ધનતેરસના અવસરે આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે

ધનતેરસના (Dhanteras) અવસરે દાનનો પણ વિશેષ મહિમા રહેલો છે. કહે છે કે જો આ દિવસે દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, પરિવાર પર આવનારા સંકટો પણ દાનકર્મથી ટળી જાય છે.

ધનતેરસના અવસરે આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે
Dhanteras
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:19 PM

હિંદુ ધર્મમાં ધનતેરસના (Dhanteras) પર્વની આગવી જ મહત્તા છે. આ એ અવસર છે કે જે ધનની દેવી માતા લક્ષ્મીને (Laxmi) પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ મનાય છે. તો આ દિવસે નવી વસ્તુઓ, સોનુ, ચાંદી, કપડાં, વાહન, વાસણ વગેરેની ખરીદી પણ અત્યંત શુભ મનાય છે. મોટાભાગે દરેક પરિવારમાં ધનતેરસના અવસરે કોઇને કોઇ વસ્તુ ખરીદવાનો રિવાજ કે પરંપરા હોય જ છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ધનતેરસના અવસરે તો દાન કરવું પણ અત્યંત ફળદાયી મનાય છે.

ધનતેરસના અવસરે દાનની સવિશેષ મહત્તા છે. કહે છે કે જો આ દિવસે દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, પરિવાર પર આવનારા સંકટો પણ દાનકર્મથી ટળી જાય છે. ત્યારે આવો જાણીએ કે આ અવસરે કઈ ખાસ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી બની રહેતું હોય છે.

અનાજનું દાન

માન્યતા અનુસાર જો તમે ધનતેરસના દિવસે અનાજનું દાન કરો છો, તો ઘરમાં અનાજના ભંડાર હંમેશા ભરેલા જ રહે છે. અનાજનું દાન કરવાની સાથે તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદને ભોજન પણ કરાવી શકો છો. અને ભોજન કરાવ્યા બાદ શક્ય હોય તો તમે તેને પૈસાનું પણ દાન કરી શકો છો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ શુભ મનાય છે. જો તમારા પર કોઈ સંકટ આવી પડ્યું હોય, કે દુર્ભાગ્ય પીછો જ ન છોડતું હોય તો લોખંડનું દાન ફળદાયી બની રહેશે. માન્યતા અનુસાર લોખંડના દાનથી તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે શક્ય હોય તો લોખંડની કોઈ વસ્તુનું દાન અચૂક કરો. અટકેલાં કાર્ય પણ આ દાનકર્મથી પરિપૂર્ણ થઈ જતા હોવાની માન્યતા છે. તેમજ આ દાનને લીધે ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી.

વસ્ત્રનું દાન

ધનતેરસના દિવસે વસ્ત્રનું દાન કરવું વિશેષ ફળદાયી બની રહે છે. શક્ય હોય તો જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન કરો. આ દાનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે. તેમની કૃપા સમગ્ર પરિવાર પર વરસે છે. જો શક્ય હોય તો પીળા વસ્ત્રનું દાન કરવું. તે વિશેષ ફળદાયી બનશે.

સાવરણીનું દાન

ધનતેરસના અવસરે સાવરણી ખરીદવાની પરંપરા તો છે જ. પરંતુ, આ દિવસે ઝાડુનું દાન કરવું પણ શુભદાયી અને ફળદાયી બને છે. એટલે આ દિવસે કોઈ મંદિરમાં જઈ ત્યાંના સફાઈકર્મીને સાવરણીનું દાન કરવું જોઈએ. તેના ફળરૂપે વ્યક્તિને ક્યારેય દરિદ્રતાનો સામનો નહીં કરવો પડે.

શું ધ્યાન રાખશો ?

1. ધનતેરસના અવસરે દાનનો મહિમા છે. પણ, એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ દાન સૂર્યાસ્ત પૂર્વે જ કરી લેવામાં આવે.

2. આ દિવસે સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં, સફેદ મીઠાઈ વગેરેનું દાન ન કરવું, તે અશુભ મનાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">