AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો તુલસી સંબંધી આ રસપ્રદ વાત ? જાણી લો, દર્શન માત્રથી કેવાં-કેવાં મળશે લાભ ?

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે વ્યક્તિ પ્રાતઃકાળે તુલસીના (tulsi) છોડના દર્શન કરે છે, તેને સવાગ્રામ સોનાના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે પ્રભુને તુલસીમાળા અર્પણ નથી કરતા, તો બીજું બધું જ અર્પણ કરેલું પણ વ્યર્થ બની જાય છે !

શું તમે જાણો છો તુલસી સંબંધી આ રસપ્રદ વાત ? જાણી લો, દર્શન માત્રથી કેવાં-કેવાં મળશે લાભ ?
Tulsi plant
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:23 AM
Share

સનાતન ધર્મમાં તુલસીનું અને તેની પૂજાનું એક આગવું જ મહત્વ રહેલું છે. એમાં પણ પવિત્ર કારતક માસમાં તુલસી પૂજાની મહત્તા અનેકગણી વધી જાય છે. કહે છે કે આ સમગ્ર માસ દરમિયાન જે જીવ આસ્થા સાથે તુલસીની પૂજા કરે છે, તેના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ, દર્દ દૂર થઈ જાય છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે પુરાણો અનુસાર કેવાં-કેવાં પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનારો છે તુલસીનો છોડ !

તુલસી માહાત્મ્ય

⦁ આપણે તુલસીજીને ‘હરિપ્રિયા’ કહીએ છીએ. કારણ કે, જેમ લક્ષ્મીજી છે, તેમ જ તુલસીજી છે. ભગવાન વિષ્ણુ અને તેમના જ અવતાર શ્રીકૃષ્ણને તુલસીજી અત્યંત પ્રિય છે.

⦁ આચ્છા લીલા રંગની તુલસી ‘ગૌરી તુલસી’ તરીકે ઓળખાય છે. અને તે શ્રીકૃષ્ણના તારક તત્વની પ્રતિક છે.

⦁ ઘાટા લીલા રંગના પાંદડાવાળી તુલસીને ‘શ્યામા તુલસી’ કહે છે.

⦁ તુલસી દળનું મહત્વ પદ્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ તેમજ ગરુડ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે.

⦁ પદ્મ પુરાણ અનુસાર જ્યાં તુલસીનું એક પણ પાંદડુ હોય, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો નિવાસ હોય છે. તુલસીના દર્શન માત્રથી તમામ પાપ નષ્ટ થઇ જાય છે.

⦁ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે વ્યક્તિ પ્રાતઃકાળે તુલસીના છોડના દર્શન કરે છે, તેને સવાગ્રામ સોનાના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.⦁ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય તેમજ તેની પૂજા થતી હોય, ત્યાં યમદૂત ક્યારેય પ્રવેશ નથી કરતા !

⦁ કહે છે કે તુલસીના સ્પર્શ માત્રથી શરીર શુદ્ધ થઈ જાય છે.

⦁ જે જીવ તુલસીને નિત્ય પ્રણામ કરે છે, તેના તમામ રોગ દૂર થાય છે.

⦁ માન્યતા અનુસાર તુલસીને નિત્ય જ જળ અર્પણ કરવાથી યમરાજ પણ દૂર રહે છે !

⦁ તુલસીના છોડ રોપવાથી વ્યક્તિને તુલસી સંબંધી લાભની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ તેને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

⦁ તુલસીનું પાન આસ્થા સાથે કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ મૃત્યુ સમયે જે વ્યક્તિના મુખમાં ગંગાજળ સાથે તુલસીદળ મૂકવામાં આવે છે, તેના સમસ્ત પાપો નાશ પામે છે.

⦁ તુલસી એક દૈવીય છોડ છે. માન્યતા અનુસાર તુલસીનો છોડ, ગીતાજી, રામચરિત માનસ, ઘંટ, ગંગાજળ, શિવલીંગ, શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ, તેમજ વગાડી શકાય તેવો એક શંખ તો ઘરમાં જરૂરથી હોવો જ જોઈએ.

⦁ તમે ભલે ગમે તેટલી મૂલ્યવાન માળા ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પણ, જો તમે પ્રભુને તુલસીમાળા અર્પણ નથી કરતાં, તો બધું જ નકામું છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">