આ દરેક વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધર્મગ્રંથોમાં શ્રાદ્ધમાં દાન કરવામાં આવેલ વસ્તુઓના ફળ વિશે વિસ્તૃતમાં વર્ણન મળે છે. પરંતુ, બહુ જ ઓછા લોકોને આ વિશે જાણકારી હોય છે. અમે આજે આપને તેના વિશે માહિતગાર કરીશું .

ફળદાયી દાન

⦁ મહાભારત અનુસાર શ્રાદ્ધમાં ગોળનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. ગોળને કલેશ, દરિદ્રતાનો નાશ કરીને ધનનું સુખ આપનાર માનવામાં આવે છે. ગોળનું પ્રમાણ વધારે કે ઓછું હોય તેનો કોઇ જ આગ્રહ નથી. તમે ગમે એટલો ગોળ દાન કરી શકો છો.

⦁ ગાયનું દાન દરેક દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ, શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખ-સંપત્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.

⦁ શ્રાદ્ધમાં ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે. ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

⦁ શ્રાદ્ધ દરમ્યાન ઘઉં, અક્ષતનું દાન પણ કરવું જોઇએ. જો તે દાન ન કરી શકો તો બીજા કોઇ અનાજનું પણ દાન કરી શકાય છે. તેનાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં કોઇ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને જમીનનું દાન કરવાથી આપને સંપત્તિ સંબંધિત વસ્તુઓનો ફાયદો થાય છે.

⦁ શ્રાદ્ધ પક્ષમાં સુર્વણનું દાન કરવાથી પરિવારનો કલેશ દૂર થાય છે. જો સુર્વણનું દાન ન કરી શકાય તો પોતાની ઇચ્છા અનુસાર ધનનું દાન કરવાથી પણ આપને ચોક્કસ ફાયદો થશે.

⦁ શ્રાદ્ધ દરમિયાન વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જેમ કે ધોતી, ખેસ સહિતના બીજા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જે વસ્ત્રોનું દાન કરો તે નવા અને સ્વચ્છ હોવા આવશ્યક છે.

⦁ પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ પ્રાપ્તિ માટે ચાંદીનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ શ્રાદ્ધ કર્મમાં તલનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપની ઉપર હંમેશા જ રહે છે.

⦁ પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાનું દાન કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">