AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે પુરીજગન્નાથ મંદિરના આ 7 રહસ્ય ?

રોજ હજારો શ્રદ્ધાળુઓ પુરીના શ્રીમંદિરમાં પ્રસાદ ગ્રહણ કરે છે. પણ, માન્યતા એવી છે કે આજ સુધી ક્યારેય ભક્તો માટે પ્રસાદ ઓછો નથી પડ્યો. એટલું જ નહીં મંદિરના દ્વાર બંધ થતાની સાથે જ આ પ્રસાદ પણ ખત્મ થઈ જાય છે !

શું તમને ખબર છે પુરીજગન્નાથ મંદિરના આ 7 રહસ્ય ?
અત્યંત રહસ્યમય છે પુરીનું શ્રીમંદિર !
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:49 AM
Share

પુરીજગન્નાથ (purijagannath) એ કળિયુગનું મહાધામ મનાય છે. અહીં ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના ‘જગન્નાથ’ સ્વરૂપના દર્શન થાય છે. મહામારીના સંજોગોને બાદ કરતા આ ધામ સદૈવ ભક્તોની ભીડથી ઉભરાતું જ રહ્યું છે. જો કે અહીં શ્રદ્ધાળુઓને ખેંચી લાવતું સૌથી મોટું પરિબળ સ્વયં જગન્નાથ ઉપરાંત તેમના સ્થાનક સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો પણ છે !

પુરીજગન્નાથમાં સ્થિત શ્રીમંદિર સાથે અનેક રોચક માન્યતાઓ જોડાયેલી છે. આ માન્યતાઓ અત્યંત રહસ્ય ભરેલી છે. ત્યારે આવો આપણે પણ જાણીએ મંદિરના આ રોચક રહસ્ય.

શ્રીમંદિરના રહસ્ય 1 માન્યતા અનુસાર શ્રીમંદિર પર સ્થિત ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે. આવું કેવી રીતે બને છે તે આજે પણ એક રહસ્ય છે.

2 શ્રીમંદિરના મુખ્ય શિખર પર નીલચક્ર વિદ્યમાન છે. અને કહે છે કે તમે પુરીના કોઈપણ સ્થાન પર ઉભા રહી આ નીલચક્રને નિહાળશો, તો પણ તે તમને સીધું જ દેખાશે !

3 એક માન્યતા અનુસાર સમય કોઈપણ હોય આ મંદિરના મુખ્ય શિખરનો પડછાયો ક્યારેય ધરતી પર પડતો જ નથી !

4 શ્રીમંદિરની અંદર કાર્યરત્ વિશ્વના સૌથી મોટાં રસોડમાં એકની ઉપર એક એમ સાત હાંડીઓ ગોઠવી ભોજન બનાવવામાં આવે છે. માન્યતા છે કે આ ક્રિયામાં સૌથી ઉપર મૂકાયેલ હાંડીનું ભોજન સૌથી પહેલાં રંધાય છે. અને સૌથી નીચે રહેલી હાંડીનું ભોજન સૌથી છેલ્લે તૈયાર થાય છે ! આ ઘટના અત્યંત રહસ્યમય છે.

5 રોજ હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રસાદ ગ્રહણ કરે છે. પણ, માન્યતા એવી છે કે આજ સુધી ક્યારેય ભક્તો માટે પ્રસાદ ઓછો નથી પડ્યો. એટલું જ નહીં મંદિરના દ્વાર બંધ થતાની સાથે જ આ પ્રસાદ પણ ખત્મ થઈ જાય છે !

6 સામાન્ય રીતે દિવસે પવન સમુદ્રથી ધરતી તરફ ફૂંકાતો હોય છે. અને સાંજે ધરતી પરથી સમુદ્ર તરફ. પરંતુ, પુરીમાં આ ક્રમ આશ્ચર્યજનક રીતે ઉંધો જોવા મળે છે.

7 પુરી દરિયાકિનારે સ્થિત હોઈ ગમે તે સ્થાન પર ઘૂઘવતાં દરિયાનો અવાજ સંભળાતો જ રહે છે. પણ, આશ્ચર્યની વાત એ છે કે મંદિર પ્રવેશ માટે સિંહદ્વારની અંદર પગ મૂકતાં જ આ અવાજ બંધ થઈ જાય છે. અને મંદિરની બહાર આવતાં જ તે પુન: સંભળાવા લાગે છે. ભલાં આવું કેવી રીતે બની શકે ?

જેટલું રહસ્યમય પ્રભુ જગન્નાથજીનું સ્વરૂપ છે. એટલાં જ રહસ્ય તો તેમના મંદિર સાથે પણ જોડાયેલા છે. અને એ જ તો પ્રભુ જગન્નાથ પ્રત્યેની ભક્તોની આસ્થાને વધુ દ્રઢ કરે છે.

આ પણ વાંચો : શું ભગવાન પણ ક્યારેય બીમાર પડી શકે ? દર વર્ષે પંદર દિવસ માટે ખુદ જગન્નાથજી પણ થઈ જાય છે ક્વૉરન્ટાઈન !

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">